________________
૧/૨/૧૧
૧૪૯
૧૫o
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ
અકસ્માત.. ઉષ્ટ્ર-ઉંટ. ગોણ-ગાય, ગવય-આટલ્ય પશુ વિશેષ. દખ્યનાં-દમો. પરિણતવયસ-સંપન્ન અવસ્થા વિશેષ, તરુણ, કુકકુટ-મરઘા, ક્રીયંત-મૂલ્ય વડે લેનાર, કાપયેતતેને વેચનાર, પિયહ-મદિરાદિ પીવડાવવી. વાયનાંતસ્થી ખાય, પીએ અને આપે.
દાસી-ચેટિકા, દાસ-ચેટક, મૃતક-ભોજન આપીને પોપેલ, ભાઈલ્લગ-ભાગીયા, ચોથો ભાગ લેનાર, પ્રેપ્યજન-પ્રયોજનથી મોકલાય છે. કર્મકર-નિયતકાલ માટે આજ્ઞા પાળનાર, કિંકર-આજ્ઞાપુરી થતાં ફરી પ્રગ્ન કરનાર. આ સ્વજન-પરિજન કેમ બેઠા છે ? આમનું વેતન ચૂકવી દો, તેથી તમારું કાર્ય કરે. • x • ગહન-સઘન, વનવનખંડ, હોમ-ધાન્ય વપન ભૂમિ, ખિલભૂમિ-હળ વડે ન ખેડાયેલ ભૂમિ. વલ્લરક્ષેત્રવિશેષ. તેને ઉતૃણ-ઉર્વ ગત વણ, ઘન-અત્યર્થ, સંકટ-સંકીર્ણ તેને બાળી દો. પાઠાંતરચી ગહનવનને છેદો. અખિલ ભૂમિ આદિના તૃણને બાળી નાંખો. તે વૃક્ષોને ભેદો, છેદો. યંત્ર-તલ પીડન ચં. ભાંડ-ભાજન, કુંડાદિ. ભંડી-ગંગી. ઉપધિ-ઉપકરણના હેતથી, વિવિધ પ્રયોજનથી વૃક્ષો કપાવો. ધન માટે શેરડી કપાવો. તલ પીલાવો ઘર માટે ઇંટો પકાવો. * * * * *
લઘ-જલ્દી. નગઅવિદ્યમાન કર, બૈટ-કુનગર, ક્યાં? અટવી દેશમાં. • x - કાલપdઅવસર પ્રાપ્ત. - X - અના-લઘુ, મહાંત-તેની અપેક્ષાએ મધ્યમ, ઉત્કૃષ્ટઉત્તમ. પોતસાર્થ-નૌકાદલ કે નૌકા વ્યાપારીઓ. સેના-સૈન્ય, નિર્ધાતુનીકળ્યા. ડમરયુદ્ધ સ્થાન, ઘો-રૌદ્ધ, વર્તતા-પ્રયાણ કરે. સંગ્રામ-રણ. પ્રવહનુ-પ્રવર્યા. * ઉપનયન-બાળકોને કલાગાહણ. ચોલગ-મુંડન સંસ્કાર, વિવાહ-પ્રાણિગ્રહણ, યજ્ઞ-યાગ. કરણ-બવ આદિ, મુહૂર્ત-રૌદ્ધ આદિ ત્રીશ, નત્ર-પુષ્યાદિ, તિથિ-નંદા આદિમાંથી કોઈ, કાઇ આજના દિવસે, ખપત-સૌભાગ્યપુત્રાદિ અર્થે વધુ આદિનું નાન. મુદિતપ્રમોદવાળા. બહુ ખાધપેયકલિત-ઘણાં માંસ-મધ આદિ યુક્ત. કૌતુક-રક્ષાદિ. વિહાવણકવિવિધ મંત્રમૂલ આદિ વડે. સંસ્કારેલ જળવી. • x - ચંદ્ર, સૂર્યનું રાહુ વડે ગ્રહણ છે શશિરવિગ્રહોપરાગ, દુ:રવર્ત-અશિવાદિમાં. શા માટે? સ્વજન, પતિ અને નિજકના જીવિત અને પરિરક્ષણાર્થે. પ્રતીશીર્ષક-લોટ આદિનું બનેલ મસ્તક, પોતાના મસ્તકની રક્ષાર્ગે ચંડિકાદિદેવીને આપે તથા પશુ આદિના મસ્તકની બલિ દેવતાને ચડાવે.
વિવિધ ઔષધિ, મધ, માંસ, ભઠ્ય, અન્ન, પાન, માળા, અનુલેપનાદિ, બળતો એવો દીપ અને સુગંધી ધુપનું અંગારોપણ. પુષ્પ અને ફળ વડે સમૃદ્ધ જે મસ્તકની બલિદેવી. પ્રાયશ્ચિત્ત-પ્રતિવિધાન કરે. કોના વડે ? - હિંસા વડે. બહવિધ-અનેકવિધ. શા માટે ? વિપરિત ઉત્પાત અશુભસૂચક પ્રકૃતિવિકાર, દુઃસ્વપ્ન અને પાપશુકન. અસૌમ્યગ્રહmરિત-કૂરગ્રહસ્થાન અને અમંગલ જે નિમિત-ગસ્કૂરણાદિ. આ બધાંના પ્રતિઘાતહેતુ-ઉપહનન નિમિતે તથા વૃત્તિચ્છેદ કરો. કોઈને દાન ન આપશો. તે મરાયો તે સારું થયું ઈત્યાદિ • x •
આ રીતે વિવિધ પ્રકારે-ત્રણ પ્રકારે અસત્ય આચરે છે. દ્રવ્યથી અસત્ય ન હોવા છતાં પણ જીવના ઉપઘાતના હેતુપણાચી ભાવથી અસત્ય જ છે. મન-વચનકાયા વડે તેનું સૈવિધ્ય છે.
