Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 07
Author(s): Ramchandrasuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 308
________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ એ જ ભવમાં મોક્ષે જવાના છે એ નક્કી જાણવા છતાં દીક્ષા લે, ત્યાગ કરે, સંયમ પાળે અને પાંચે પદને નમે છે. ૨૯૨ સભા : આપ ‘અઠ્ઠાઈજ્જેસ' બોલો ? હા ! તમારે અને અમારે બોલવાનું સ્થાનફેર છે પણ બોલવાનું તો ખરું. સર્વજ્ઞને જાપ બાકી રહેતો નથી. જાણવાનું તે જાણ્યું અને જોવાનું તે જોયું. 2000 સભા : તીર્થંકર બોલે કઈ ભાષામાં ? ૐકાર ધ્વનિ મસ્તકમાંથી નીકળે અને એમાંથી ભાવ સમજી ગણધર સમજાવે ? ના, એવો દુભાષિયો કોર્ટની જેમ અહીં નથી. ભગવાન અર્ધમાગધી ભાષામાં બોલે અને તે સર્વને પોતપોતાની ભાષામાં પરિણમે. એ વાણીનો અતિશય છે. ભગવાન માલકોશ રાગમાં બોલે છે. અર્ધમાગધી એટલે એમાં બીજી ભાષા ભળેલી હોય. એ ભાષા સર્વત્ર રૂઢ હોય. દેવતા પણ એ ભાષામાં બોલે. માલકોશ રાગમાં બોલવાનો હેતુ એ કે એમાં રસ વધુ આવે. ભગવાન દેશના દે માલકોશ રાગમાં અને દેવતા એમાં દિવ્યધ્વનિનો સૂર પૂરે. ભગવાનની દેશના મધુર તો છે જ પણ દેવતા તો ભક્તિથી એમ કરે છે. ટોળું અને સંઘનો ભેદ સમજો : સંઘ શબ્દના અર્થમાં ગોટો વળી ગયો છે. ટોળું અને સંઘનો ભેદ સમજો. ‘લોકવિરુદ્ધ’ શબ્દના અર્થની જેમ આમાં ગોટાળો થયો છે. જે કાર્યો લોકવિરુદ્ધ છે એનો ત્યાગ ખરો પણ લોક જેનો વિરોધ કરે એનો ત્યાગ નહિ. લોકવિરુદ્ધ કાર્યો તો નિયત છે. જેમ કે નિંદા કોઈની પણ ન થાય. સાધુજનોને ન સંતાપાય વગેરે. બાકી લોક જેનો વિરોધ કરે એ ન થાય એવો કાયદો કરીએ તો પચાસ આનો વિરોધ કરે તો સો તેનો વિરોધ કરે, કોઈ ઓઘાનો વિરોધ કરે તો કોઈ ચાંલ્લાનો કરે. હવે એમાં કોનો વિરોધ માનવો ? ‘નમુન્થુણં'માં પાંચ વાર લોક શબ્દ આવે છે. પાંચે સ્થળે શબ્દના અર્થ જુદા છે. ‘લોગનાહાણું’ એટલે લોકના નાથ. કયા લોકના નાથ ? નાથ તે કે જે આશ્રિતનું યોગક્ષેમ કરે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ન પામ્યા હોય તેને પમાડે અને પામ્યા હોય તેની રક્ષા કરે. એ નાથ અભવીના નાથ થાય ? ન થાય. યોગ અને ક્ષેમના અર્થીના થાય, યોગ અને ક્ષેમ પામવાની યોગ્યતાવાળાના થાય. ‘લોગહિયાણં’માં હિતની વાત છે, ત્યાં બધા પર હિતબુદ્ધિ છે. હવે જેમ આગળ ગયા તેમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 306 307 308 309 310 311 312 313 314