Book Title: Agam 08 Ang 08 Antkrut Dashang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૨૫
નવાઇ નથી. અને પૂ. શ્રી ઘાસીલાલજીના બનાવેલાં સૂત્રા જોતાં સૌ કાઇને ખાત્રી થાય તેમ છે કે દામેાદરદાસભાઈએ તેમજ સ્થાનકવાસી સમાજે જેવી આશા શ્રી ઘાસીલાલજી મ. પાસેથી રાખેલી તે ખરાખર ફળીભૂત થયેલ છે.
શ્રી વમાન શ્રમણુસંઘના આચાર્ય શ્રી આત્મારામજી મહારાજે શ્રી ઘાસીલાલજી મહારાજના સૂત્રા માટે ખાસ પ્રશંસા કરી અનુમતિ આપેલ છે તે ઉપરથી જ શ્રી ઘાસીલાલજી મ.ના સૂત્રાની ઉપયેાગિતાની ખાત્રી થશે.
આ સૂત્રેા વિદ્યાર્થીને, અભ્યાસીને તેમજ સામાન્ય વાંચકને સર્વાંને એક સરખી રીતે ઉપયેગી થઇ પડે છે વિદ્યાથીને તેમજ અભ્યાસીને મૂળ તથા સંસ્કૃત ટીકા વિશેષ કરીને ઉપયેગી થાય તેમ છે ત્યારે સામાન્ય હિન્દી વાંચકને હિન્દી અનુવાદ અને ગુજરાતી વાંચકને ગુજરાતી અનુવાદથી આખુ સૂત્ર સરળતાથી સમજાય જાય છે.
કેટલાકાને એવા ભ્રમ છે કે સૂત્ર વાંચવાનું આપણું કામ નહિ સૂત્રા આપણને સમજાય નહિ. આ ભ્રમ તદ્ન ખોટો છે. ખીજા કાઈપણ શાસ્રીય પુસ્તક કરતાં સૂત્ર સામાન્ય વાંચકને પણ ઘણી સરળતાથી સમજાય જાય છે. સામાન્ય માણુસ પણ સમજી શકે તેટલા માટે જ ભ. મહાવીરે તે વખતથી લેક ભાષામાં (અ માગધી ભાષામાં) સૂત્ર બનાવેલાં છે. એટલે સૂત્રા વાંચવાં તેમજ સમજવામાં ઘણાં સરળ છે.
માટે કાઇ પણ વાંચકને એને ભ્રમ હોય તો તે કાઢી નાંખવા. અને ધર્મનું તેમજ ધર્મના સિદ્ધાંતાનું સાચું જ્ઞાન મેળવવા માટે સૂત્ર વાંચવાને ચૂકવું નહિ એટલું જ નહિ પણ જરૂરથી પહેલાં સૂત્રાજ વાંચવા.
સ્થાનકવાસીએમા આ શ્રી સ્થા. જૈન શાસ્રોદ્ધાર સમિતિએ જે કામ કર્યું. છે અને કરી રહી તે તેવું કેઇ પણ સંસ્થાએ આજ સુધી કર્યું" નથી. સ્થા. જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિના છેલ્લા રિપોર્ટ પ્રમાણે ખીજા છ સુત્રા લખાયેલ પડયાં છે, એ સૂત્રો-અનુયાગદ્વારા અને ઠાણાંગ સૂત્રો-લખાય છે તે પણ થાડા વખતમાં તૈયાર થઈ જશે. તે પછી ખાકીના સૂત્રો હાથ ધરવામાં આવશે.
તૈયાર સૂત્રા જલ્દી છપાઈ જાય એમ ઇચ્છીએ છીએ અને સ્થા. ખંધુએ સમિતિને ઉત્તેજન અને સહાયતા આપીને તેમનાં સૂત્ર ઘરમાં વસાવે એમ ઇચ્છીએ છીએ. જૈન સિદ્ધાન્ત' પત્ર – મે ૧૯૫૫
શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર
*