આ રીતે જે રીતે અલિક કરાય અને જેઓ અલિક કરે છે, આ બે દ્વાર મિશ્રા પરસ્પરથી કહ્યા. હવે જેઓ તેને કરે છે, તેને ભેદથી કહે છે. અકુશલ-વકતવ્ય અવક્તવ્ય વિભાગમાં અનિપુણ. અનાર્ય-પાપકર્મથી દૂર ન જનારા. અલિયાણ-ચાલીકા, આજ્ઞા-જેમાં આગમ છે તે. તેથી જ અલીકધર્મમાં નિરd. અલીકા કથામાં મણ કરતા. વિવિધ પ્રકારથી અસત્ય સેવીને સંતોષ અનુભવે છે.
હવે અસત્યનો ફળવિપાક પ્રતિપાદન કરતા કહે છે - • સૂગ-૧૨ :
ઉકત અસત્યભાષણના ફળવિપાકથી અજાણ લોકો નરક અને તિર્યંચયોનિની વૃદ્ધિ કરે છે. જ્યાં મહાભયંકર, અવિશ્રામ, બહુ દુઃખોથી પરિપૂર્ણ અને દીર્ધકાલિક વેદના ભોગવવી પડે છે. તે અસત્ય સાથે સારી રીતે જોડાયેલા ભયંકર અને દુર્ગતિને પ્રાપ્ત કરાવનારા અંધકાર રૂપ પુનર્ભવમાં ભટકે છે. તે પણ દુઃખે કરી અંત પામે તેવા, દુર્ગત, દુરંત પરતંત્ર, અર્થ અને ભોગથી રહિત, સુખરહિત રહે છે. તેમાં ફાટેલ ચામડી, બીભત્સ અને વિવર્ણ દેખાવ, કઠોર સ્પર્શ, રતિવિહિન મલીન અને સારહીન શરીર વાળા, શોભાકાંતિથી રહિત, અષ્ટ વિફલવાણીયુકત, સંસ્કાર-સત્કાર રહિત, દુર્ગધયુક્ત, ચેતનારહિત, અભાગી, અકાંત, અનિષ્ટ સ્વરવાળા, હીન-ભિન્ન અવાજવાળા, વિહિંસ્ય, જsબધિર-ધ, મમય, અમનોજ્ઞ-વિકૃત ઈન્દ્રિયવાળા, નીચ, નીચજનસેવી, લોક વડે ગéણીય, નૃત્ય, સર્દેશ લોકોના પેણ, દુર્મેધા, લોકવેદ-આધ્યાત્મશાસ્ત્રશ્રુતિ વર્જિત, ધર્મબુદ્ધિહીન થાય છે.
તે અસત્યરૂપી અનિથી બળતા, શાંત, અપમાન, પીઠ પાછળ નિદાતા, આસોપ-ચાડી-પરસ્પર ફૂટ આદિ સ્થિતિ પ્રાપ્ત રજન-બંધસ્વજન-મિગજનના તીણ વચનોથી અનાદર પ્રાપ્ત હોય છે. અમનોરમ, હદય-મનને સંતાપEાયી, જીવનપર્યન્ત દદ્ધર અભ્યાખ્યાન પ્રાપ્ત, અનિષ્ટ-તીણ-કઠોર-મમવિધી વયનોથી તના, ભત્સના, ધિક્કારથી દીનમુખ અને ખિન્ન ચિત્તવાળા હોય છે. ખરાબ ભોજન-વા-વસતીમાં કલેશ પામતા સુખ-શાંતિ વગરના, અત્યંત-વિપુલસેંકડો દુઃખોની અગ્નિમાં બળે છે.
આ અસત્ય વચનનો લોક-પરલોક સંબંધી ફલવિપક છે તેમાં આવાસુખ, બહદુ:ખ, મહાભય, પ્રગાઢ કમરજ-બંધનું કારણ છે. તે , કર્કશ, અશાતારૂપ છે. હજારો વર્ષ તેમાંથી છુટાય છે. તેને ભોગવ્યા વિના મુક્તિ મળતી નથી.
આ પ્રમાણે જ્ઞinકુલનંદન, મહાત્મા, જિન વીરવર નામ ધેય અસત્ય વચનનો ફળવિપાક કહે છે.
આ બીજું મૃષાવાદ નામે અધર્મદ્વાર છે. હલકા અને ચંચળ લોકો તેનો પ્રયોગ કરે છે. તે ભયંકર દુઃખકર આયશકર, વૈરકરઅરતિ-રતિ-રાગ-દ્વેષમનસંકતેશ ઉત્પન્ન કરનાર છે. જૂહ-માયા-સાતિયોગની બહુલતાયુકત, નીચજના સેવિત, નૃશંશ, અવિશ્વાસકારક, પરમ સાધુજનથી ગર્હણીય, પર પીડાકારક,