Book Title: Agam 01 Acharanga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 204
________________ ૧/૯/ર૬૯ થી ર૦૧ [૭૧] ભગવત ગૃહયુક્ત સ્થાને જાય તો તેનો સંપર્ક છોડીને ધ્યાનમાં જ લીન રહેતા હતા. કોઈ પૂછે તો પણ બોલતા નહીં. પોતાના માર્ગે ચાલતા. એ રીતે સરળ ચિત્તવાળા ભગવંત મોક્ષમાર્ગ ન ઉલ્લંઘતા. • વિવેચન : [૨૬૯-] પછી પુરુષ પ્રમાણ પૌરુષી અર્થાત્ આત્મપ્રમાણ માર્ગે જતાં ઇર્ચા સમિત થઈ જાય. અહીં ધ્યાન એટલે ઇસમિતિપૂર્વક ચાલવું તે. તે માર્ગ કેવો છે ? તિર્યમ્ ભિત્તિ એટલે ગાડાની ધુંસરી પ્રમાણે આગળ સાંકડો, આગળ જતાં પહોળો. કેવી રીતે જુએ છે ? આંખો વડે બરાબર યાના રાખીને જુએ. તેમને એ રીતે જતાં જોઈને કોઈ વખત બાળક, કુમાર આદિ ઉપસર્ગ કરે તે બતાવે છે - અહીં ‘ચક્ષુ' શબ્દ દર્શનનો પર્યાય છે. તે દર્શન વડે જ ડરેલા એકઠા થયેલા ઘણાં બાળક આદિ ધૂળની મુઠી વગેરેચી હણી હણીને ચાળા પાડવા લાગ્યા. બીજા બાળકોને બોલાવીને કહ્યું, જુઓ આ નાગો મુંડીયો છે. આ કોણ છે ? ક્યાંથી આવ્યો છે ? એમ કોલાહલ કરે. [૨૭૦-] વળી જેમાં સુવાય તે શયન-વસતિ. તેમાં કોઈ નિમિત્તથી ભેગા મળેલા ગૃહસ્ય કે અન્યદર્શની હોય, તે સ્થાને તેમને કોઈ સ્ત્રીઓ પ્રાર્થના કરે, ત્યારે તેને શુભ માર્ગમાં ભુંગળ સમાન પરિજ્ઞા વડે જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી, ત્યાગી મૈથુન ન સેવે શૂન્યગૃહમાં હોય ત્યારે ભાવ મૈથુન ન સેવે. આ પ્રમાણે તે ભગવંત પોતાના આત્મા વડે વૈરાગ્ય માર્ગે આત્માને દોરીને ધર્મધ્યાન કે શુકલધ્યાન ધ્યાવે. તથા [૨૭૧-] જે કોઈ ઘરમાં રહે તે ‘ગૃહસ્થો' છે. તેઓ સાથે કારણે ભેગા થતાં દ્રવ્યથી અને ભાવથી મિશ્ર ભાવ છોડીને તે ભગવંત ધર્મધ્યાન ધ્યાવે. તથા કોઈ નિમિતથી ગૃહસ્થ પૂછે કે ન પૂછે તેઓ ન બોલે. તેઓ પોતાના કાર્ય માટે જ જાય છે. તેઓ બોલાવે તો પણ ભગવંત મોક્ષ પથ કે પોતાના યાનને છોડતા નથી. તેઓ સંયમ અનુષ્ઠાનમાં વર્તતા હોવાથી ઋજુ છે. નાગાર્જુનીયા કહે છે, કોઈ ગૃહસ્થ પૂછે કે ન પૂછે, ભગવંત પોતે પાપમાં સંમતિ આપતા નથી. વળી • સૂત્ર-૨૭ર થી ૨૩૪ - (૨૨-] ભગવંત અભિવાદન કરનારને આશીર્વચન કહેતા ન હતા અને યહીન લોકો દંડથી મારે કે વાળ ખેચે તો તેમને શાપ આપતા ન હતા, પણ મૌન ધારણ કરીને રહેતા હતા. રિ૩-] ભગવંત દુસહ કઠોર શબ્દાદિની પરવા ન કરતાં સંયમમાં પરાક્રમ કરતા હતા. તેમને કથા, નૃત્ય, ગીત, દંડયુદ્ધ, મુષ્ટિયુદ્ધ આદિમાં કંઈ આશ્ચર્ય કે કુતૂહલ થતું ન હતું. (ર૭૪-] કોઈ વખતે પરસ્પર કામાદિ કથાઓમાં લીન લોકોને જોઈને જ્ઞાતપુત્ર મહાવીર હર્ષ કે શોક ન કરતા મયમ ભાવમાં રહેતા. અનુકૂળપ્રતિકૂળ ભયંકર પરીષહ-ઉપસર્ગનું સ્મરણ ન કરી સંયમમાં