Book Title: Abhinava Bhagawat Part 2
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 288
________________ ઉષા–અનિરુદ્ધ ગાંધર્વવિવાહ દુષ્ટબલ વધે ત્યારે, મદાંધતાય વધશે; કઈ ને કઈ રીતે ત્યાં, સંતાનપીડા આવશે. ૧ તે નિમિત્તે જશે નકકી, સર્વાગીણ મદાંધતા; નમવું પડશે ત્યાં તે, જ્યાં સંપૂર્ણ નમ્રતા. ૨ લાધે સ્વપ્ન છતાં પ્રીતિ, જે હાયે સત્ય કાયમી તે ઝંઝાવાતથી ઝાંખી, તે કદી પડતી નથી. ૩ રાજા પરીક્ષિતજીએ શુકદેવજીને પૂછયું : “મહાગ સંપન્ન મુનીશ્વરજી ! અનિરુહજીએ બાણાસુરની લાવણ્યમયી પુત્રી ઉષા સાથે લગ્ન કર્યા, એ પ્રસંગને અનુલક્ષી ભગવાન શ્રીકૃષ્ણ અને શંકરજીનું ઘમસાણ યુદ્ધ થયેલું. આવી વાત જ્યારે જાણવામાં આવી ત્યારે મને ભારે નવાઈ લાગી. તો આ બાબતમાં આપ કૃપા કરીને જરા વિગતથી કહો.” એમ પૂછનાર પરીક્ષિતજીને ઉદ્દેશીને બ્રહ્મચારી શુકદેવજી વદ્યા : “વહાલા પરીક્ષિતજી ! મહાત્મા બલિ કે જેમણે વામનવેશધારી ભગવાનને આખી પૃથ્વીનું દાન કરેલું, તે મશહૂર કથા તો તમે જાણે જ છે. એ જ બલિના સૌથી મોટા પુત્રનું નામ બાણાસુર. તે મહાન શિવભક્ત હતા. તે રમણીય એવી શેણિતપુરીમાં રાજ્ય કરતા હતા તે વખતે તાંડવ નૃત્ય કરતા શંકર ભગવાનને તેણે રાજા છતાં વિવિધ વાદ્ય વગાડી પ્રસન્ન કરેલા. એકદા એણે ગુમાનમાં આવી શિવજીને વિનવ્યું : “દિગ્ગજો પણ મારાથી ડરીને ભાગે છે ! હું પથ્થરને પણ ચૂરેચૂરા કરી નાખું છું. મારા હાથને ખજવાળ થાય છે કે મને કઈ બરોબરિયો મળ્યા જ નથી. તે મને બરોબરિયો મળી રહે

Loading...

Page Navigation
1 ... 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325