Book Title: Agam 10 Prashnavyakaran Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 49
________________ ૧/૪/૧૯ ૧૮૨ પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ • સૂત્ર-૧૯ (અધુરેથી) : વળી બલદેવ, વાસુદેવ જેવા પર પુરષો, મહાબળ અને પરાક્રમવાળા, મોટા ધનુષને ચડાવનાર, મહા સવના સાગર, દુધર, ધનુધર, નરવૃષભ, રામ અને કેશવ ભાઈઓ વિશાળ પરિવાર યુક્ત હોય છે. વસુદેવ, સમુદ્રવિજયાદિ દશાહ, પ્રધુમ્ન-પ્રતીવ-શાંભ-અનિરુદ્ધ-નિષધ-ઉભુક-સારણ-ગજ-સુમુખ-દુર્મુખ આદિ યાદવો અને સાડા ત્રણ કરોડ કુમારોના હૃદયને પ્રિય હોય છે. તેઓ રોહણી અને દેવકી દેવીના હૃદયમાં આનંદ ઉત્પન્ન કરનારા છે, ૧૬,ooo રાજ તેને અનુસરે છે. ૧૬,૦૦૦ સુનયના રાણીના હૃદય વલ્લભ હોય છે. તેમના ભંડાર વિવિધ મણી, વર્ણ, રન, મોતી, મુંગા, ધન, ધાન્યના સંચયરૂપ ઋદ્ધિથી ભરપુર રહે છે. હજારો હાથી, ઘોડા, રથના અધિપતિ છે, હજારો ગામ, આકર, નગર, ખેડ, કબૂટ, મર્ડબ, દ્રોણમુખ, પાટણ, આશ્રમ સંવાહમાં સ્વચ્છ, સ્થિર, શાંત, પ્રમુદિત લોકો નિવાસ કરે છે, ત્યાં વિવિધ ધાન્ય ઉપજાવનારી ભૂમિ, મોટા સરોવર, નદી, નાના તળાવ, પર્વત, વન, આરામ, ઉધાન હોય છે. તેઓ દક્ષિણ વૈતાગિક્ષિી વિભકત, લવણસમુદ્ર પરિગત, છ પ્રકારની કાલગુણકામ સુકd અર્ધભરતના સ્વામી હોય છે. [આ બળtવ, વાસુદેવ ધીર, કિતવાળા પુરયો છે તેઓ ઘબલી, અતિબકી, અનિહd, અપરાજિત ગુમન રિપુસહસ્ત્રનું મથન કરનારા, દયાળુ, મત્સરી, અચપહ, અચંડ, મિત-મંજુલભાષી, હસિત-ગંભીર-મધુર વચની, અભ્યગત વત્સલ, શરણય લક્ષણ-વ્યંજન-ગુણોથી યુક્ત, માન-ઉન્માન-માણ પતિપૂર્ણ, સુજાત, સવગ સુંદર શરીરી, શશિ સૌમ્યાકાર કાંતપ્રિયદર્શની, અપરાધને સહન ન કરનાર, પ્રચંડ દંડ પ્રચારી, ગભીર દર્શનવાળા હોય છે. લાલદેવની ઉંચી ધ્વજ તાડવૃક્ષના ચિહથી અને વાસુદેવની ધ્વજ ગરુડથી અંક્તિ હોય છે. ગda દર્ષિત મુષ્ટિક ચાણૂર મૂઆ, રિષ્ટ વૃષભઘાતી, કેશરી સીંહના મુખને ફાડનાર, દપનાગના દપનું મથન કરનાર, યમલ આજુનના ભંજક, મહાશકુની અને પુતનાના ઝુ, કંસના મુગટનો ભાંગનારા, જરાસંઘના માનનું મથન કરનારા છે. સઘન, એકસરખી, ઉંચી શલાકાથી નિર્મિત તથા ચંદ્ર મંડલની સમાન પ્રભાવાળા, સૂર્ય કિરણરૂપી કવચને વિખેરનાર. અનેક પ્રતિદંડયુકત છત્રોને ધારણ કરવાથી ઘણાં શોભે છે. તેમના બંને પડખે ઢોળાતા ચામરોથી સુખદ, શીતળ પવન વાય છે. જે ચામર પ્રવર ગિરિયુહરમાં વિહરતી ગાયોથી પ્રાપ્ત થાય છે. નીરોગી ચમરી ગાયનો પૂછમાં ઉત્પન્ન થયેલ, અજ્ઞાન, શ્વેત કમળ, વિમુકુલ-ઉજ્જવળરજતગિરિનું શિખરુ, વિમલ ચંદ્ર કિરણ સર્દેશ અને ચાંદી સમાન નિર્મળ હોય છે. પવન વડે આહd, ચપળ, ચલિત, સલલિલત, પુનર્તિત લહેરોનો પ્રસાર તથા સુંદર ક્ષીરસાગરના સલિલપ્રવાહ સમાન ચંચળ હોય છે. માનસરોવરના વિસ્તારમાં પરિચિત વાસવાળી, શેત