વિચરતા. આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ • વિવેચન-૨૭૨ થી ૩૪ : [૨૭૨-] હવે કહેવાતી વાત બીજાઓને સુકર નથી. સાધારણ પુરષો માટે સરળ નથી. છતાં ભગવંતે કેમ આચર્યું ? તે બતાવે છે - કોઈ અભિવાદન કરે તો પણ કંઈ બોલતા નહીં. અભિવાદન ન કરનાર પર કોપતા નહીં અને પ્રતિકૂળ ઉપસી કરનાર પર વિરૂપ ભાવ ધરતા નહીં. જેમકે - અનાદિશમાં વિચર્યા ત્યારે ભગવંતને તે અનાર્ય પાપીઓએ દંડા વડે માય. વાળ ખેંચી દુ:ખી કર્યા [તો પણ સમભાવમાં રહ્યા. વળી [૨૩] બીજા પાપીઓ કઠોર વચન વડે દુ:ખ દેતા, તેને ગણકાર્યા વિના ભગવંત જગતના સ્વભાવને જાણીને, ચાત્રિમાં પરાક્રમ બતાવી સમ્યક રીતે સહન કરતા, આખ્યાત, ગીત, નૃત્યને કૌતુક માનતા નહીં, દંડયુદ્ધ, મુષ્ટિયુદ્ધ સાંભળીને વિસ્મયયુક્ત કે ઉત્સુક થતા ન હતા. -તશા | [૨૭૪-] કોઈ પરસ્પર કથા કરતા હોય કે કદાગ્રહી હોય છે આ બીજાની કથામાં ગૃદ્ધ હોય, તે અવસરે ભગવંત મહાવીર હર્ષ છોડીને તે બધાની કથામાં મધ્યસ્થ રહીને જોતા. આ તથા બીજા અનુકૂળ-પ્રતિકૂળ પરીષહ ઉપસર્ગો થતાં સહન ન થાય તેવા અતિશય દુ:ખો આવે તો પણ તેને ન ગણતાં સંયમ અનુષ્ઠાનમાં પરાક્રમ કરતા. જ્ઞાત ક્ષત્રિયના પુત્ર વીર વર્ધમાનસ્વામી ભગવંત આ દુઃખોને સ્મરણમાં લાવતા નથી. અથવા ઘર એ શરણ છે, તે ન હોવાથી અશરણ અર્થાત સંયમમાં પરાક્રમ કરે છે. એમાં આશ્ચર્ય શું છે કે ભગવંત અપરિમિત બળ, પરાક્રમી, પ્રતિજ્ઞા રૂપ મેરુ પર્વતે આરૂઢ થઈ પરાક્રમ કરે છે ? ભગવંતે દીક્ષા લીધી ન હતી ત્યારે પણ પ્રાસુક આહારથી નિર્વાહ કરેલો. ભગવંતના માતા-પિતા મૃત્યુ પામ્યા ત્યારે પ્રતિજ્ઞા પૂરી થઈ જાણી દીક્ષા લેવા તૈયાર થતાં જ્ઞાતિજનોએ કહ્યું કે, ઘા પર મીઠું છાંટવા જેવું કેમ કરો છો ? ત્યારે ભગવંતે વિચાર્યું કે જો અત્યારે દીક્ષા લઈશ તો ઘણાં લોકો દુઃખી દુ:ખી થશે. તેથી તેમણે પૂછયું કે, કેટલો કાળ ઘેર રહેવું ? તેઓએ કહ્યું, બે વર્ષ. ભગવંત કહે, ઠીક, પણ આહાર આદિ મારી ઇચ્છાએ કરીશ. મારી ઇચ્છા તોડવી નહીં. તેઓએ પણ વિચાર્યું કે, આ રીતે પણ ભલે રહેતા. તેથી બધાં સંમત થયા. ત્યારપછી ભગવંતે તે વચનને અનુસરીને સાધુવૃતિએ રહ્યા. પછી પોતાનો દીક્ષાનો અવસર જાણીને સંસારની અસારતા સમજી તીપિવર્તન માટે ઉધત થયા. તે દશવિ છે • સૂગ-૨૫ ? દીક્ષા પુર્વે બે વર્ષથી કંઈક વધુ સમય ભગવંતે સચિત્ત જળનો ઉપભોગ ન કર્યો. ગૃહસ્થાવસ્થામાં પણ એકતભાવનાનું ચિંતન કરતા હતા. કોધાદિ કષાયને શાંત કરી, સમ્યક્ત ભાવનાથી ભાવિત થઈ રહેતા હતા. તેમના ઇન્દ્રિય અને મન શાંત હdi. • વિવેચન :ભગવંતે સાધિક બે વર્ષ સચિત જળનો ભોગ ન કર્યો. પગ ધોવાદિ કિયા

Loading...

Page Navigation
1 ... 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286