Book Title: Adhyatma Tattvalok
Author(s): Motichand Jhaverchand Mehta
Publisher: Abhaychandra Bhagwandas Gandhi

View full book text
Previous | Next

Page 947
________________ પ્રકરણ ] SPIRITUAL LIGHT. નાર સિદ્ધાનો, યદિ એક બીજા પર આક્ષેપ કરવામાં ઉતરે, તે તે અમાન્ય ઠરે છે. સમજી રાખવું જોઈએ કે નય આંશિક (અર્શતઃ) સત્ય છે; અને આંશિક સત્યને સંપૂર્ણતયા સત્ય માની શકાય નહિ, એ દેખીતું છે. આત્માને અનિત્ય માનવો, એ સર્વ અંશે સત્ય કહેવાય નહિ. જે સત્ય, એટલે અંશે હેય, તે સત્ય તેટલે અંશે માનવું, એજ યુક્ત ગણી શકાય છે. વસ્તુતઃ “ન કેટલા છે ?' એ ગણના થઈ શકે તેમ નથી. અભિપ્રાયો કે વચનપ્રયોગ જ્યારે ગણનાથી બહાર છે, તે ને તેથી જૂદા ન હોવાથી તેની ગણના હેઈ શકે નહિ. આમ છતાં મુખ્યતયા નયના બે ભેદ બતાવ્યા છે–દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક. મૂળ પદાર્થને “ દ્રવ્ય ” • કહેવામાં આવે છે. જેવી રીતે ઘટની માટી. મૂળ દ્રવ્યને પરિણામ પર્યાય ” કહેવામાં આવે છે. માટી અથવા કઈ પણ મૂળ પદાર્થને લગતો જે ફેરફાર થાય છે, તે બધો “ પર્યાય ' સમજ. “કવ્યાર્થિક” નય એટલે મૂળ પદાર્થ પર લક્ષ્ય આપના અભિપ્રાય અને “પર્યાયાર્થિક” નય એટલે પર્યાયને લક્ષ્ય કરનારે અભિપ્રાય. દ્રવ્યાર્થિક નય સમસ્ત પદાર્થોને નિત્ય માને છે. જેમકે-ઘડે મૂલદ્રવ્ય-કૃત્તિકારૂપે નિત્ય છે. પર્યાયાર્થિક નય સમસ્ત પદાર્થોને અનિત્ય માને છે, કેમકે સર્વ પદાર્થોમાં પરિવર્તન થતુ રહ્યા કરે છે. એ અનિત્યત્વ, પરિવર્તન થવા પૂરતું સમજવું, કારણ કે સમૂળ નાશ કે બિલકુલ અપૂર્વ ઉત્પાદ, કઈ વસ્તુને છે જ નહિ. પ્રકારાન્તરથી નયના સાત પ્રકારે દર્શાવ્યા છે–નગમ, સંગ્રહ, વ્યવહાર, જુસર, શબ્દ, સમભિરૂઢ અને એવદ્ભુત. નિગમ નિગમ” એટલે સંકલ્પ-કલ્પના. એ કલ્પનાથી થત વસ્તુવ્યવહાર નિગમ ” કહેવાય છે. એના ત્રણ પ્રકારે છે-“ભૂત નૈિગમ', “ ભવિષ્યનૈગમ ” અને “વર્તમાનનૈગમ.” થઈ ગયેલી વસ્તુને વર્ત * “ જાવરા વાળના તાવજયા રેવ હૃતિ નવાચા ” | –સમ્મતિસૂત્ર,” “સિદ્ધસેન દિવાકર. 798.

Loading...

Page Navigation
1 ... 945 946 947 948 949 950 951 952 953 954 955 956 957 958 959 960 961 962 963 964 965 966 967 968 969 970 971 972 973 974 975 976 977 978 979 980 981 982 983 984 985 986 987 988 989 990 991 992