SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર–આત્મચર્યા ૧૭ એવી ઉગ્ર આત્મદશા પ્રગટે, અને જે ઉદયની સ્થિતિ પ્રમાણે ઉદયનો કાળ રહેવા દેવાનો વિચાર કરવામાં આવે તે હવે આત્મશિથિલતા થવાને પ્રસંગ આવશે, એમ લાગે છે કેમકે દીર્ધકાળને આત્મભાવ હેવાથી અત્યાર સુધી ઉદયબળ ગમે તેવું છતાં તે આત્મભાવ હણાયે નથી, તથાપિ કંઈક કંઈક તેની અજાગૃતાવસ્થા થવા દેવાનો વખત આવ્યો છે; એમ છતાં પણ હવે કેવળ ઉદય પર ધ્યાન આપવામાં આવશે તે શિથિલભાવ ઉત્પન્ન થશે. [પા. ૮૦૪] [ હાથોંધ ૧, પૃ. ૯૨] જ્ઞાનીપુ ઉદયવશ દેહાદિ ધર્મ નિવર્તે છે. એ રીતે પ્રવૃત્તિ કરી હોય તે આત્મભાવ હણવો ન જોઈએ; એ માટે તે વાત લક્ષ રાખી ઉદય વેદ ઘટે છે, એમ વિચાર પણ હમણું ઘટતું નથી, કેમકે જ્ઞાનનાં તારતમ્ય કરતાં ઉદયબળ વધતું જોવામાં આવે તે જરૂર ત્યાં જ્ઞાનીએ પણ જાગૃત દશા કરવી ઘટે, એમ શ્રી સર્વરે કહ્યું છે. અત્યંત દુષમકાળ છે તેને લીધે અને હતપુણ્ય લેકાએ ભરતક્ષેત્ર ઘેર્યું છે તેને લીધે પરમસત્સંગ, સત્સંગ કે સરળપરિણામી જીવોને સમાગમ પણ દુર્લભ છે, એમ જાણું જેમ અલ્પકાળમાં સાવધાન થવાય તેમ કરવું ઘટે છે. [પા. ૮૦૪ ] [ હાથોંધ ૧, પૃ. ૯૩] મૌનદશા ધારણ કરવી ? વ્યવહારનો ઉદય એવો છે કે તે ધારણ કરેલી દશા લેકેને કષાયનું નિમિત્ત થાય, તેમ વ્યવહારની પ્રવૃત્તિ બને નહીં. * શ્રીમદ્દના આ અને ત્યાર પછીના બીજાં બીજ વચને વિચારતાં એવું ભાન થાય છે કે કેમ જાણે તેઓ પોતે જ પોતાના ગુણદોષ જોવાનું ચંત્ર ન હોય? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005022
Book TitleShrimad Rajchandra Atmacharya
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy