________________
૧/૩/૧૫
ઘણઘણાટ, પાયદળની હરહરાહટ, સિંહનાદનું આસ્ફાટન, છેલિય-વિધુક-ફુકકંઠગત શબ્દની ભીમગર્જના, રડવું-હસવું-કરાહવુંનો કલકલ રવ, આંસુવાળા વદનથી રુદ્ર લાગતું હતું. ભયંકર દાંતોથી હોઠને જોરથી કાપનાર યોદ્ધાના હાથ પ્રહાર માટે તત્પર રહેતા હતા. ક્રોધને કારણે તીવ્રરક્ત અને નિારિત આંખ, વૈદૃષ્ટિથી શુદ્ધ ચેષ્ટિત ત્રિવલી કુટીલ ભૃકુટીવાળું કપાળ, વધ પરિણત હજારો યોદ્ધાના પરાક્રમ જોઈને, સૈનિકોના પૌરુષ પરાક્રમની વૃદ્ધિ થતી હતી. હણહણતા ઘોડા અને રથો દ્વારા દોડતા યુદ્ધસુભટો તથા શસ્ત્ર ચલાવવામાં કુશલ અને સાધિત હાથવાળા સૈનિક હવિભોર થઈને, બંને ભુજા ઉંચી ઉઠાવી, ખિલખિલાટ હંસતા હતા, કિલકારીઆ કરતા હતા. રામકતી ઢાલ અને કવચ ધારી મદોન્મત્ત હાથી ઉપર આરૂઢ પ્રસ્થાન કરતા યોદ્ધા, યોદ્ધા સાથે પરસ્પર ઝુઝતા હતા. યુદ્ધકળા કુશળ અહંકારી યોદ્ધા, પોતાની તલવાર મ્યાનથી કાઢી, સ્ફૂર્તિથી રોષ સહ પરસ્પર પ્રહાર કરતા, હાથીની સૂંઢ કાપતા હોય છે.
આવા ભયાવહ યુદ્ધમાં મુદ્ગુરાદિ મરેલ-કાપેલફાડેલ હાથી આદિ પશુઓ અને મનુષ્યોના યુદ્ધભૂમિમાં વહેતા લોહીના કીચડથી લથપથ માર્ગ, કુંખ ફાટવાથી ભૂમિ ઉપર વિખરાયેલ બહાર નીકળેલ આંતરડાનું લોહી વહેતું હોય, તરફડતા
વિકલ મહિત કપાયેલ પ્રગાઢ પ્રહારથી બેહોશ, અહીં-તહીં આળોટતા વિહ્વળ મનુષ્યોના વિલાપને કારણે તે યુદ્ધ ઘણું જ કરુણાજનક હોય છે. મરેલા યોદ્ધાના ભટકતા ઘોડા, મદોન્મત્ત હાથી, ભયભીત મનુષ્ય, કપાયેલી ધ્વજાવાળા ટુટલા સ્થ, મસ્તક કપાયેલ હાથીઓના ધડ. વિનષ્ટ શસ્ત્રાસ્ત્ર, વિખરાયેલ આભુષણ પડેલા હતા. નાચતા એવા ઘણાં કલેવરો ઉપર કાગડા અને ગીધ ફરતા હતા. તેની છાયાના અંધકારથી યુદ્ધ ગંભીર બન્યું હતું. આવા સંગ્રામમાં સ્વયં પ્રવેશે છે. પૃથ્વીને વિકસિત કરતા, બીજાના દ્રવ્યના ઈચ્છુક રાજા સાક્ષાત્ શ્મશાન સમાન, પરમ રૌદ્ર-ભયાનક, દુપ્રવેશકર સંગ્રામરૂપ સંકટમાં ચાલીને
પ્રવેશે છે.
૧૫૫
આ સિવાય હૈદલ ચોર સમૂહ હોય છે. કેટલાંક સેનાપતિ ચોરોને પ્રોત્સાહિત કરે છે. તેઓ દુર્ગમ અટવી પ્રદેશમાં રહે છે. તેમના કાળા-લીલા-પીળા-શ્વેતરંગી સેંકડો ચિહ્ન હોય છે. પરધન લોભી તે ચોર સમુદાય, બીજાના પ્રદેશમાં જઈને ધનહરણ અને મનુષ્યઘાત કરે છે.
