SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ દ– દશ્ય વિવેકમાં કહ્યું છે કે–. देहाभिमाने गलिते, विज्ञाते परमात्मनि । यत्र यत्र मना याति, तत्र तत्र समाधयः॥ અર્થાત્ – દેહાભિમાન ગળી ગયે ને જ્ઞાયકસ્વરૂપ પરમાત્મતત્વ જાણવામાં આવ્યું જ્યાં જ્યાં મન જાય છે, ત્યાં ત્યાં સમાધિ જ છે. દેહાભિમાનત્યાગી પરમતત્વદષ્ટા શ્રીમત્તે આવી સહજસમાધિ સહજ સ્વભાવભૂત બની ગઈ હતી. જેમ પતિવ્રતા સ્ત્રીનું મન ઘર સંબંધી બીજા બીજા કામે કરવા છતાં પિતાના વહાલા પતિ ઉપર જ હોય છે, તેમ અનુભવ ગશાલી – યથાર્થજ્ઞાની-જ્ઞાનાક્ષેપકવંત મહાપુરુષનું મન પ્રારબ્ધપતિત બીજાં બીજાં કાર્યો કરવા છતાં સ્વકીય આત્મધર્મને વિશે જ હોય છે; એજ એની સહજ સમાધિરૂપ છે. “મન મહિલાનું રે વહાલા ઉપરે. બીજાં કામ કરત; તિમ મૃતધમે રે એહવું મન ધરે, જ્ઞાનાક્ષેપકવંત.” (પૂ. ઉ. યશ વિ.) મતલબ કે, ગ્રંથિભેદજન્ય પરમાર્થ સમ્યગ્દર્શનને પ્રાપ્ત અનુભગશાલી જ્ઞાની પુરુષની વૃત્તિ નિજભાવને વિશે જ પ્રવેહતી હેય છે, સ્વભાવ ધર્મને વિશે જ પ્રવેહતી હોય છે. જેનો અનુભવ થયો છે, તેનું જ લક્ષ ને તેની જ પ્રતીત વર્તે છે. વર્ત નિજસ્વભાવને, અનુભવ લક્ષ પ્રતીત; વૃત્તિ વહે નિજભાવમાં, પરાર્થે સમક્તિ–આત્મસિદ્ધિશાસ્ત્ર, કેવળજ્ઞાનની તિસ્વરૂપ પરમાત્મતત્વને અનુભવ–પ્રકાશ થયો હેવાથી તેને શેષ સર્વ કંઈ અસાર, અસારભૂત લાગે છે. પૌલિક સુખમાં સુખની બુદ્ધિ અર્થાત્ અનિત્ય પદાર્થને વિશે નિત્યત્વની મેહબુદ્ધિ ટળી ગઈ હોવાથી તેને નિત્ય એ એક આત્મા જ સારભૂત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005022
Book TitleShrimad Rajchandra Atmacharya
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy