________________
૧૫. નરક |
૩. ધર્મદેવ : સાધુ મહાત્મા. ૪. દેવાધિદેવ : અરિહંત પરમાત્મા. ૫. ભાવદેવ : વૈમાનિક વગેરે દેવ.
- ઠાણંગ ૫/૧ દેવ-આયુષ્યના કારણો :
સરાગ સંયમ, દેશવિરતિ, અજ્ઞાન તપ, મોક્ષ ઇચ્છા વિનાનો ધર્મ – આ ચાર કારણે દેવનું આયુષ્ય બંધાય છે.
- હાશંગ ૪/૪/૩૭૩ ઇન્દ્રની શક્તિ :
ઇન્દ્રમાં એટલી શક્તિ હોય છે કે તે જો ધારે તો માણસના મસ્તકના ટુકડે-ટુકડા કરી ચૂર્ણ બનાવી કમંડળમાં ભરી શકે છે અને પછી તરત જ તે ચૂર્ણમાંથી પાછું મસ્તક બનાવી માણસના ધડ સાથે ચોટાડી દે છે અને તે માણસ જીવતો જ રહે છે. આ કાર્ય એટલી કુશળતાથી અને શીવ્રતાથી કરે છે કે માણસને જરા પણ પીડાનો અનુભવ થતો નથી.
- ભગવતી ૧૪/૮/૧૮ ક દેવોની શક્તિ :
કેટલાક દેવો હજાર જાતના શરીર બનાવી જુદી જુદી હજાર જાતની ભાષા બોલી શકે છે.
- ભગવતી ૧૪/૯/૯
નરક આયુષ્યનાં કારણો :
મહા આરંભ, મહા પરિગ્રહ, પંચેન્દ્રિયની હત્યા, માંસાહાર - આ ચાર કારણોથી જીવ નરકનું આયુષ્ય બાંધે છે.
- ઠાણંગ ૪/૪/૩૭૩ નરકની દસ વેદનાઓ :
ઠંડી, ગરમી, ભૂખ, તરસ, ખરજ, પરાધીનતા, ભય, શોક, વૃદ્ધત્વ, કોઢ-તાવ વગેરે રોગો - આ ૧૦ પ્રકારની વેદના નરકના જીવો અનુભવતા હોય છે.
- હાશંગ ૧૦/૭૫૩
( ૧૬. પાપ ] - સાપ-પાપ : ce નામથી : સાપનું નામ સાંભળતાં જ ભય લાગે. છે સ્થાપનાથી : અંધારામાં દોરડીમાં સાપની કલ્પના
(સ્થાપના)થી પણ ભય લાગે. છે દ્રવ્યથી : જે ઓરડામાં ત્રણ દિવસ પહેલા સાપ
નીકળ્યો હોય, ત્યાં જતાં પણ ભય લાગે. cછે ભાવથી : મદારીના ઝેર વગરના સાપથી પણ ભય
લાગે. સાપનું નામ, કલ્પના, સ્થાન વગેરે બધું જ ખરાબ, તેમ પાપનું સ્થાન, કલ્પના વગેરે બધું જ ખરાબ લાગવું જોઇએ.
ને આકાશગંગા • ૬૩
કેટલાક દેવો મનુષ્યની પાંપણ પર બત્રીસ જાતના નાટકો બતાવી શકે છે અને છતાં પણ તે માણસને જરા પણ તકલીફ પડતી નથી. આવા દેવો ‘અવ્યાબાધ દેવ' તરીકે ઓળખાય છે.
- ભગવતી ૧૪/૮/૧૭
| આકાશગંગા • ૨ |