વર્ણવાળી, સ્વણગિરિ ઉપર સ્થિત, ઉપર-નીચે ગમન કરનાર અન્ય ચંચળ વસ્તુને માત કરનાર વેગથી યુકત હસીની સમાન હોય છે. વિવિધ મણી તથા તપનીય વર્ષના બનેલ વિચિત્ર દંડવાળા, લાલિત્યયુકત અને નરપતીની લક્ષ્મીના અભ્યદયને પ્રકાશિત કરે છે. ઉત્તમ પટ્ટણોમાં નિર્મિત, સમૃદ્ધ રાજકુળ વડે સેવિત, કાળો અગ-અવર કુંદ્રકન્ડરકની ધૂપથી ઉત્પન્ન સુગંધ સમૂહથી સુગંધિત હોય છે. આવા ચામર બંનેના પડખામાં વીંઝાય છે. જેનાથી સુખપદ તથા શીતળ પવન પસાર થાય છે. બલદેવ, વાસુદેવઅજિત, અજિતરથવાળા, હલ મુસલ અને બાણધારી, શંખ ચક ગદા શક્તિ નંદગધારી, અતિ ઉજ્જવળ સુનિર્મિત કૌસ્તુભમણિ અને મુગટધારી, કુંડલથી પ્રકાશિત મુખમંડળવાળા, પુંડરીક નયના, કાવલીથી શોભિત કંઠ, વાળ વાળા, જીવસ સુલક્ષણા હોય છે. ઉત્તમ યશસ્વી હોય છે. સર્વઋતુક સુરભિ કુસુમથી ગ્રથિત લાંબી, શોભાયુકત, વિકસિત વનમાળાથી તેમનું વક્ષસ્થળ શોભે છે. તેમના અંગોપાંગ ૧૦૮ માંગલિક અને સુંદર લક્ષણોથી સુશોભિત છે. તેમની ગતિ મત્ત ઉત્તમ હાથીની ગતિ સમાન લલિત અને વિલાસમય હોય છે. કટીગ-નીલા પીળા વસ્ત્રધારી, પ્રવર દિપ્ત તેજવાળા, શારદીય-નવસ્વનિત-મધુરગંભીર-નિશ્વ શોધવાળા, નરસીંહ, સહવિક્રમગતિ, મોટા રાજસીંહને સમાપ્ત કરી દેનાર, સૌમ્ય હોય છે. હારવતીના પૂર્ણ ચંદ્રમા છે. પૂવકૃત તપના પ્રભાવવાળા નિર્વિષ્ટ સંચિત સુખવાળા, અનેકશત વર્ષના આયુવાળા, વિવિધ જનપદની પત્ની સાથે વિલાસ કરતા, અતુલ્ય શબ્દ-સ્પ સ-ગંધને અનુભવતા પણ તેઓ કામભોગોથી તૃપ્ત થયા વિના મૃત્યુ ધર્મને પામે છે. • વિવેચન-૧૯ (અધુરેથી) : મૂવ શબ્દ નિપાત છે. બળદેવ, વાસુદેવો કેવા તે કહે છે ? પ્રવર પુરુષો. તેઓ આવા કેમ છે ? કેમકે મહાબલ પરાક્રમી છે. તેમાં બળ-શારીરિક, પ્રાણ, પરાક્રમસાધિત અભિમતફળ, તેથી જ મહાધને ખેંચનાર, • x • દુર્બર-પ્રતિસ્પર્ધી વડે અનિવાર્ય, ધનુર્ધ-પ્રધાન ધનુધારી, તરવૃષભ-મનુષ્યોમાં પ્રધાન. જે બલદેવ, વાસુદેવોમાં આ અવસર્પિણીમાં નવમાં સ્થાને હતા, ઘણાં લોકોમાં પ્રસિદ્ધ અદભત જનચરિત હતા તેઓ પણ મરણને પામ્યા, તે બતાવે છે અથવા બલદેવાદિને નામાંતર થકી બતાવે છે - રામ અને કેશવ, તે બંને ભાઈઓ છે. સપરિષદ અર્થાત્ સપરિવાર. દશ દશાર્હ આ છે - સમુદ્રવિજય, અક્ષોભ, સ્વિમિત, સાગર, હિમવાનું, અચલ, ધરણ, પૂરણ, અભિચંદ્ર અને વસુદેવ. તથા પ્રધુમ્ન, પ્રતિવ, શાંબ આદિ યદુના સંતાનો હતા તે સાડા ત્રણ કરોડ કુમારો હતા. હદયદયિત-વલ્લભ હતા. આ બધા અંતિમ બલદેવ [વાસુદેવ આશ્રિત વિશેષણ જાણવા. સુવર્ણ એ મેરુ પર્વતનું વિશેષણ છે. દેવીઓમાં રામની માતા રોહિણી અને કણની માતા દેવકી હતા. આનંદ લક્ષણ જે હૃદયના ભાવ, તેના નંદનકર-વૃદ્ધિકર હતા. તથા ૧૬,૦૦૦ રાજા માર્ગને અનુસરતા હતા અને ૧૬,ooo દેવી (રાણી] ના

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95