Book Title: Shrimad Rajchandra Atmacharya
Author(s): Punyavijay
Publisher: Jivanmani Sadvachan Mala Trust
Catalog link: https://jainqq.org/explore/005022/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ * *//n IITTER : શ્રીમદ્દO\0Y]AIRચવી પ! વાચક : સંગ્રાહક : પુણ્યવિજયજી (જિજ્ઞાસુ) ir EIA CE. 2 શ્રી જી વન - મણિ સદ્ વાચનમાળા ટ્રસ્ટ : અ મદા વા દે an Education International For Private Personal use only www.amelibrary.org Page #2 -------------------------------------------------------------------------- ________________ સ્વ. શ્રી રસિકલાલ માણેકલાલ શાહુ હૈયામાં જિનમૉંદિર ને હાઠ પર પ્રભુનામ સાથે શ્રી મેામ્બાસા જિનાલય પ્રતિષ્ઠા પ્રસંગે પરદેશ સ’ચરતાં મૃત્યુને વરનાર * હસતે મુખે જીવનના તડકા-છાયા વેઢીને પેાતાનાં બુદ્ધિબળથી આગળ આવનાર * પેાતાના પૂ. પિતાશ્રીની જેમ ભવવૈધ શ્રીમદ્ રાજચંદ્રના પરમ ઉપાસક મારા સહધર્મી મિત્રને એમની પુણ્ય સ્મૃતિમાં એમનું પ્રિય પુસ્તક સાદર સમર્પણુ લાલભાઈ મ. શાહ Page #3 -------------------------------------------------------------------------- ________________ Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-આત્મચર્યા [અંગત હાથધમાંથી સંકલિત] : સંગ્રાહક પુણ્યવિજ્ય (જિજ્ઞાસુ) વાચનમ wણ જે ' કાકા : ને જદા* શ્રી જીવનમણિ સદ્વાચનમાળા ટ્રસ્ટ હઠીભાઈની વાડી સામે, અમદાવાદ, Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : લાલભાઈ મણીલાલ શાહુ શ્રી જીવન-મણિ સાચનમાળા ટ્રસ્ટ હઠીભાઈના દેરા સામે અમદાવાદ પરમ સુખસ્વરૂપ, પરમાત્કૃષ્ટ શાંત શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ સમાધિને સ કાળને માટે પામ્યા તે— ભગવતને નમસ્કાર. તે પદમાં નિરંતર લક્ષરૂપ પ્રવાહ છે જેને તે— સત્પુરુષાને નમસ્કાર. -શ્રીમદ્ રાજચંદ્ર વિ. સ. ૨૦૨૦ કિંમત ૦–૩૦ મુદ્રક ઃ કાન્તીલાલ એમ. દેસાઇ ચંદ્રિકા પ્રિન્ટરી મીરજાપુર રેડ, અમદાવાદ. Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રાસંગિક-વક્તવ આત્મભાવનાથી પરમ ભાવિતાત્મા વીતરાગના પરમ ઉપાસક સંત શ્રીમદ્ રાજચંદ્રજીની અદ્ભુત લેકાર વિશિષ્ટતાને કથંચિત પરિચય “શ્રીમદ્ રાજચંદ્ર–જીવનતિ ” પુસ્તકમાં આપવામાં આવેલ છે. એ પુસ્તકની હમણું શ્રી જીવન-મણિ સર્વાચનમાળા ટ્રસ્ટ તરફથી ત્રીજી-નવી આવૃત્તિ વધારા સહિત છપાઈ બહાર પડી જતાં, તેમાં એક અત્યંત મહત્વને વિષય “ઉગ્ર-આત્મચર્ચા” શિર્ષક આપવાનો તે બહુ મોડું થઈ જતાં અને પુસ્તક છપાઈ તૈયાર થઈ જવાથી દાખલ કરી શકાયો નથી, તે આજે ટ્રસ્ટ તરફથી તેના અનુસંધાનરૂપે “શ્રીમદ્ રાજચંદ્ર-આત્મચર્યા” એ નામથી આ જુદી પુસ્તિકારૂપે બહાર પાડવામાં આવેલ છે. તેમાં “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથના પાના નંબર તથા હાથધના પૃષ્ઠ સહિત વિચારકની વિશેષ પ્રતીતિ માટે મૂકવામાં આવેલ છે. ઘણું સ્થાને આવશ્યક ફુટનેટ આપવાની તે વિસ્તારના કારણે અલ્પમાત્ર આપી વિશેષ આપવાનું બની શક્યું નથી. શ્રીમદ્ રાજચંદ્રજીનું જીવન એ એક “આત્માનું જીવન છે, આત્મસિદ્ધિને માટે સતત મથતાં એક પરમ ઉચ્ચ કોટીના આત્માનું દિવ્ય જીવન છે, તેને વિચારક પ્રેક્ષાવન્ત બંધુઓ જરા સૂમેક્ષિકાથી લક્ષમાં લઈ સમજવામાં આવશે તે સ્પષ્ટ પ્રતીતિરૂપ થવા સંભવ. સામાન્યપણે જગતજીને દેહમાં આત્મદષ્ટિ છે, જ્યારે શ્રીમને સતત આત્મામાં જ આત્મદષ્ટિ વર્તતી હતી. જગતમાં ઘણું Page #7 -------------------------------------------------------------------------- ________________ કરી “દેહ તે હું” એમ દેહને અહં મુખ્યપણે પ્રવર્તે છે. શ્રીમ આત્મા તે “હું–લોડÉ' એમ આત્માને અહં મુખ્યપણે વતી રહ્યો છે. એક અહંમરે તે બીજે જીવે, બીજે જીવે તે પહેલે મરે. ભલભલે મહાત્માઓ પણ આ દેહાત્મબુદ્ધિરૂપ અહંના સકંજામાંથી છુટી શકતા નથી, પણ શ્રીમદ્દ તો એમાંથી સર્વથા છુટી ગયા હતા, એ જ એમનું પરમ સતપણું-પરમ માહપણું છે. સર્વ અહંના મૂળ આધારભૂત દેહાભિમાન (અહંપ્રત્યયબુદ્ધિ) શ્રીમદ્દ કેટલું બધું ગલિત થઈ ગયું હતું, એ તેમની આત્મચર્યા વગેરે અનેક વસ્તુનું ગંભીરતાપૂર્વક અભ્યાસ-અવગાહન કરવાથી મધ્યસ્થ બુદ્ધિમાન વિચારકેને સ્પષ્ટ સમજી શકાશે. મ્યાનથી તલવાર જેમ જુદી છે, શરીરથી વસ્ત્ર જેમ જુદું છે, ક્ષીરથી નીર જેમ જુદું છે; તેમ દેહથી “દેહી’–આત્મા જુદો છે, * ભિન્ન છે, એવું સ્વાનુભવપ્રત્યક્ષ સતત આત્મભાન જે મહાપુરુષને વર્તતું હતું: એવા શ્રીમદ્દ સાચે જ પરમ આત્મજ્ઞાની–પરમહંસ હતા; જેને બુદ્ધિમાન પ્રેક્ષાવજો તેમની અંગત હાથનોંધમાંની વગેરે અનેક વસ્તુ લક્ષમાં લઈ વિચારવામાં આવશે તે સ્પષ્ટ પ્રતીતિરૂપ થવા સંભવ. આશ્ચર્ય એ થાય છે કે, એ મહાપુરુષમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ દોષ જોઈ તેથી સાવધ રહેવાની પુરુષાર્થરૂપ તાલાવેલી કેટલી બધી વતી રહી છે, તે હાથનોંધ ૧ લી પૃષ્ઠ ૮૭-૮૯-૯૦-૯૧-૯૨-૯૩-૯૪-૧૦૧ માં વિચારક સુજ્ઞ બંધુઓ સ્પષ્ટ નિહાળી જતાં ગંભીર વિચારમાં મૂકી દે તેવો પ્રકાર જોઈ શકશે કે, જે આ અંતરંગ વચનપ્રકાર ભાગ્યે જ કોઈ વિરલ છવામાં સંભવી શકે. શ્રીમદ્દ એક પત્રમાં લખે છે કે–અમે દેહધારી છીએ કે કેમ, તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ. શ્રીમદ્ભી દશા સંસારમાં * જેમ આકાશમાં વિશ્વના પ્રવેશ નથી, સર્વ ભાવની વાસનાથી આકાશ રહિત જ છે; તેમ સમ્યગ્દષ્ટિ પુરુષોએ પ્રત્યક્ષ સર્વ દ્રવ્યથી ભિન, સર્વ અન્ય પર્યાયથી રહિત જ આત્મા દીઠો છે.–શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૮૩૩ Page #8 -------------------------------------------------------------------------- ________________ રહ્યા છતાં સંસારથી જળકમળવત્ અલિપ્ત હતી; જે તેમનાં પદે પદે ઉલ્લેખિત આત્મભાષામાંથી નીકળેલા અનેક સ્નાનુભવ ઉદ્ગારા પરથી બુદ્ધિમાન વિચારકાને સહેજે સમજી શકાવા યેાગ્ય છે. આ બાબતમાં શ્રીમના ગાઢ પરિચયમાં આવેલા મ ગાંધીજી સ્વય' લખે છે કે~~ “ તેમને ખાતાં, બેસતાં, સૂતાં પ્રત્યેક ક્રિયા કરતાં તેમનામાં વૈરાગ્ય તો હોય જ. કોઈ વખત આ જગતના કોઈ પણ વૈભવને વિશે તેમને મેાહ થયા હાય એમ મેં જોયું નથી.” કવિ ‘ સહજ વૈરાગી ’ હતા એ ખા. જણાવતાં ગાંધીજીના ઉદ્ગાર છે કે— ' ‘ આપણે સંસારી જીવા છીએ, ત્યારે શ્રીમદ્ અસંસારી હતા, આપણને અનેક યેનિયામાં ભટકવુ પડશે ત્યારે શ્રીમદ્ને એક ભવ ખસ થાએ, આપણે મેાક્ષથી દૂર ભાગતાં હોઈશું, ત્યારે શ્રીમદ્ વાયુવેગે મેાક્ષ તરફ ધસી રહ્યા હતા...બાહ્ય આડ ંબરથી મનુષ્ય વીતરાગી નથી થઈ શકતા. વીતરાગતા એ* આત્માની પ્રસાદિ છે. અનેક જન્મના પ્રયત્ને મળી શકે છે. એમ હરકેાઈ માણસ અનુભવી શકે છે. રાગને કાઢવા પ્રયત્ન કરનાર જાણે છે કે રાગરહિત થવુ એ કેવું કઠિન છે! એ રાગરહિત દશા કવિને સ્વાભાવિક હતી.” એક પત્રમાં શ્રીમદ્ લખે છે કે • હે નાથ ! સાતમી તમતમ પ્રભા નરકની વેદના મળી હાત તા તે વખતે સમ્મત કરત, પણ જગતની માહિતી સમ્મત થતી નથી.' — ( સ. ૧૯૪૫, વય વર્ષ ૨૩ પત્રાંક, ૮૫). કેવા ઉત્કૃષ્ટ વૈરાગ્ય ! * આત્મત્વને પામ્યા સિવાય વાસ્તવિક રીતે વીતરાગી વિરક્તચિત્ત બની શકતું નથી; કેમકે ‘જ્ઞાન વૈરાગ્ય સાથે અને વૈરાગ્ય જ્ઞાન સાથે છે, એકલાં ન હેાય.‘ આ નિયમ છે. વૈરાગ્ય એ અંતરગ ક્રિયા છે. - Page #9 -------------------------------------------------------------------------- ________________ દ– દશ્ય વિવેકમાં કહ્યું છે કે–. देहाभिमाने गलिते, विज्ञाते परमात्मनि । यत्र यत्र मना याति, तत्र तत्र समाधयः॥ અર્થાત્ – દેહાભિમાન ગળી ગયે ને જ્ઞાયકસ્વરૂપ પરમાત્મતત્વ જાણવામાં આવ્યું જ્યાં જ્યાં મન જાય છે, ત્યાં ત્યાં સમાધિ જ છે. દેહાભિમાનત્યાગી પરમતત્વદષ્ટા શ્રીમત્તે આવી સહજસમાધિ સહજ સ્વભાવભૂત બની ગઈ હતી. જેમ પતિવ્રતા સ્ત્રીનું મન ઘર સંબંધી બીજા બીજા કામે કરવા છતાં પિતાના વહાલા પતિ ઉપર જ હોય છે, તેમ અનુભવ ગશાલી – યથાર્થજ્ઞાની-જ્ઞાનાક્ષેપકવંત મહાપુરુષનું મન પ્રારબ્ધપતિત બીજાં બીજાં કાર્યો કરવા છતાં સ્વકીય આત્મધર્મને વિશે જ હોય છે; એજ એની સહજ સમાધિરૂપ છે. “મન મહિલાનું રે વહાલા ઉપરે. બીજાં કામ કરત; તિમ મૃતધમે રે એહવું મન ધરે, જ્ઞાનાક્ષેપકવંત.” (પૂ. ઉ. યશ વિ.) મતલબ કે, ગ્રંથિભેદજન્ય પરમાર્થ સમ્યગ્દર્શનને પ્રાપ્ત અનુભગશાલી જ્ઞાની પુરુષની વૃત્તિ નિજભાવને વિશે જ પ્રવેહતી હેય છે, સ્વભાવ ધર્મને વિશે જ પ્રવેહતી હોય છે. જેનો અનુભવ થયો છે, તેનું જ લક્ષ ને તેની જ પ્રતીત વર્તે છે. વર્ત નિજસ્વભાવને, અનુભવ લક્ષ પ્રતીત; વૃત્તિ વહે નિજભાવમાં, પરાર્થે સમક્તિ–આત્મસિદ્ધિશાસ્ત્ર, કેવળજ્ઞાનની તિસ્વરૂપ પરમાત્મતત્વને અનુભવ–પ્રકાશ થયો હેવાથી તેને શેષ સર્વ કંઈ અસાર, અસારભૂત લાગે છે. પૌલિક સુખમાં સુખની બુદ્ધિ અર્થાત્ અનિત્ય પદાર્થને વિશે નિત્યત્વની મેહબુદ્ધિ ટળી ગઈ હોવાથી તેને નિત્ય એ એક આત્મા જ સારભૂત Page #10 -------------------------------------------------------------------------- ________________ લાગે છે. “કેવળ જ્યોતિ તે તત્વ પ્રકાશે, શેષ ઉપાય અસારે રે.” (ઉ. શ્રી યશોવિ.) સ્વમાં પરની બ્રાંતિ ને પરમાં સ્વની બ્રાંતિ ઉદાહરણ તરીકે છીપમાં રૂપાની બાંતિ ને રૂપામાં છીપની ભ્રાંતિ એ રૂપ વિષયને વિક્ષેપ (સ્વરૂપ વિશ્રાંતિ) ટળી ગયો હોવાથી પ્રારબ્ધોદયે બીજાં બીજાં કામ કરવાં છતાં આત્મજ્ઞાનથી આક્ષિપ્ત ચિત્ત છે જેનું એવા અનુભવયેગશાલી–સાનાક્ષેપકવત પુરુષની ચિત્તવૃત્તિ સ્વધર્મને વિશે અર્થાત પિતાના સહજસ્વરૂપને વિશે જ વૃત્તિનું પ્રવહન હોય છે. શ્રી જિનાગમકથિત એવા સ્વાનુભૂતિલક્ષણયુકત સમ્યગ્દષ્ટિ – જ્ઞાની પુરુષને ઉપર ઉપર થવાવાળી ગુણશ્રેણું નિર્જરામાં * સમયે સમયે અનંતગુણું વિશિષ્ટ આત્મભાવ (અંતરંગ સંયમ પરિણામ) વર્ધમાન હોય છે. અને તે અનંતગુણ વિશિષ્ટ આત્મભાવ અસંખ્યાતગુણ નિરારૂપ હોય છે, જે શાસ્ત્રોને સમજવું સાવ સુગમ છે. વર્ત માનયુગમાં તેનું જ્વલંત દષ્ટાંત અસાધારણ જ્ઞાનવિભૂતિ શ્રીમદ્ રાજચંદ્રજી બુદ્ધિમાન પ્રેક્ષાવંતેને પ્રતીતરૂપ થાય છે. જે તેમનું વર્ષવાર સાંગોપાંગ પવિત્ર આત્મજીવન લક્ષમાં લઈ સમજવાથી સુજ્ઞ વિચારથી સ્પષ્ટ સમજી શકાશે. એકવીશમાં વર્ષમાં જ શ્રીમદ્ વદે છે કે –“જગતને રૂડું દેખાડવા અનંતવાર પ્રયત્ન કર્યું તેથી રૂડું થયું નથી. કેમકે પરિભ્રમણ અને પરિભ્રમણના હેતુઓ હજુ પ્રત્યક્ષ રહ્યા છે. એક ભવ જે આત્માનું રૂડું થાય તેમ વ્યતીત કરવામાં જશે તે અનંત ભવનું સાટું વળી રહેશે, એમ હું લઘુત્વભાવે સમજે છઉં અને તેમ કરવામાં જ મારી પ્રવૃત્તિ છે.” શ્રીમના આ વેધક વચન જ શ્રીમના વીતરાગ સમશ્રેણીઓ આરોહતા આત્મલક્ષી જીવનની રહસ્ય ચાવીરૂપ છે. * આત્મા આત્મા ભાવે વર્તે છે, સમયે સમયે અનંતગુણ વિશિષ્ટ આત્મભાવ વધતો હોય એવી દશા રહે છે.-શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક, ૩૧૩. Page #11 -------------------------------------------------------------------------- ________________ જેનાં ગુણગ્રામ કરવાથી જીવ ભવમુક્ત હોય, તેનાં ગુણગ્રામથી પ્રતિકૂળતા આણું અન્યથા વિવિધ કલ્પના કરી લેવી તે મધ્યસ્થ બુદ્ધિમાન વિચારકનું કર્તવ્ય નહિ; જે શ્રીમદ્ જેવા એક પુણ્યશ્લોક પુરુષનું ઉદાત્ત આત્મજીવન વિચારમાં લેવાથી સમજી શકાશે. '' આશા છે કે, આ નાની પુસ્તિકામાં દર્શિત શ્રીમની અંગત હાથનેધમાંની વસ્તુનું સાથે જ “શ્રીમદ્ રાજચંદ્રજીવનતિ ” પુસ્તકની વસ્તુને ધીરજપૂર્વક ગંભીરતાથી અવગાહને કરી આ સાધુચરિત પુરૂષના સચ્ચારિત્રને યથાસ્થિત–તેને તે સ્વરુપે વિચારક સુજ્ઞ બંધુઓ જરા ઉંડી મતિથી જ્યાં જ્યાં જેમ ઘટતી હોય ત્યાં ત્યાં તે વસ્તુની અપેક્ષાને લક્ષમાં લઈ સમજવામાં આવશે તે, એ મહાપુરુષના પવિત્ર જીવનમાંથી અપૂર્વ પ્રેરણું મળતાં ધન્ય એવો આપણે આત્મા પણ કાઈવાર પરમ ધન્ય બનવા ભાગ્યશાળી બનશે. ધન્ય રે દિવસ આ અહે! જાગી રે શાંતિ અપૂર્વ રે – આત્મભાષામાંથી નીકળેલું શ્રીમનું આ પરમ ધન્ય દિવ્ય સંગીતમય સ્વકીય જીવનધન્યતારૂપ કાવ્ય જ કોઈ પણ સકણું સહૃદયના હૃદયતાર ઝણઝણાવી મૂકવા માટે બસ છે. સ્થૂલ દેહે ક્ષર છતાં અક્ષરદેહે પરમ અમૃત શ્રીમદ્દનું યથાર્થ આત્મજીવન પ્રત્યક્ષ પ્રતિબિંબિત છે, એ સ્પષ્ટ પ્રત્યક્ષ-અત્યંત પ્રત્યક્ષ પ્રતિબિંબની યથાર્થતાને લક્ષિત કરી, સમજી, ઝીલી સૌ કોઈ ભવ્ય જીવ પરમાત્માની કૃપાથી પુરુષાર્થધર્મને પામી સ્વરૂપલાભ પામવા ભાગ્યશાળી બને એ જ અભ્યર્થના. સદર વક્તવ્ય તૈયાર કરવામાં ડૉ. શ્રી ભગવાનદાસ મનસુખભાઈ મહેતા મુંબઈ, તેમનાં આકાશવાણી પ્રવચનમાંથી કેટલાક વિશેષ ભાગ સંકલિત કરી ઉપયોગ કરવામાં આવેલ છે, જેની સાભાર નેંધ લઉં છું વિ. સં. ૨૦૨૦ સે. કાર્તિકી પૂર્ણિમા | સંતચરણસેવક પુણ્યવિજય Page #12 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-આત્મચર્યા [ પ્રાÀાય અને આભ્યંતર દશા] હાથનોંધ ૧ લી [ પા. ૭૯૧ ] [ હાથનેાંધ ૧, પૃ. ૩ ] સહેજ * જે પુરુષ આ ગ્રંથમાં સહજ નોંધ કરે છે, તે પુરુષ માટે પ્રથમ સહેજ તેજ પુરુષ લખે છે. તેની હમણાં એવી દશા અંતરંગમાં રહી છે કે કંઈક વિના સ સંસારી ઇચ્છાની પણ તેણે વિસ્મૃતિ કરી નાખી છે. તે કઈક પામ્યા પણ છે, અને પૂના પરમ મુમુક્ષુ છે, છેલ્લા માના નિઃશંક જિજ્ઞાસુ છે. હમણાં જે આવરણે તેને ઉધ્યમાં આવ્યાં છે, તે આવરણાથી એને ખેદ નથી, પરંતુ વસ્તુભાવમાં થતી મંદતાના ખેદ છે. તે ધની વિધિ, અની વિધિ, કામની વિધિ, અને તેને આધારે મેાક્ષની વિધિને પ્રકાશી શકે તેવા છે, ધણા જ થાડા પુરુષાને પ્રાપ્ત થયેા હશે એવા એ કાળનેા ક્ષયાપશમી પુરુષ છે. * આત્મભાષામાંથી ટપકેલા શ્રીમા આ ‘સહજ ' શબ્દને વચનપ્રયાગ સ્વકીય સહજસ્વરૂપનું ભાન-અનુભવ દાખવતા સૂચિત થાય છે Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૦ શ્રીમદ્ રાજચંદ્ર-આત્મચર્યા તેને પિતાની સ્મૃતિ માટે ગર્વ નથી, તર્ક માટે ગર્વ નથી, તેમ તે માટે તેને પક્ષપાત પણ નથી; તેમ છતાં કંઈક બહાર રાખવું પડે છે, તેને માટે ખેદ છે. તેનું અત્યારે એક વિષય વિના બીજા વિષય પ્રતિ ઠેકાણું નથી. તે પુરુષ કે તીક્ષ્ણ ઉપગવાળે છે, તથાપિ તે તીક્ષ્ણ ઉપયોગ બીજા કોઈ પણ વિષયમાં વાપરવા તે પ્રીતિ ધરાવતું નથી. [ પા. ૭૯૫] [ હાથોંધ ૧, પૃ. ૨૫] એ જ સ્થિતિ – એ જ ભાવ અને એ જ સ્વરૂપ. ગમે તે કલ્પના કરી બીજી વાટ લ્યો, યથાર્થ જોઈ તે હોય તે આ...લે. વિભંગ જ્ઞાન-દર્શન અન્ય દર્શનમાં માનવામાં આવ્યું છે. એમાં મુખ્ય પ્રવર્તકોએ જે ધર્મમાર્ગ બળે છે, તે સમ્યફ થવા સ્યાત મુદ્રા જોઈએ. ચાત મુદ્રા તે સ્વરૂપસ્થિત આત્મા છે. શ્રુતજ્ઞાનની અપેક્ષાએ સ્વરૂપસ્થિત આત્માએ કહેલી શિક્ષા છે. નાના પ્રકારનાં નય, નાના પ્રકારનાં પ્રમાણુ, નાના પ્રકારની ભંગજાલ, નાના પ્રકારના અનુગ એ સઘળાં લક્ષણરૂપ છે. લક્ષ એક સચ્ચિદાનંદ છે. * દષ્ટિવિષ ગયા પછી ગમે તે શાસ્ત્ર, ગમે તે અક્ષર, ગમે તે કથન, ગમે તે વચન, ગમે તે સ્થળ પ્રાયે અહિતનું કારણ થતું નથી. * દષિવિષ – મિથ્યાત્વરૂપી વિષ. સના શેર કરતાં પણ આ મિથ્યાત્વરૂપી વિષ ભયંકર છે, અઢારે પાપસ્થાનકમાં સૌથી મોટામાં મોટું પાપ મિથ્યાત્વ છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-આત્મચર્યા પુનર્જન્મ છે – જરૂર છે -એ માટે અનુભવથી હા કહેવામાં અચળ છું. આ કાળમાં મારું જન્મવું માનું તે દુઃખદાયક છે, અને માનું તે સુખદાયક પણ છે. [પા. ૭૯૫] [ હાથોંધ ૧, પૃ. ૨૬ ] એવું હવે કઈ વાંચન રહ્યું નથી કે જે વાંચી જોઈએ. છીએ તે પામીએ એ જેના સંગમાં રહ્યું છે તે સંગની આ કાળમાં ન્યૂનતા થઈ પડી છે. વિકરાળ કાળ!...વિકરાળ કમ!...વિકરાળ આત્મા !.. જેમ...પણ એમ...... હવે ધ્યાન રાખે. એ જ કલ્યાણ. [ પા. ૭૯૬ ] [ હાથનોંધ ૧, પૃ. ૨૭] એટલું જ શોધાય તે બધું પામશે; ખચીત એમાં જ છે. મને ચોકકસ અનુભવ છે. સત્ય કહું છું. યથાર્થ કહું છું. નિઃશંક માને. એ સ્વરુપ માટે સહજ સહજ * કોઈ સ્થળે લખી વાળ્યું છે. [પા. ૭૯૬ ] [ હાથનેધ ૧, પૃ. ૩૫] હત આસવા પરિવા, નહિ ઈનમેં સંદેહ, માત્ર દષ્ટિકી ભૂલ હૈ, ભૂલ ગયે ગત એહિ. રચના જિન ઉપદેશકી, પરમોત્તમ તિન કાલ; ઈનમેં સબ મત રહત હૈ, કરતે નિજ સંભાલ. * જુઓ હાથનેધ ૧ લી ૫. ૩ Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૨ જિન સે હી હૈ આતમા, અન્ય હાઈ સાક; તત્ત્વજ્ઞાનીકા મ ક કરે સે જિન વચન, જબ જાન્યા નિજરૂપા, તબ નહિ જાન્યા નિજરૂપા, એ હિદિશાકી મૂઢતા, હું નહિ. જિનપે ભાવ; સબ જિનસે ભાવ બિનુ કશ્યૂ, વ્યવહારસે દેવ જિન, નહિં છૂટત દુઃખદાવ. નિRsચેસે હૈ આપ; એ હિ બચનસે' સમજ લે, જિનપ્રવચનકી છાપ. એહિ નહી હૈ એહી નહી વિભ’ગ; કલ્પના, જાગેગે આતમા, તથ્ય લાગે ંગે રંગ. જન્મ શ્રીમદ્ રાજચંદ્ર–આર્યો [ પા. ૭૯૭ ] [ હાથનેાંધ ૧, પૃ. ૪૩ ] પ્રકાશજીવન ખચીત તે સત્ય છે. એમ જ સ્થિતિ છે. તમે આ ભણી વળા— તેઓએ રૂપકથી કહ્યું છે. ભિન્ન ભિન્ન પ્રકારે તેથી ખાધ થયા છે, અને થાય છે; પરંતુ તે વિભંગરૂપ છે. જાન્યા સબ લેાક; જાન્યા સે। ફાક આ મેધ સમ્યક્ છે. તથાપિ ઘણા જ સૂક્ષ્મ અને મેહ ટળ્યે માણ થાય તેવા છે. સમ્યક્ ધ પણ ×પૂર્ણ સ્થિતિમાં રહ્યો નથી. તેપણ જે છે તે યેાગ્ય છે. એ સમજીને હવે ઘટતા માગ લો. કારણ શોધેા મા, ના કહા મા, કલ્પના કરેા મા. એમ જ છે. એ પુરુષ યથા વક્તા હતા. અયથા કહેવાનું તેમને કાઈ નિમિત્ત નહતું. × પૂણ સ્થિતિ તે પરિપૂર્ણ જ્ઞાન-કેવળજ્ઞાનની અપેક્ષાએ સમજવા યાગ્ય. Page #16 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-આત્મચર્યો [ પા. ૭૯૮ ] [ હાથનેધ ૧, પૃ. ૪૭ ] તે દશા શાથી અવરાઈ? અને તે દશા વર્ધમાન કેમ ન થઈ? લેકના પ્રસંગથી, માનેચ્છાથી, અજાગૃતપણાથી, સ્ત્રીઆદિ પરિષહને જય ન કરવાથી. જે ક્રિયાને વિષે જીવને રંગ લાગે છે, તેને ત્યાં જ સ્થિતિ હેય છે, એ જે જિનને અભિપ્રાય તે સત્ય છે. ત્રીસ મહામહનીયના સ્થાનક શ્રી તીર્થ કરે કહ્યાં છે તે સાચાં છે. અનંતા જ્ઞાની પુરુષોએ જેનું પ્રાયશ્ચિત્ત કહ્યું નથી, જેના ત્યાગને એકાંત અભિપ્રાય આપે છે એવો જે કામ તેથી જે મૂંઝાયા નથી, તે જ પરમાત્મા છે. [પા. ૮૦૧] [ હાથનોંધ ૧, પૃ. ૩] ધન્ય રે દિવસ આ અહે, જાગી રે શાંતિ અપૂર્વ રે; દશ વર્ષે રે ધારા ઉલસી, મો ઉદયકમને ગર્વ રે...ધન્ય ઓગણીસસે ને એકત્રીસે, આવ્યો અપૂર્વ અનુસાર રે; ઓગણીસસે ને બેતાલીસે, અભુત વૈરાગ્ય ધાર રે...ધન્ય ઓગણીસસે ને સુડતાલીસે, સમકિત શુદ્ધ પ્રકાણ્યું રે; શ્રુત અનુભવ વધતી દશા, નિજ સ્વરુપ અવભાસ્યું રે...ધન્ય Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૪. શ્રીમદ્ રાજચંદ્ર-આત્મચર્યા [ પા. ૮૦૧] ત્યાં આવ્યો રે ઉદય કારમે, પરિગ્રહ કાર્ય પ્રપંચ રે; જેમ જેમ તે હડસેલીએ તેમ વધે ન ઘટે રંચ રે...ધન્ય [ હાથોંધ ૧, પૃ. ૬૪] વધતું એમ જ ચાલિયું, હવે દીસે ક્ષીણું કાંઈ રે; ક્રમે કરીને જે તે જશે, એમ ભાસે મનમાંહી રે...ધન્ય યથા હેતુ જે ચિત્તને, સત્ય ધર્મનો ઉદ્ધાર રે; થશે અવશ્ય આ દેહથી, એમ થયો નિરધાર રે..ધન્ય આવી અપૂર્વ વૃત્તિ અહો, થશે અપ્રમત્ત યોગ રે; *કેવળ લગભગ ભૂમિકા, સ્પર્શીને દેહ વિગ રે...ધન્ય૦ અવશ્ય કર્મનો ભોગ છે, ભગવો અવશેષ રે, તેથી દેહ એક જ ધારીને, જાશું સ્વરુપ સ્વદેશ રે...ધન્ય [ ૫. ૮૦૩] [ હાથનોંધ ૧, પૃ. ૮૭ શ્રીમાન મહાવીર સ્વામી જેવાએ અપ્રસિદ્ધ પદ રાખી ગૃહવાસ વે-ગ્રહવાસથી નિવૃત્ત થયે પણ સાડાબાર વર્ષ જેવા દીર્ઘ કાળ સુધી * “કેવળ લગભગ ભૂમિકા “ એટલે સમય દશાસ્થિત અપ્રમત્ત સંયમ. Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૫ શ્રીમદ્ રાજચંદ્ર-આત્મીય મૌન આચર્યું, નિદ્રા તજી વિષમ પરિષહ સહ્યા એને હેતુ છે? અને આ જીવ આમ વર્તે છે, તથા આમ કહે છે એને હેતુ શો? જે પુરુષ સગુની ઉપાસના વિના નિજ કલ્પનાએ આત્મસ્વરૂપનો નિર્ધાર કરે તે માત્ર પોતાના સ્વચ્છેદના ઉદયને વેદે છે, એમ વિચારવું ઘટે છે. જે જીવ સત્પષને ગુણને વિચાર ન કરે, અને પિતાની કલ્પનાના આશ્રયે વર્તે તે જીવ સહજમાત્રમાં ભાવવૃદ્ધિ ઉત્પન્ન કરે છે, કેમકે અમર થવાને માટે ઝેર પીએ છે. [ પા. ૮૦૩ ] [ હાથનેધ ૧, પૃ. ૮૯] સર્વ સંગ મહાશવરૂપ શ્રી તીર્થકરે કહ્યો છે, તે સત્ય છે. આવી મિશ્રગુણસ્થાનક જેવી સ્થિતિ ક્યાં સુધી રાખવી ? જે વાત ચિત્તમાં નહીં, તે કરવી, અને જે ચિત્તમાં છે તેમાં ઉદાસ રહેવું એવો વ્યવહાર શી રીતે થઈ શકે ? વૈશ્ય અને નિગ્રંથભાવે વસતાં કોટી કોટી વિચાર થયા કરે છે. વેષ અને તે વેષ સંબંધી વ્યવહાર જોઈ લેકદૃષ્ટિ તેવું માને એ ખરું છે, અને નિગ્રંથભાવે વર્તતું ચિત્ત તે વ્યવહારમાં યથાર્થ ન પ્રવતી શકે એ પણ સત્ય છે, જે માટે એવા બે પ્રકારની એક સ્થિતિ કરી વતી શકાતું નથી, કેમકે પ્રથમ પ્રકારે વર્તતાં નિગ્રંથભાવથી ઉદાસ રહેવું પડે તો જ યથાર્થ વ્યવહાર સાચવી શકાય એમ છે, અને નિગ્રંથભાવે વસીએ તે પછી તે વ્યવહાર ગમે તે થાય તેની ઉપેક્ષા કરવી ઘટે, જે ઉપેક્ષા ન કરવામાં આવે તે નિગ્રંથભાવ હાનિ પામ્યા વિના રહે નહીં. Page #19 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ રાજચંદ્ર-આત્મચય [ પા. ૮૦૩] [ હાથનેધ ૧, પૃ. ૯૦ ] તે વ્યવહાર ત્યાખ્યા વિના અથવા અત્યંત અલ્પ કર્યા વિના નિર્ચ થતા યથાર્થ રહે નહીં, અને ઉદયરૂપ હેવાથી વ્યવહાર ત્યાગે જતો નથી. સર્વ વિભાવયોગ મટયા વિના અમારૂં ચિત્ત બીજા કોઈ ઉપાય સંતેષ પામે એમ લાગતું નથી. તે વિભાવયોગ બે પ્રકારે છે. એક પૂર્વે નિષ્પન્ન કરેલો એવો ઉદયસ્વરૂપ, અને બીજો આત્મબુદ્ધિએ કરી રંજનપણે કરવામાં આવતે ભાવસ્વરૂપ આત્મભાવે વિભાવ સંબંધી યોગ તેની ઉપેક્ષા જ શ્રેયભૂત લાગે છે. નિત્ય તે વિચારવામાં આવે છે, તે વિભાવપણે વતંતે આત્મભાવ ઘણું પરિક્ષણ કર્યો છે, અને હજી પણ તે જ પરિણતિ વર્તે છે. તે સંપૂર્ણ વિભાગ નિવૃત્ત કર્યા વિના ચિત્ત વિશ્રાંતિ પામે એમ જણાતું નથી, અને હાલ તે તે કારણે કરી વિશેષ કલેશ વેદના કરવો પડે છે, કેમકે ઉદય વિભાવક્રિયાને છે અને ઈચ્છા આત્મભાવમાં સ્થિતિ કરવાની છે. [ પા. ૮૦૪] [ હાથનેધ ૧, પૃ. ૯૧] તથાપિ એમ રહે છે કે, ઉદયનું વિશેષ કાળ સુધી વર્તવું રહે તે આત્મભાવ વિશેષ ચંચળ પરિણામને પામશે; કેમકે આત્મભાવ વિશેષ સંધાન કરવાને અવકાશ ઉદયની પ્રવૃત્તિને લીધે પ્રાપ્ત ન થઈ શકે, અને તેથી તે આત્મભાવ કંઈ પણ અજાગૃતપણાને પામે. જે આત્મભાવ ઉત્પન્ન થયો છે, તે આત્મભાવ પર જે વિશેષ લક્ષ કરવામાં આવે તે અલ્પકાળમાં તેનું વિશેષ વર્ધમાનપણું થાય, અને વિશેષ જાગ્રતાવસ્થા ઉત્પન્ન થાય, અને ચેડા કાળમાં હિતકારી Page #20 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર–આત્મચર્યા ૧૭ એવી ઉગ્ર આત્મદશા પ્રગટે, અને જે ઉદયની સ્થિતિ પ્રમાણે ઉદયનો કાળ રહેવા દેવાનો વિચાર કરવામાં આવે તે હવે આત્મશિથિલતા થવાને પ્રસંગ આવશે, એમ લાગે છે કેમકે દીર્ધકાળને આત્મભાવ હેવાથી અત્યાર સુધી ઉદયબળ ગમે તેવું છતાં તે આત્મભાવ હણાયે નથી, તથાપિ કંઈક કંઈક તેની અજાગૃતાવસ્થા થવા દેવાનો વખત આવ્યો છે; એમ છતાં પણ હવે કેવળ ઉદય પર ધ્યાન આપવામાં આવશે તે શિથિલભાવ ઉત્પન્ન થશે. [પા. ૮૦૪] [ હાથોંધ ૧, પૃ. ૯૨] જ્ઞાનીપુ ઉદયવશ દેહાદિ ધર્મ નિવર્તે છે. એ રીતે પ્રવૃત્તિ કરી હોય તે આત્મભાવ હણવો ન જોઈએ; એ માટે તે વાત લક્ષ રાખી ઉદય વેદ ઘટે છે, એમ વિચાર પણ હમણું ઘટતું નથી, કેમકે જ્ઞાનનાં તારતમ્ય કરતાં ઉદયબળ વધતું જોવામાં આવે તે જરૂર ત્યાં જ્ઞાનીએ પણ જાગૃત દશા કરવી ઘટે, એમ શ્રી સર્વરે કહ્યું છે. અત્યંત દુષમકાળ છે તેને લીધે અને હતપુણ્ય લેકાએ ભરતક્ષેત્ર ઘેર્યું છે તેને લીધે પરમસત્સંગ, સત્સંગ કે સરળપરિણામી જીવોને સમાગમ પણ દુર્લભ છે, એમ જાણું જેમ અલ્પકાળમાં સાવધાન થવાય તેમ કરવું ઘટે છે. [પા. ૮૦૪ ] [ હાથોંધ ૧, પૃ. ૯૩] મૌનદશા ધારણ કરવી ? વ્યવહારનો ઉદય એવો છે કે તે ધારણ કરેલી દશા લેકેને કષાયનું નિમિત્ત થાય, તેમ વ્યવહારની પ્રવૃત્તિ બને નહીં. * શ્રીમદ્દના આ અને ત્યાર પછીના બીજાં બીજ વચને વિચારતાં એવું ભાન થાય છે કે કેમ જાણે તેઓ પોતે જ પોતાના ગુણદોષ જોવાનું ચંત્ર ન હોય? Page #21 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર–આત્મચર્યો ત્યારે તે વ્યવહાર નિવૃત્ત કરવા? તે પણ વિચારતાં બનવું કઠણ લાગે છે, કેમકે તેવી કંઈક સ્થિતિ વેદવાનું ચિત્ત રહ્યા કરે છે. પછી તે શિથિલતાથી, ઉદયથી કે પરેચ્છાથી કે સત્ત દૃષ્ટથી, એમ છતાં પણ અલ્પકાળમાં આ વ્યવહારને સ ંક્ષેપ કરવા ચિત્ત છે. ૧૮ તે વ્યવહાર કેવા પ્રકારે સ ંક્ષેપ થઈ શકશે? કેમકે તેના વિસ્તાર વિશેષપણે જોવામાં આવે છે. વ્યાપારસ્વરૂપે, કુટુંબપ્રતિબ’ધે, યુવાવસ્થાપ્રતિબંધે, દયાસ્વરૂપે, વિકારસ્વરૂપે, ઉદયસ્વરૂપે –એ આદિ કારણે તે વ્યવહાર વિસ્તારરૂપ જણાય છે. [ પા. ૮૦૪ ] [ હાથનેાંધ ૧, પૃ. ૯૪ ] * હું એમ જાણું હ્યું કે અનંતકાળથી અપ્રાપ્તવત્ એવુ આત્મ સ્વરૂપ કેવળજ્ઞાન–કેવળદર્શન-સ્વરૂપે અંતમુર્તીમાં ઉત્પન્ન કર્યું છે, તે પછી વ છ માસ કાળમાં આટલા આ વ્યવહાર કેમ નિવૃત્ત નહી થઈ શકે? માત્ર જાગૃતિના ઉપયાગાંતરથી તેની સ્થિતિ છે, અને તે ઉપયેાગના બળને નિત્ય વિચાર્યેથી અલ્પકાળમાં તે વ્યવહાર નિવૃત્ત થઈ શકવા યેાગ્ય છે. તાપણ તેની કેવા પ્રકારે નિવૃત્તિ કરવી, એ હજી વિશેષપણે મારે વિચારવું ઘટે છે; એમ માનું છું, કેમકે વી તે વિષે કઈ પણ મદ દશા વતે છે. તે મંદ દશાને હેતુ શે ? ઉદયબળે પ્રાપ્ત થયા એવા પરિચય માત્ર પરિચય, એમ કહેવામાં કઈ બાધ છે? તે પરિચયને વિષે વિશેષ અરુચિ રહે છે, તે છતાં તે પરિચય કરવા રહ્યો છે. તે પરિચયના દોષ કહી શકાય નહીં, પણ નિર્દોષ કહી શકાય. અરુચિ હાવાથી ઇચ્છારૂપ દોષ નહીં કહેતાં ઉયરૂપ દોષ કહ્યો છે. * સ્વરૂપે આત્મા કેવળજ્ઞાન-કેવળદર્શન સ્વરૂપ છે. તે આત્મસ્વરૂપ. અર્થાત્ શુદ્ધ સમ્યગ્દશન-સ્વરૂપ વિનિશ્ચય. Page #22 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-આત્મચર્યા [પા. ૮૦૫] [ હાથોંધ ૧, પૃ. ૧૦૧] હે જીવ ! અસારભૂત લાગતા એવા આ વ્યવસાયથી હવે નિવૃત્ત થા, નિવૃત્ત ! તે વ્યવસાય કરવાને વિષે ગમે તેટલો બળવાન પ્રારબ્ધોદય દેખાતે હોય તો પણ તેથી નિવૃત્ત થા, નિવૃત્ત! જો કે શ્રી સર્વ એમ કહ્યું છે કે ચૌદમે ગુણઠાણે વર્તતે એવો જીવ પણ પ્રારબ્ધ વેદ્યા વિના મુક્ત થઈ શકે નહીં, પણ તું તે ઉદયનો આશ્રયરૂપ હોવાથી નિજ દેષ જાણું તેને અત્યંત તીવ્રપણે વિચારી તેથી નિવૃત્ત થા, નિવૃત્ત ! કેવળ માત્ર પ્રારબ્ધ હોય, અને અન્ય કર્મદશા વર્તતી ન હોય તે તે પ્રારબ્ધ સહેજે નિવૃત્ત થવા દેવાનું બને છે, એમ પરમ પુરુષે સ્વીકાર્યું છે, પણ તે કેવળ પ્રારબ્ધ ત્યારે કહી શકાય કે જ્યારે પ્રાણુતપર્યત નિષ્ઠભેદદષ્ટિ ન થાય, અને તેને સર્વ પ્રસંગમાં એમ બને છે, એવું જ્યાં સુધી કેવળ નિશ્ચય ન થાય ત્યાં સુધી શ્રેય એ છે કે, તેને વિષે ત્યાગબુદ્ધિ ભજવી, આ વાત વિચારી હે જીવ! હવે તું અલ્પકાળમાં નિવૃત્ત થા, નિવૃત્ત ! [[ પા. ૮૦૫] [ હાથોંધ ૧, પૃ. ૧૦૨] - ક હે જીવ! હવે તું સંગનિવૃત્તિરૂપ કાળની પ્રતિજ્ઞા કર, પ્રતિજ્ઞા કર ! કેવળ સંગનિવૃત્તિરૂપ પ્રતિજ્ઞાને વિશેષ અવકાશ જોવામાં ન આવે તે અંશસંગનિવૃત્તિરૂપ એવો આ વ્યવસાય તેને ત્યાગ ! - જે જ્ઞાનદશામાં ત્યાગાત્યાગ કંઈ સંભવે નહીં તે જ્ઞાનદશાની * પત્રાંક ૨૧૭માં શ્રી સેભાગભાઈને શ્રીમદુ લખે છે કે –“ચમ. અંતકાળે પ્રાણીને દુઃખદાયક નહીં લાગતો હોય પણ અમને સંગ દુઃખદાયક લાગે છે.' Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨૦ શ્રીમદ્ રાજચંદ્ર-આત્મચર્યો સિદ્ધિ છે જેને વિષે એ તું સસંગત્યાગા અલ્પકાળ વેદીશ તે સંપૂર્ણ જગત પ્રસંગમાં વર્તે તાપણુ તને ખાધરૂપ ન થાય. એ પ્રકાર વર્તે તે પણ નિવૃત્તિ જ પ્રશસ્ત સñ કહી છે, કેમકે ૠષભાદિ સ` પરમ પુરુષે છેવટે એમ જ કર્યું છે. [ પા. ૮ ૧૭ ] [ હાથનેાંધ ૨, પૃ. ૩] રાગ, દ્વેષ અને અજ્ઞાનના આત્યંતિક અભાવ કરી જે સહેજ શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિત થયા તે સ્વરૂપ અમારૂ સ્મરણ, ધ્યાન અને પામવા ચેાગ્ય સ્થાન છે. [પા. ૮૧૭] હાથનાંધ ૨ છ સનપદનું ધ્યાન કરે. [ પા. ૮૧૮ ] શુદ્ધ ચૈતન્ય અનંત આત્મદ્રવ્ય કેવળજ્ઞાનસ્વરૂપ શક્તિરૂપે તે [ હાથનેાંધ ૨, પૃ. ૫] [ હાથનેાંધ ૨, પૃ. ૭] જેને સપૂણ વ્યક્ત થયું છે, તથા વ્યક્ત થવાના જે પુરુષા મા પામ્યા છે તે પુરુષાને ભક્તિથી નમસ્કાર અ`ત Page #24 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-આત્મચર્યા [૫. ૮૧૮ ] [ હાથોંધ ૨, પૃ. ૧૩ - નમે જિણુણે જિદભવાણું જેની પ્રત્યક્ષ દશા જ બેધરૂપ છે, તે મહપુરુષને ધન્ય છે. જે મતભેદે આ જીવ પ્રહાય છે, તે જ મતભેદ જ તેના સ્વરૂપને મુખ્ય આવરણ છે. ક વીતરાગપુરુષના સમાગમ વિના, ઉપાસના વિના, આ જીવને મુમુક્ષતા કેમ ઉત્પન્ન થાય ? સમ્યગજ્ઞાન ક્યાંથી થાય ? સમ્યગ્દર્શન ક્યાંથી થાય ? સચ્ચારિત્ર ક્યાંથી થાય? કેમ કે એ ત્રણે વસ્તુ અન્ય સ્થાનકે હોતી નથી. વીતરાગપુરુષના અભાવ જેવો વર્તમાનકાળ વર્તે છે. હે મુમુક્ષુ ! વીતરાગપર વારંવાર વિચાર કરવા ગ્ય છે, ઉપસના કરવા યોગ્ય છે, ધ્યાન કરવા યોગ્ય છે. [ પા. ૮૨૦] [ હાથનેધ ૨, પૃ. ૨૭] એકાંત આત્મવૃત્તિ. એકાંત આત્મા. કેવળ એક આત્મા. કેવળ એક આત્મા જ. કેવળ માત્ર આત્મા. કેવળ માત્ર આત્મા જ, આત્મા જ. શુદ્ધાત્મા જ. સહાજાભા જ. નિર્વિકલ્પ, શબ્દાતીત સહજ સ્વરૂપ આત્માજ. * યથાર્થ સમયગ્દષ્ટિ–જ્ઞાની દર્શનની અપેક્ષાએ વીતરાગી છે, તેનું ચિત્ત વિરક્તચિત્ત છે, અબંધપરિણમી છે. તેવા વીતરાગી જ્ઞાની પુરુષના સમાગમ વિના. Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૨ [ પા. ૮૨૨] થા. એવભૂત દૃષ્ટિથી ઋનુસૂત્ર સ્થિતિ કર. ઋજીસૂત્ર દૃષ્ટિથી એવભૂત સ્થિતિ કર. નૈગમ દૃષ્ટિથી એવ’ભૂત પ્રાપ્તિ કર. એવ’ભૂત દૃષ્ટિથી તૈગમ વિશુદ્ધ કર. સંગ્રહ દૃષ્ટિથી એવ’ભૂત એવભૂત દૃષ્ટિથી સંગ્રહ વિશુદ્ધ કર. વ્યવહાર દૃષ્ટિથી એવભૂત પ્રત્યે જા. એવ’ભૂત દૃષ્ટિથી વ્યવહાર વિનિવૃત્ત કર. શબ્દ દૃષ્ટિથી એવ ભૂત પ્રત્યે જા. એવ‘ભૂત દૃષ્ટિથી શબ્દ નિવિકલ્પ કર. સમભિરૂઢ દૃષ્ટિથી એવભૂત અવલાક. એવ‘ભૂત દૃષ્ટિથી સમભિઢ સ્થિતિ કર. એવ ભૂત દૃષ્ટિથી એવ ભૂત એવભૂત સ્થિતિથી એવભૂત દૃષ્ટિ શમાવ. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ થા. [પા. ૮૨૩] હું અસંગ શુદ્ધ ચેતન હ્યું. વચનાતીત નિર્વિકલ્પ એકાંત શુદ્ધ શ્રીમદ રાજચંદ્ર–આત્મચર્યા [હાથનેાંધ ૨, પૃ. ૩૫] [ હાથનેાંધ ૨, પૃ. ૩૭ ] અનુભવસ્વરૂપ છુ. હું પરમ શુદ્ઘ અખંડ ચિદ્ધાતુ છું. અચિદ્ધાતુના સયેાગરસને આ આભાસ તે જુએ ! આશ્ચય વત, આશ્ચયરૂપ ઘટના છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-આત્મચર્યો કંઈ પણુ અન્ય વિકલ્પનેા અવકાશ નથી. સ્થિતિ પણ એમ જ છે. [ પા. ૮૨૩] [ હાથનેધ ૨, પૃ. ૩૯ ] પરાનુગ્રહ પરમ કારુણ્યવૃત્તિ કરતાં પણ પ્રથમ ચૈતન્ય જિન પ્રતિમા થા. ચૈતન્ય જિનપ્રતિમા થા. તેવા કાળ છે? તે વિષે નિર્વિકલ્પ થા. તેવા ક્ષેત્રયેાગ છે ? ગવેષ. તેવું પરાક્રમ છે ? અપ્રમત્ત શૂરવીર થા. તેટલુ' આયુષ્મળ છે ? શું લખવું ? શું કહેવું ? અંતમુ ખ ઉપયાગ કરીને જો. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૨૩ [પા. ૮૨૪] [ હાથનેાંધ ૨, પૃ. ૪૫] હે સૌત્કૃષ્ટ સુખના હેતુભૂત સમ્યગ્દન ! તને અત્યંત ભક્તિથી નમસ્કાર હે. આ અનાદિ અનંત સંસારમાં અનંત અનંત જીવા તારા આશ્રય વિના અનંત અનંત દુઃખને અનુભવે છે. તારા પરમાનુગ્રહથી સ્વસ્વરૂપમાં રુચિ થઈ. પરમ વીતરાગ સ્વભાવ પ્રત્યે પરમ નિશ્ચય આવ્યા. કૃતકૃત્ય થવાના મા ગ્રહણ થયા. Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શ્રીમદ્ રાજચંદ્ર-આત્મચય હે જિન વીતરાગ ! તમને અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું. તમે આ પામર પ્રત્યે અનંત અનંત ઉપકાર કર્યો છે. હે કુંદકુંદાદિ આચાર્યો ! તમારાં વચને પણ સ્વરૂપાનુસંધાનને વિષે આ પામરને પરમ ઉપકારભૂત થયાં છે. તે માટે હું તમને અતિશય ભક્તિથી નમસ્કાર કરું છું. હે શ્રી ભાગ ! તારા સત્સમાગમના અનુગ્રહથી આત્મદશાનું સ્મરણ થયું તે અર્થે તને નમસ્કાર છે. [ પા. ૮૨૪] [ હાથોંધ ૨, પૃ. ૪૭ ] જેમ ભગવાન જિને નિરૂપણ કર્યું છે તેમ જ સર્વ પદાર્થનું સ્વરૂપ છે. ભગવાન જિને ઉપદેશેલે આત્માને સમાધિમાર્ગ શ્રી ગુના અનુગ્રહથી જાણ, પરમ પ્રયત્નથી ઉપાસના કરે. હાથોંધ ૩ જી. [ પા. ૮૨૫] [ હાથનેધ ૩, પૃ. ૭ સર્વજ્ઞપદ વારંવાર શ્રવણ કરવા યોગ્ય, વાંચવા ગ્ય, વિચાર કરવા યોગ્ય, લક્ષ કરવા યોગ્ય અને સ્વાનુભવે સિદ્ધ કરવા યોગ્ય છે. [પા. ૨૬ ] [ હાથનેધ ૩, પૃ. ૧૫ ] ૐ નમઃ સર્વ જીવ સુખને ઈચ્છે છે. દુઃખ સર્વને અપ્રિય છે. દુખથી મુક્ત થવા સર્વ જીવ ઈચ્છે છે. વાસ્તવિક તેનું સ્વરૂપ ન સમજાવાથી તે દુઃખ મટતું નથી. Page #28 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-આત્મચર્યા તે દુ:ખના આત્યંતિક અભાવનું નામ મેક્ષ કહીએ છીએ. અત્યંત વીતરાગ થયા વિના આત્યંતિક મેાક્ષ હાય નહીં. સભ્યજ્ઞાન વિના વીતરાગ થઈ શકાય નહી. સમ્યગ્દર્શન વિના જ્ઞાન અસમ્યક્ કહેવાય છે. વસ્તુની જે સ્વભાવે સ્થિતિ છે, તે સ્વભાવે તે વસ્તુની સ્થિતિ સમજાવી તેને સમ્યગ્નાન કહીએ છીએ. [ પા. ૮૨૬ ] સમ્યગ્દાનદ નથી પ્રતીત થયેલા આત્મભાવે ચારિત્ર છે. એ ત્રણેની એકતાથી મેક્ષ થાય. જીવ સ્વાભાવિક છે. પરમાણુ સ્વાભાવિક છે. જીવ અનંત છે. કહેવાય. પરમાણુ અનંત છે. જીવ અને પુદ્ગલને સયેાગ અનાદિ છે. જ્યાં સુધી જીવને પુદ્ગલ સંબધ છે, ત્યાં સુધી સક` જીવ [ હાથનેાંધ ૩, પૃ. ૧૬ ] વવું તે [ પા. ૮૨૭ ] ૨૫ ભાવકતા કર્તા જીવ છે. ભાવકનું બીજું નામ વિભાવ કહેવાય છે. ભાવકના હેતુથી જીવ પુદ્ગલ ગ્રહે છે. તેથી તૈજસાદિ શરીર અને ઔદારિકાદિ શરીરને યાગ થાય છે. ભાવકમથી વિમુખ થાય તે નિજભાવપરિણામી થાય. { હાથનેાંધ ૩, પૃ. ૧૭] Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૬ સમ્યગ્દર્શન વિના વાસ્તવિકપણે થઈ શકે. સમ્યગ્દર્શન થવાના મુખ્ય હેતુ થવી તે છે. [પા. ૮૨૭] [ હાથનેાંધ ૩, પૃ. ૧૯ ] હું કેવળ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ સહજ નિજ અનુભવસ્વરૂપ છેં. વ્યવહારદષ્ટિથી માત્ર આ વચનને વક્તા હ્યું. પરમાથી તે માત્ર તે વચનથી વ્ય ંજિત મૂળ અર્થારૂપ બ્રુ. તમારાથી જગત ભિન્ન છે, અભિન્ન છે, ભિન્નાભિન્ન છે? ભિન્ન, અભિન્ન, ભિન્નાભિન્ન, એવા અવકાશ સ્વરૂપમાં નથી. વ્યવહાર દૃષ્ટિથી તેનું નિરૂપણ કરીએ છીએ. શ્રીમદ્ રાજચંદ્ર–આત્મચર્યોં જીવ ભાવક થી વિમુખ ન જિનવચનથી તત્ત્વાર્થં પ્રતીતિ — જગત મારા વિષે ભાસ્યમાન હેાવાથી અભિન્ન છે, પણ જગત જગતસ્વરૂપે છે, હું સ્વસ્વરૂપે છુ, તેથી જગત મારાથી કેવળ ભિન્ન છે. તે અને દૃષ્ટિથી જગત મારાથી ભિન્નાભિન્ન છે. ૐ શુદ્ધ નિવિકલ્પ ચૈતન્ય. [ હાથનેાંધ ૩, પૃ. ૨૩] [ પા. ૮૨૭] કેવળજ્ઞાન. એક જ્ઞાત. સર્વ અન્ય ભાવના સંસગ રહિત એકાંત શુદ્ધ જ્ઞાન. સર્વાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનું સર્વ પ્રકારથી એક સમયે જ્ઞાન. તે કેવળજ્ઞાનનું અમે ધ્યાન કરીએ છીએ. નિજસ્વભાવરૂપ છે. સ્વતત્ત્વભૂત છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-આત્મચય નિરાવરણ છે. અભેદ છે. નિર્વિકલ્પ છે. સર્વ ભાવનું ઉત્કૃષ્ટ પ્રકાશક છે. [ પા. ૮૨૮] [ હાથોંધ ૩, પૃ. ૨૪ હું કેવળ જ્ઞાનસ્વરૂપ છું. એમ સમ્યફ પ્રતીત થાય છે. તેમ થવાના હેતુઓ સુપ્રતીત છે. સર્વ ઈન્દ્રિય સંયમ કરી, સર્વ પદ્રવ્યથી નિજસ્વરૂપ વ્યાવૃત્ત કરી, યોગને અચલ કરી, ઉપગથી ઉપયોગની એકતા કરવાથી કેવળજ્ઞાન થાય. [[ પા. ૮૨૮ ] [ હાથનેધ ૩, પૃ. ૨૭] આકાશવાણી તપ કરે; તપ કરે; શુદ્ધ ચૈતન્યનું ધ્યાન કરે; શુદ્ધ ચૈતન્યનું ધ્યાન કરો. [પા. ૮૨૮] [ હાથનેધ ૩, પૃ. ૨૯ હું એક છું, અસંગ છું, સર્વ પરભાવથી મુક્ત છું. અસંખ્યાત પ્રદેશાત્મક નિજ અવગાહના પ્રમાણ છું. અજન્મ, અજર, અમર, શાશ્વત છું. સ્વપર્યાય પરિણામ સમયાત્મક છું. શુદ્ધ ચૈતન્યસ્વરૂપ માત્ર નિર્વિકલ્પ દષ્ટા છું. Page #31 -------------------------------------------------------------------------- ________________ २८ 192 रहित लक्षण परभावथी चैतन्य [पा. ८२८] जीव. सर्व स्वरुपथी शुद्ध चैतन्य શ્રીમદ્ રાજચંદ્ર-આત્મચર્યોં संयोगे सर्व આભ્યંતર ભાત અવધૂત, विद्वेडीवत, જિનકલ્પીવત. विभाव चैतन्य परिणामे शुद्ध [ हाथनधि ३, पृ. ३७ ] प्रतितीप સ પરભાવ અને વિભાવથી વ્યાવૃત્ત, નિજ સ્વભાવના ભાનસહિત અવધૂતવત્ વિદેહીવત્ જિનકક્ષ્મીવત્ વિચરતા પુરુષ ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરીએ છીએ. Page #32 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર–આત્મચર્યોં ૨૯ [ પા. ૮૩૦] [ હાથનેાંધ ૩, પૃ. ૪૫] પ્રત્યક્ષ નિજ અનુભવસ્વરૂપ છું, તેમાં સંશય શે? તે અનુભવમાં જે વિશેષ વિષે ન્યૂનાધિકપણું થાય છે, તે જો મટે તા કેવળ અખંડાકાર સ્વાનુભવસ્થિતિ વર્તે. અપ્રમત્ત ઉપયેાગે તેમ થઈ શકે. અપ્રમત્ત ઉપયાગ થવાના હેતુઓ સુપ્રતીત છે. તેમ વત્યે જવાય છે તે પ્રત્યક્ષ સુપ્રતીત છે. અવિચ્છિન્ન તેવી ધારા વર્તે તો અદ્ભુત અનંત જ્ઞાનસ્વરૂપ અનુભવ સુસ્પષ્ટ સમવસ્થિત વતે – [પા. ૮૩૦] અહા ! સર્વોત્કૃષ્ટ શાંત રસમય સન્મા અહા ! તે સર્વોત્કૃષ્ટ શાંત રસપ્રધાન માના મૂળ સનદેવ~~~ અહા ! તે સર્વોત્કૃષ્ટ શાંત રસ સુપ્રતીત કરાવ્યા એવા પરમકૃપાળુ સદ્ગુરુદેવ — આ વિશ્વમાં સકાળ તમે જયવંત વ, જયવત વર્તો. [પા. ૮૩૧] સ્વપર ઉપકારનું મહત્ કા અપ્રમત્ત થા – અપ્રમત્ત થા. શું કાળને ક્ષણવારને પણ ભરૂસા હૈ પ્રમાદ ! હવે તું જા, જા. ચા, શાંત. [ હાથનેાંધ ૩, પૃ. પર ] હવે [ હાથનેાંધ ૩, પૃ. ૫૮ ] કરી લે! ત્વરાથી કરી લે ! પુરુષોએ કર્યો છે? હે બ્રહ્મચર્ય ! હવે તું પ્રસન્ન થા, પ્રસન્ન થા. હું વ્યવહારાય ! હવે પ્રબળથી ઉદય આવીને પણ તું શાંત આ Page #33 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-આત્મચય હે દીર્ઘસૂત્રતા! સુવિચારનું, ધીરજનું, ગંભીરપણાનું પરિણામ તું શા માટે થવા ઈચ્છે છે? હે બેધબીજ ! તું અત્યંત હસ્તામલકવત્ વત, વર્ત. હે જ્ઞાન ! તું દુર્ગમ્યને પણ હવે સુગમ સ્વભાવમાં લાવી મૂક. [ પા. ૮૩૧] [ હાથોંધ ૩, પૃ. ૫૯] હે ચારિત્ર! પરમ અનુગ્રહ કર, પરમ અનુગ્રહ કર. હે વેગ ! તમે સ્થિર થાઓ; સ્થિર થાઓ ! હે ધ્યાન! તું નિજ સ્વભાવાકાર થા, નિજ સ્વભાવાકાર થા. હે વ્યગ્રતા ! તું જતી રહે, જતી રહે. હે અલ્પ કે મધ્ય અલ્પ કષાય ! હવે તમે ઉપશમ થાઓ, ક્ષીણ થાઓ. અમારે કંઈ તમારા પ્રત્યે રુચિ રહી નથી. હે સર્વત્તપદ! યથાર્થ સુપ્રતીતપણે તે હૃદયાવેશ કર, હૃદયાવેશ કર. હે અસંગ નિગ્રંથપદ ! તું સ્વાભાવિક વ્યવહારરૂપ થા ! હે પરમ કણમય સર્વ પરમહિતના મૂળ વીતરાગ ધમ! પ્રસન્ન થા, પ્રસન્ન. હે આત્મા! તું નિજ સ્વભાવાકાર વૃત્તિમાં જ અભિમુખ થા! અભિમુખ થા. . [પા. ૮૩૨]. [ હાથોંધ ૩, પૃ. ૬૧] હે વચન સમિતિ ! હે કાય અચપળતા ! હે એકાંતવાસ અને અસંગતા ! તમે પણ પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ. ખળભળી રહેલી એવી જે આત્યંતર વર્ગણું તે કાં તે અત્યંતર જ વેદી લેવી, કાં તે તેને સ્વચ્છપુટ દઈ ઉપશમ કરી દેવી. જેમ નિસ્પૃહતા બળવાન તેમ ધ્યાન બળવાન થઈ શકે, કાર્ય બળવાન થઈ શકે. Page #34 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર–આત્મચય ૩૧ અંતિમ અપૂર્વ મંગલ સુખધામ અનંત સુસંત ચહિ, દિનરાત્ર રહે તદુ ધ્યાન મહિ; પરશાંતિ અનંત, સુધામય જે. પ્રણમું પદ તે, વર તે જય તે, – શ્રીમદ્ રાજચંદ્ર सद्गुरुचरणार्पणमस्तु । આ ટ્રસ્ટ તરસ્થી પ્રકાશિત થયેલ શ્રીમદ્ રાજચંદ્રનું અન્ય સાહિત્ય કિંમત ૧. રાજપ્રશ્ન રૂ. ૫-૨૫ ૨. ઉગમતે પ્રભાતે રૂ. ૦-૭૫ ૩. શ્રીમદ્ રાજચંદ્ર-જીવનતિ રૂ. ૧-૨૫ ૪. સુખ વિષે વિચાર રૂ. ૦-૨૦ ૫. શ્રીમદ્ રાજચંદ્ર-આત્મચર્યા રૂ. ૦-૩૦ Page #35 -------------------------------------------------------------------------- ________________ નીતિસંસ્કારનુ ઘડતર કરતુ. ઘરઘરનું સોંઘું પુસ્તકાલય શ્રી જીવન – મણિ સાચનમાળા ટ્રસ્ટ ડીભાઈના દેરા સામે : અમદાવાદ. વર્ષ પહેલુ ૨૦૧૩ વર્ષે ચાથું ૨૦૧૬ ૧ ભગવાન મહાવીર ૨ સુવણૅ ક ક ૩-૦૦ ૧-૦૦ ૩ સાચન શ્રેણી ૧ લી ૨-૫૦ ૪ સૌરભ ૨-૦૦ ૨-૦૦ ૫ સતની આંધી પૃથ્વી ૬ સાચન શ્રેણી ૨જી ૨-૫૦ ભેટ પુસ્તક : અક્ષય તૃતીયા ૦-૪૫ વર્ષ બીજી ૨૦૧૪ ૧ ભગવાન ઋષભદેવ ૨ વીરડાનાં પાણી ૩ ભવનું ભાતું ૩-૧૦ ૨-૦૦ ૧-૨૫ ૪ સદ્વાચન શ્રેણી ૩ જી ૨-૫૦ ૫ પાપ અને પુણ્ય ૨-૦૦ હું પ્રેમપંથ પાવક જ્વાળા ૧-૫૦ ભેટ પુસ્તક : દહીં'ની વાટકી ૦-૪૫ વ ત્રીજી ૨૦૧૫ ૧ પ્રેમનું મંદિર ૩-૫૦ ૩-૦૦ ૨-૦૦ ૪ શ્રી `તેમ-રાજુલ ૨૫૦ ૧-૨૫ ૫ રાગ અને વિરાગ ૬ આંખે આવ્યા માર ભેટ પુસ્તક : બિંદુમાં સિંધુ ૦-૬૫ ૧-૧૦ ૨ જગતશાહ ૩ હવે તા જાગે ૧ સ'સારસેતુ 3040 ૨ સાચન શ્રેણી ૪ થી ૩-૦૦ ૩ માતૃદેવા ભવ ૧-૫૦ ૪ મંત્રીશ્વર વિમલ ૧-૫૦ ૫ ત્યાગની વેલી ૬ લીપર સેજ હમારી ભેટ પુસ્તક : ચપટી માર વર્ષે પાંચમુ ૨૦૧૭ ૧ શત્રુ કે અજાતશત્રુ ભા.૧૩-૫૦ ૨ શત્રુ કે અજાતશત્રુ ભા.૨૩-૫૦ ૩ નકલક મેાતી ૧-૫૦ ૧-૫૦ ૦–૭૫ ૨-૦૦ ૪ ધરત્નનાં અજવાળાં ૩-૫૦ ૫ પાલી પરવાળાં ૧-૫૦ ૧-૦૦ ૬ કલ્યાણમૂતિ ભેટ પુસ્તક : પ્રેરણાની પરબ ૦-૫૦ વર્ષ છઠ્ઠું ૨૦૧૮ ૧ ચક્રવતી ભરતદેવ 3-00 ૨ નરકેસરી ૪-૦૦ ૩ સાચન શ્રેણી ૫ મી ૩-૦૦ ૪ હિમગિરિની કન્યા ૧-૧૦ ૫ મૂફી માણેક ૧-૫૦ ૬ પ્રણવ અને બીજી વાતે ૧-૫૦ ભેટ પુસ્તક : ઉગમતે પ્રભાતે ૦-૭૫ ' સ. ૨૦૧૩થી ૨૦૧૭ના પાંચ વર્ષના ગ્રાહકોને ભેટ ‘ કાજળ અને અરીસા’ વાર્ષિક લવાજમ રૂા. ૧૦-૦૦ : પાસ્ટેજ રૂા. ૨-૫૦ જીદું, Page #36 -------------------------------------------------------------------------- ________________ અહો ! સર્વોત્કૃષ્ટ શાંત રસમય સન્માર્ગ- . અહો ! તે સર્વોત્કૃષ્ટ શાંત રસપ્રધાન માગના | મૂળ સર્વજ્ઞદેવ :અહા ! તે સર્વોત્કૃષ્ટ શાંત રસ સુપ્રતીત કરાવ્યો એવા પરમકૃપાળુ સદ્ગુરુદેવઆ વિશ્વમાં સર્વકાળ તમે જયવંત વર્તા, જયવંત વર્તો. હાથનોંધ 3, પૃ. ૫ર