[કેટલાંક લુંટારા] રત્નોની ખાણ-સમુદ્રમાં ચડાઈ કરે છે. તે સમુદ્ર-સહસ ઉર્મીમાલાથી વ્યાપ્ત, જળના ભાવે જહાજના વ્યાકુળ મનુષ્યોનો કલકલ ધ્વનિયુક્ત, સહસ્ર પાતાળ કળશોના વાયુથી ક્ષુબ્ધ થવાથી ઉછળતા જલકણોની રજથી અંધકારમય બનેલ, નિરંતર પ્રચુર માત્રામાં ઉઠતા શ્વેતવર્ણી ફીણ, તીવ્ર વેગથી તરંગિત, ચોતરફ તોફાની હવાથી ક્ષોભિત, તટ સાથે ટકરાતા જળસમૂહથી તથા મગરમચ્છાદિ જલીય જંતુને કારણે સંચળ થઈ રહ્યો છે. વચ્ચે-વચ્ચે ઉભરેલ પર્વતો સાથે ટકરાતા, વહેતા અથાહ જળસમૂહથી યુક્ત છે. મહાનદીના વેગથી
૧૫૬
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ ત્વરિત ભરાઈ જનારો, ગંભીર વિપુલ આવર્તમાં જળજંતુ ચપળતાથી ભમતો, વ્યાકુળ થતો, ઉછળતો છે, વેગવાનું અત્યંત પ્રચંડ ક્ષુબ્ધ જળમાંથી ઉઠતી લહેરોથી વ્યાપ્ત છે. મહામગ-મચ્છ-કાચબા-ઓહમ્-ગ્રાહ-તિમિ-સુસુમાર-શ્રાદ જીવોના પરસ્પર ટકરાવાથી તે સમુદ્ર ઘોર-પ્રચુર છે. જેને જોતા કાયરજનોનું હૃદય કરે છે જે અતિ ભયાનક, ભયંકર, પ્રતિક્ષણ ભયોત્પાદક, ઉત્તારાનક, પાર ન દેખાતો, આકાશવત્ નિરાલંબન, ઉત્પતથી ઉત્પન્ન પવનથી પ્રેરિત, ઉપરાઉપરી ઉછળતી લહેરાના વેગથી ચક્ષુપથને આચ્છાદિત કરી દે છે.
સમુદ્રમાં ક્યાંક-ક્યાંક ગંભીર મેઘગર્જનાસમાન ગુંજતી, ઘોર ધ્વનિ સર્દેશ તથા પ્રતિધ્વનિ સમાન ગંભીર, ધધક્ ધ્વનિ સંભળાય છે. જે પ્રતિપથમાં રૂકાવટ કરનાર યા, રાક્ષસ, કુષ્માંડ, પિશાચ વ્યંતરો દ્વારા ઉત્પન્ન હજારો ઉત્પાદતોથી પરિપૂર્ણ છે. બલિ-હોમ-ધૂપ દઈને કરાતી દેવપૂજા અને લોહી દઈને કરાતી અર્ચનામાં પ્રયત્નશીલ, સામુદ્રિક વ્યાપારમાં નિરત નૌવણિકો દ્વારા સેવિત, જે કલિકાલના અંત સમાન છે. તે દુરંત છે. તે મહાનદીનો અધિપતિ હોવાથી અતિ ભયાનક છે. જેના સેવનમાં ઘણી મુશ્કેલી છે. જેનો પાર પામવો, આશ્રય લેવો કઠિન છે અને ખારાપાણીથી પરિપૂર્ણ હોય છે.
આવા સમુદ્રમાં પારકા દ્રવ્યના અપહારક, ઉંચો કરેલ કાળા અને શ્વેત ધ્વજવાળા, વેગથી ચાલતા, સજ્જિત વહાણો દ્વારા આક્રમણ કરીને, સમુદ્ર મધ્યે જઈને, સામુદ્રિક વ્યાપારીના વહાણને નષ્ટ કરી દે છે.
જે મનુષ્યો નિરનુકંપ, નિરાપેક્ષ, ધનસમૃદ્ધ એવા ગામ-આકરૂનગરએડ-કટ-મડબ-દ્રોણ મુખ-પાટણ-આશ્રમ-નિગમ-જનપદને નષ્ટ કરી દે છે. તે સ્થિરહદી, લારહિત લોકો માનવોને બંદી બનાવીને કે ગાયોને ગ્રહણ કરે છે. તે દારુણમતિક, કૃપાહીન, નિકોને હણે છે, ગૃહસંધિ છેદે છે, નિક્ષિપ્તને હરે છે. પારકા દ્રવ્યથી અવિરત એવા તે નિવૃણમતિ, લોકોના ઘરમાં રાખેલ ધન-ધાન્ય-અન્ય સમૂહોને હરી લે છે.
આ રીતે કેટલાંક અદત્તાદાનને ગદ્વેષનારા કાળ-કાળમાં સંચરતા, શ્મશાનમાં ફરતા ચિતામાં જલતી લોહી આદિ યુક્ત, અડધી બળેલી લાશો પડી છે. લથપથ મૃતકોને ખાઈ, લોહી પીને ફરતી ડાકિનીને કારણે અત્યંત ભયાવહ દેખાય છે. ત્યાં ગીધડો ખીં ધ્વનિ કરે છે. ઉલ્લુઓના ઘોર શબ્દો થાય છે. ભયોત્પાદક અને વિદ્રુપ પિશાચો દ્વારા અટ્ટહાસ્ય કરવાથી અતિશય બિહામણુ અને અરમણીય થઈ રહ્યું છે, તે તીવ્ર દુર્ગંધ વ્યાપ્ત અને જુગુપ્સિત હોવાથી ભીષણ લાગે છે.
આવા શ્મશાન સ્થાન સિવાય શૂન્યગૃહ, લયન, તરાપણ, ગિરિકંદરા, વિષમ સ્થાન, શ્વાપદ સ્થાનોમાં કલેશ પામે છે. શીત-તપથી શોષિત શરીર, બોલ ત્વચા, નક-તિચભવરૂપ ગહનવનમાં થનારા નિરંતર દુઃખોની અધિકતા દ્વારા ભોગવવા યોગ્ય પાપકર્મનો સંચય કરે છે. તેમને ભઠ્ય અન્ન-પાન દુર્લભ