Book Title: Aagamkalin Shravak Shravika Jivan ane Kavan
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 20
________________ આગમકાલીન શ્રાવક-શ્રાવિકા' - જીવન અને કવન --કુંકુમ-કેસર-ચંદનાદિ સિવાયનાં વિલેપનોનો ત્યાગ. કમળ અને માલતીનાં પુષ્પો સિવાય પુષ્પોનો ત્યાગ. --કાનનાં આભરણ અને વીંટી સિવાય અલંકારોનો ત્યાગ. --અગર, શિલારસ, લોબાન-ધૂપ સિવાયના પોનો ત્યાગ --એક કાપેય સિવાયના તમામ -પેયનો ત્યાગ. --ધેવર અને ખાંડના ખાજા સિવાય પકવાનોનો ત્યાગ. --બાસમતી સિવાયના બધા ચોખાનો ત્યાગ. --વટાણા, મગ, અડદ સિવાયની બધી દાળનો ત્યાગ. --શરદઋતુના ગાયના ઘી સિવાય બધા ઘી નો ત્યાગ. --વાસ્તુ, ચૂયૂ અને દુધી સિવાયના શાકનો ત્યાગ. --પાલકા માધુર રસ સિવાયનાં બધા પીણાંનો ત્યાગ. --સેધામ્લ, કાંજીવડા, દાળવડા સિવાયના ફરસાણનો ત્યાગ. --વરસાદ સિવાયનાં બધાં પાણીનો ત્યાગ. --પાંચ-સુગંધી પદાર્થયુક્ત પાન સિવાય મુખવાસનો ત્યાગ. (૭) ચારે પ્રકારના અનર્થદંડનો ત્યાગ. (૮) દેશાન્તર મોકલવા યોગ્ય વહાણો સિવાય બહાર ગમનાગમન ન કરવું. આ અને આવાં અનેક વ્રત-નિયમો ગ્રહણ કરે છે, પરિપાલન કરે છે....ઇત્યાદિ. --૩પાસ ઞ. [20] પ્રસ્તુતકર્તા:-મુનિ દીપરત્નસાગર [M.Com, M.Ed., Ph.D.]

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36