SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર-આત્મચર્યા [પા. ૮૦૫] [ હાથોંધ ૧, પૃ. ૧૦૧] હે જીવ ! અસારભૂત લાગતા એવા આ વ્યવસાયથી હવે નિવૃત્ત થા, નિવૃત્ત ! તે વ્યવસાય કરવાને વિષે ગમે તેટલો બળવાન પ્રારબ્ધોદય દેખાતે હોય તો પણ તેથી નિવૃત્ત થા, નિવૃત્ત! જો કે શ્રી સર્વ એમ કહ્યું છે કે ચૌદમે ગુણઠાણે વર્તતે એવો જીવ પણ પ્રારબ્ધ વેદ્યા વિના મુક્ત થઈ શકે નહીં, પણ તું તે ઉદયનો આશ્રયરૂપ હોવાથી નિજ દેષ જાણું તેને અત્યંત તીવ્રપણે વિચારી તેથી નિવૃત્ત થા, નિવૃત્ત ! કેવળ માત્ર પ્રારબ્ધ હોય, અને અન્ય કર્મદશા વર્તતી ન હોય તે તે પ્રારબ્ધ સહેજે નિવૃત્ત થવા દેવાનું બને છે, એમ પરમ પુરુષે સ્વીકાર્યું છે, પણ તે કેવળ પ્રારબ્ધ ત્યારે કહી શકાય કે જ્યારે પ્રાણુતપર્યત નિષ્ઠભેદદષ્ટિ ન થાય, અને તેને સર્વ પ્રસંગમાં એમ બને છે, એવું જ્યાં સુધી કેવળ નિશ્ચય ન થાય ત્યાં સુધી શ્રેય એ છે કે, તેને વિષે ત્યાગબુદ્ધિ ભજવી, આ વાત વિચારી હે જીવ! હવે તું અલ્પકાળમાં નિવૃત્ત થા, નિવૃત્ત ! [[ પા. ૮૦૫] [ હાથોંધ ૧, પૃ. ૧૦૨] - ક હે જીવ! હવે તું સંગનિવૃત્તિરૂપ કાળની પ્રતિજ્ઞા કર, પ્રતિજ્ઞા કર ! કેવળ સંગનિવૃત્તિરૂપ પ્રતિજ્ઞાને વિશેષ અવકાશ જોવામાં ન આવે તે અંશસંગનિવૃત્તિરૂપ એવો આ વ્યવસાય તેને ત્યાગ ! - જે જ્ઞાનદશામાં ત્યાગાત્યાગ કંઈ સંભવે નહીં તે જ્ઞાનદશાની * પત્રાંક ૨૧૭માં શ્રી સેભાગભાઈને શ્રીમદુ લખે છે કે –“ચમ. અંતકાળે પ્રાણીને દુઃખદાયક નહીં લાગતો હોય પણ અમને સંગ દુઃખદાયક લાગે છે.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005022
Book TitleShrimad Rajchandra Atmacharya
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy