Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 04
Author(s): Ramchandrasuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 346
________________ ૨૦: એ, સંઘ નહિ; પણ હાડકાંનો માળો: પ્રમાદિત્યાગ શા માટે? સૂત્રકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા ફરમાવે છે કે સેંકડો ભવે પણ દુઃખથી મળે તેવું સમ્યકત્વ પામીને વિવેકી આત્માએ એક ક્ષણ પણ પ્રમાદી ન થવું જોઈએ. પ્રમાદ એટલે મદ્ય, વિષય, કષાય, નિદ્રા અને વિકથા. સરોવરના કાચબાનું દૃષ્ટાંત કહી ગયા. એ શેવાળની જાળથી છવાયેલા એક લાખ યોજનના સરોવરમાં પડેલ છિદ્ર દ્વારા કાચબાની ડોક બહાર નીકળી હોય, તે દ્વારા તે, તે વખતે શરદઋતુના ચંદ્રની ખીલી ઊઠેલી ચાંદનીથી શોભતું આકાશતલ જુએ અને જોઈને પોતાના કુટુંબને લેવા પાછો જાય અને એને જેમ ફરી તક મળવી એ અસંભવિત છે, એથી પણ અતિશય દુર્લભ સમ્યક્ત્વની પ્રાપ્તિ છે. ખરે જ, સમ્યક્ત્વ પામ્યા પછી પ્રમાદી થનારને ફરીથી એની પ્રાપ્તિ અતિશય દુર્લભ છે. અપૂર્વકરણાદિકના યોગે સમ્યક્ત્વ રત્ન સાંપડે અને પ્રમાદ આવે તો પાછા મિથ્યાત્વે જવું પડે, માટે પ્રમાદી (વિષયી-કષાયી) ન થવું જોઈએ, એવો ઉપદેશ પરમ ઉપકારી જ્ઞાનીઓએ વિહિત કર્યો છે. એથી સ્પષ્ટ જ છે કે જેનાથી આત્મા વિષયકષાયાદિ પ્રમાદમાં જડાય તેવો ઉપદેશ મુનિએ ન જ આપવો જોઈએ. વિવેકીનો એ જ ધર્મ છે કે પોતે પ્રમાદી ન બને ને બીજાને પ્રમાદી બનવાની સલાહ ન જ આપે. શ્રી જૈનશાસનને પામેલો કહે શું?, સાંભળે શું?, અને માને શું ? એ જ કે પ્રમાદ (વિષયકષાયાદિ), ન સેવવા ! શ્રી જૈનશાસનમાં દરેક આત્માથી પ્રમાદ છોડવાની ક્રિયા જ આનંદપૂર્વક થાય, પણ પ્રમાદ સેવવાની તો ન જ થાય. કદાચ દુર્ભાગ્યના યોગે પોતાને પ્રમાદોનું સેવન કરવું પડે, તો તેથી તે પોતાની પામરતા માને, પણ બીજો સેવે તો સારું એવી ભાવના તો એને ન જ થાય એટલું જ નહિ પણ બીજો પ્રમાદી ન થાય એવી બનતી કાળજી પોતે રાખે. આ અધ્યયન દ્વારા ધૂનન કરાવવું છે અને પ્રમાદની આધીનતા હોય ત્યાં સુધી ધૂનન થાય નહિ, એટલું જ નહિ પણ પ્રમાદ ખસે એટલે કે વિષયકષાયની રસિકતા ઓછી થાય તો ધનન થાય. આથી જ્ઞાનીઓ મુખ્યતયા એ જ ઉપદેશ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362