Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 07
Author(s): Ramchandrasuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 298
________________ ૨૮૨ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૭ – 10 ઠેકાણું ન હોય અને દુરાગ્રહનો પાર ન હોય એને સમ્યગ્દષ્ટિ શી રીતે કહું ? એને તો મિથ્યાદૃષ્ટિ કહેવો પડે ને એ પાછો પોતાને ગુણવાન મનાવે તો એને દંભી પણ કહેવો પડે. તમને કોઈએ કાંઈ કહ્યું? જૈનકુળમાં જન્મેલા સમજવા છતાં અધમ આચારો આચરે એને તો કહેવાય ને ? કદાચ કોઈ સંયોગવશ રાત્રે બાય એ વાત જુદી પણ રાત્રે ખાવાથી કાંઈ મુક્તિ અટકી જવાની નથી એમ બોલે તેને શું કહેવું ? મુક્તિ શાથી અટકે ? સંયમથી અને અસંયમથી એમ બેયથી મુક્તિ થાય એવો કોઈ સ્યાદ્વાદ છે ? બાળકોમાં સંસ્કાર ન પાડો એ તમારી ખામી : કહે છે કે છોકરાં રાત્રે દૂધ પીવે એમાં શો વાંધો ? પણ એ ટેવ પડી ગયા પછી મોટો થયે પણ શાનો છોડે ? રાતે દૂધ ન પીવે તો છોકરાં મરી જાય ? જેના ઘરમાં કંદમૂળ બિલકુલ ન આવે અને રાત્રિભોજન ન હોય એવાં ઘર કેટલાં ? શ્રાવકથી રાત્રે પાણી ન પીવાય, એ તો એના જીવનમાં સિદ્ધ વસ્તુ હોય. પૂર્વે તો કુળની વ્યવસ્થા ન હતી ત્યારે ઘરમાં એક જૈન હોય અને બીજા અર્જન હોય. ક્ષત્રિય હોય તો માંસાહારી પણ હોય. ત્યારે વાત જુદી હતી. આજે તો દસા વીસાના ભેદ હોય છતાં બધા વાણિયા એમાં ભેદ નહિ. એટલે તમારાં બચ્ચાંઓમાં તમે સંસ્કાર પાડી શકો. સંસ્કાર ન પાડો તો એ તમારી ખામી. એ ખામીવાળાને ખામી બતાવું તેમાં બિનખામીવાળા શું કામ કૂદે ? છતાં કુદે તો એમને પણ ખામીવાળા માનું. અહીં ચોરનું વર્ણન કરું તો તમને ગુસ્સો આવે કે, કોઈ ચોર બેઠો હોય તો તેને આવે ? કંદમૂળની વાત કરું એમાં તમને શું લાગે ? કોઈ કંદમૂળ ખાતો હોય તો એને જરૂર લાગે. અભક્ષ્ય ભક્ષણથી તો બુદ્ધિ બગડી છે, માટે એને સુધારવા માટે એવી પ્રવૃત્તિ પર બંધન મૂકો. એવી પ્રવૃત્તિઓ ઉપર કાપ મૂકશો તો સ્વજન ધૂનન થશે. એ વિષયમાં હજી પણ ગ્રંથકર્તા વિશેષ શું ફરમાવે છે તે હવે પછી - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314