Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 07
Author(s): Ramchandrasuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 288
________________ ૧૮ : જ્યાં ભાવના લુખી, ત્યાં સમ્યગ્દર્શન નહિ ? ગુણ ગમે તો ગુણીની પૂજા થાય ? અનંત ઉપકારી સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજા સમજાવી ગયા કે સંસાર દુઃખમય છે અને વિષયાધીન આત્માઓ દુઃખમાં પણ સુખની કલ્પના કરીને વધુ ને વધુ દુઃખી થાય છે. હવે ધૂતવાદની શરૂઆત કરતાં પહેલાં માયા ભો ! શુસૂરત મો ! - એમ કહીને શિષ્યને આમંત્રણ કરીને સાંભળવાનો અર્થી બનાવે છે અને સાવધાન બનીને સાંભળવાનું કહે છે. અર્થીપણું ન આવે ત્યાં સુધી વસ્તુનો સ્વીકાર થઈ શકતો નથી. આ બધી વાતોનું વર્ણન કરતાં આપણે એ મુદ્દા પર આવ્યા કે સમ્યગ્દષ્ટિને સર્વવિરતિપણાના અને દેશવિરતિપણાના મનોરથ હોય પણ છતી સામગ્રીએ જિનપૂજા, ગુરુભક્તિ તથા જિનવાણી શ્રવણના માત્ર મનોરથ કરે એ ન ચાલે. એ બધું કરવું સારું માને છતાં શક્તિ મુજબ કરે નહિ તો વસ્તુતઃ એનામાં સમ્યક્ત નથી એમ કહેવાય. ગુણીના ગુણનો સ્વીકાર કઠિન પણ ગુણનું અનુમોદન કઠિન હોય ? અનુમોદન, નમન અને પ્રસંગે પ્રસંગે પ્રશંસા, એ કેમ ન બને ? સુધર્મા ઇંદ્ર તો અવિરતિ હતા ને ? પ્રભુના સંયમ, તપ, ધ્યાન વગેરેનું પાલન કરવાની એમનામાં શક્તિ ન હતી પણ પ્રશંસાદિ કરવાની શક્તિ તો હતી ને ? તો પ્રસંગે પ્રસંગે એ કરતા ને ? સમ્યક્તની કરણી કરવામાં ધીરતા તો હોય ને ? વ્રતો લેવાની શક્તિ ન હોય, સંસારનો ત્યાગ કરી સાધુપણું લેવાની શક્તિ ન હોય એ મનાય પરંતુ શ્રી જિનપૂજનાદિ કરણીમાં પણ માત્ર મનોરથ કરે એ મનાય ? આ તો ખૂબી એ છે કે ગુણની અનુમોદના કરવી નહિ, ગુણીને દેખીને ઝૂકવું નહિ અને ગુણાનુરાગી કહેવરાવવું એ બને ? શ્રેણિક મહારાજા ગુણાનુરાગી હતા. જ્યાં ગુણ દેખાય ત્યાં ઝૂકતા. પ્રભુને વાંદવા જાય પણ માર્ગમાં પ્રભુના શિષ્ય મળે તો એમને પણ વાંઘા વિના એ આગળ વધતા નહિ. માર્ગમાં સામે મળતા ગુણીની ઉપેક્ષા કરનારો ત્યાં જઈ પ્રભુનું બહુમાન શી રીતે કરે ? મંદિરમાં એકદમ ઉતાવળથી પેસનારો, પગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314