SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ લાગે છે. “કેવળ જ્યોતિ તે તત્વ પ્રકાશે, શેષ ઉપાય અસારે રે.” (ઉ. શ્રી યશોવિ.) સ્વમાં પરની બ્રાંતિ ને પરમાં સ્વની બ્રાંતિ ઉદાહરણ તરીકે છીપમાં રૂપાની બાંતિ ને રૂપામાં છીપની ભ્રાંતિ એ રૂપ વિષયને વિક્ષેપ (સ્વરૂપ વિશ્રાંતિ) ટળી ગયો હોવાથી પ્રારબ્ધોદયે બીજાં બીજાં કામ કરવાં છતાં આત્મજ્ઞાનથી આક્ષિપ્ત ચિત્ત છે જેનું એવા અનુભવયેગશાલી–સાનાક્ષેપકવત પુરુષની ચિત્તવૃત્તિ સ્વધર્મને વિશે અર્થાત પિતાના સહજસ્વરૂપને વિશે જ વૃત્તિનું પ્રવહન હોય છે. શ્રી જિનાગમકથિત એવા સ્વાનુભૂતિલક્ષણયુકત સમ્યગ્દષ્ટિ – જ્ઞાની પુરુષને ઉપર ઉપર થવાવાળી ગુણશ્રેણું નિર્જરામાં * સમયે સમયે અનંતગુણું વિશિષ્ટ આત્મભાવ (અંતરંગ સંયમ પરિણામ) વર્ધમાન હોય છે. અને તે અનંતગુણ વિશિષ્ટ આત્મભાવ અસંખ્યાતગુણ નિરારૂપ હોય છે, જે શાસ્ત્રોને સમજવું સાવ સુગમ છે. વર્ત માનયુગમાં તેનું જ્વલંત દષ્ટાંત અસાધારણ જ્ઞાનવિભૂતિ શ્રીમદ્ રાજચંદ્રજી બુદ્ધિમાન પ્રેક્ષાવંતેને પ્રતીતરૂપ થાય છે. જે તેમનું વર્ષવાર સાંગોપાંગ પવિત્ર આત્મજીવન લક્ષમાં લઈ સમજવાથી સુજ્ઞ વિચારથી સ્પષ્ટ સમજી શકાશે. એકવીશમાં વર્ષમાં જ શ્રીમદ્ વદે છે કે –“જગતને રૂડું દેખાડવા અનંતવાર પ્રયત્ન કર્યું તેથી રૂડું થયું નથી. કેમકે પરિભ્રમણ અને પરિભ્રમણના હેતુઓ હજુ પ્રત્યક્ષ રહ્યા છે. એક ભવ જે આત્માનું રૂડું થાય તેમ વ્યતીત કરવામાં જશે તે અનંત ભવનું સાટું વળી રહેશે, એમ હું લઘુત્વભાવે સમજે છઉં અને તેમ કરવામાં જ મારી પ્રવૃત્તિ છે.” શ્રીમના આ વેધક વચન જ શ્રીમના વીતરાગ સમશ્રેણીઓ આરોહતા આત્મલક્ષી જીવનની રહસ્ય ચાવીરૂપ છે. * આત્મા આત્મા ભાવે વર્તે છે, સમયે સમયે અનંતગુણ વિશિષ્ટ આત્મભાવ વધતો હોય એવી દશા રહે છે.-શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક, ૩૧૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005022
Book TitleShrimad Rajchandra Atmacharya
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy