SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર-આત્મચય હે દીર્ઘસૂત્રતા! સુવિચારનું, ધીરજનું, ગંભીરપણાનું પરિણામ તું શા માટે થવા ઈચ્છે છે? હે બેધબીજ ! તું અત્યંત હસ્તામલકવત્ વત, વર્ત. હે જ્ઞાન ! તું દુર્ગમ્યને પણ હવે સુગમ સ્વભાવમાં લાવી મૂક. [ પા. ૮૩૧] [ હાથોંધ ૩, પૃ. ૫૯] હે ચારિત્ર! પરમ અનુગ્રહ કર, પરમ અનુગ્રહ કર. હે વેગ ! તમે સ્થિર થાઓ; સ્થિર થાઓ ! હે ધ્યાન! તું નિજ સ્વભાવાકાર થા, નિજ સ્વભાવાકાર થા. હે વ્યગ્રતા ! તું જતી રહે, જતી રહે. હે અલ્પ કે મધ્ય અલ્પ કષાય ! હવે તમે ઉપશમ થાઓ, ક્ષીણ થાઓ. અમારે કંઈ તમારા પ્રત્યે રુચિ રહી નથી. હે સર્વત્તપદ! યથાર્થ સુપ્રતીતપણે તે હૃદયાવેશ કર, હૃદયાવેશ કર. હે અસંગ નિગ્રંથપદ ! તું સ્વાભાવિક વ્યવહારરૂપ થા ! હે પરમ કણમય સર્વ પરમહિતના મૂળ વીતરાગ ધમ! પ્રસન્ન થા, પ્રસન્ન. હે આત્મા! તું નિજ સ્વભાવાકાર વૃત્તિમાં જ અભિમુખ થા! અભિમુખ થા. . [પા. ૮૩૨]. [ હાથોંધ ૩, પૃ. ૬૧] હે વચન સમિતિ ! હે કાય અચપળતા ! હે એકાંતવાસ અને અસંગતા ! તમે પણ પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ. ખળભળી રહેલી એવી જે આત્યંતર વર્ગણું તે કાં તે અત્યંતર જ વેદી લેવી, કાં તે તેને સ્વચ્છપુટ દઈ ઉપશમ કરી દેવી. જેમ નિસ્પૃહતા બળવાન તેમ ધ્યાન બળવાન થઈ શકે, કાર્ય બળવાન થઈ શકે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005022
Book TitleShrimad Rajchandra Atmacharya
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy