Page #1
--------------------------------------------------------------------------
________________
Registered No.B. 876
बुद्धिप्रभा.
દેશ, રામાજ, ધર્મ વગેરે જૈન અને જૈનેતર સાહિત્યથી વિભૂષિત.
पुस्तक ९ मुं]
ऑगष्ट १९१७. वीर संवत २४४३.
[अंक २.
તંત્રી, રા. મણિલાલ મોહનલાલ પાદરા પર
વિષયદર્શન.
વ્યવસ્થાપક. ર. કેશવ હ. શેઠ,
વિષય
લેખક
પૃ8, ૧ પ્રાચીન અસિદ્ધ જૈન સાહિત્ય. ... મેહનલાલ હીમચંદ વકીલ. . ૨ પ્રતિમા ... ... ... રા. કલ્યાણ .... ... ... ૪૦ ૩ સાહિત્ય પરિષદુ ભાવના . ર. ભાતુ .. .. ... 81 કે “રહાજો પરંતુ સર્વદા . રા, જનાર્દન ૯. પ્રભાસ્કર૫ આંસુડાં .. .. • ...રા. હંસલ .. • કે પુરૂષ અને સ્ત્રી ..
(અવતરણ.) • • છે કેળવણી સંબંધી સ્થિતિ
રા. નરોત્તમ બી શાહ . ૮ સ્વીકાર અને અભિપ્રાય
વ્યવસ્થાપક :૮ ચર્ચાપત્ર...
હંસ... ... ૧૦ બાલક-બબુ
...રે. કેશવ હ. શેઠ. ૧૧ નિવેદન .
.... તંત્રી. ... .. ... ૪
શ્રી અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળ તરફથી
પ્રકારાક,
શઃ શંકરલાલ ડાહ્યાભાઈ કાપડીઆ,
અમદાવાદ,
લવાજમ વર્ષ એક રૂ. ૧-૪-૦. છુટક દર એક નકલના બે આના
Page #2
--------------------------------------------------------------------------
________________
આ માસિકના નિયમે વગેરે.
૨
આ માસિકમાં આવતાં લખાણે પૈકી જનેતર લેખકોના લેખો સામાજિક દ્રષ્ટિએ લખાયેલા સમજવા. રાજકીય લેખે, ધાર્મિક ઝગડે ઉત્પન્ન કરે તેવા લે કે ચાપત્રો તથા નિર્જીવ કવિતાઓને માટે આ માસિક નથી. તેમજ અસ્પષ્ટ, કાગળની બને બાજૂ ખીચો
ખીચ લખાયલા, પેન્સીલથી લખેલા છે તેવી જાતના લેખે પર લક્ષ નહિ અપાય. ૩ સારા અને સાર્વજનિક હિત જળવાય તેવા, વિશાળ દટિયે લખાયેલા લેખોને યોગ્ય
ન્યાય મળશે. ૪ નહિ સ્વીકારાયેલા લેખો પાછો મંગાવનારે પિઝેજ મોકલવું. પ તખલ્લુસ(ઉપનામ) ધરાવનારાઓએ અમારી અંગત જાણુ માટે ખરું અને પૂરું
નામ જણાવવું. ૬ માસિકનું વાર્ષિક લવાજમ રૂ. ૧-૪-૦ પિઝેજ સાથે હોય છે. ભેટ અને વિ. પી.
ખર્ચ . અને લવાજમ અગાઉથીજ વસૂલ કરવામાં આવે છે. ૭ નવા વર્ષની શરૂઆત જુલાઈ મહિનાથી થાય છે. પાછળથી ગ્રાહક થનારને શિલિકમાં
હોય ત્યાં સુધી પાછલા અંકો પૂરા પાડવામાં આવે છે. અને ગ્રાહક તરીકેનું નામ જુલાઈથી નોંધાય છે. તેમ નહિ કરવા ઇચ્છનાર જ્યારથી ગ્રાહક થાય ત્યારથી જૂલાઈ
સુધીના આંકે જેટલું લવાજમ તેની કનેથી વસૂલ કરવામાં આવે છે. ૮ જે અંક ન મળે, તે માટે અમારું ધ્યાન, ત્યાર પછી બીજો અંક રવાને થાય
ત્યાર પછી ખેંચવું. ઇ વિશેષ ખુલાસા માટે આફ્રિસના શિરનામે પત્રવ્યવહાર કરવો. ૧૦ સહી વાળા લેખોની જવાબદારી લેખના લેખકને જ શિર સમજવી.
વ્યવસ્થાપક જાહેરખબર છપાવનારાઓ માટેના ભાવ. પ્રકર.
વર્ષ રૂ
એક માસ રૂ. ૧ આખું પૃષ્ટ ૨ અડધું પૃષ્ટ ૩ ૫ પૃષ્ટ ૪ પાંચ લીટી ૫ હેન્ડબીલ વહેચામણી–એકવાર માટે રૂ. ૭. પૂઠા પરના ભાવ માટે વ્યવસ્થાપક પર પત્રવ્યવહાર કરવો. આ માસિક સંબંધી સઘળે પત્રવ્યવહાર નીચેના શિરનામે કર,
શંકરલાલ ડાહ્યાભાઈ કાપડીઆ.
બુદ્ધિપ્રભા ઑફિસ-ચંગળ, અમદાવાદ,
Page #3
--------------------------------------------------------------------------
________________
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
N
વદિપ્રમો. 5 )
દેશ, રામાજ, ધર્મ વગેરે જૈન અને જૈનેતર
સાહિત્યથી વિભૂષિત. કિ ------- - ---- -- પુસ્તક ૯ મું] ઓગસ્ટ સને ૧૯૧૭. [ અંક ૨ જે.
जैन तत्वज्ञानी श्रीमद् देवचंद्रजीतुं प्राचीन अप्रसिद्ध
जैन साहित्य.
श्रीमद् चाहुजिन स्तवन. बाहुजिणंद दयामयी, वर्तमान भगवान प्रभुजी, __ महाविदेहे विचरता, केवल ज्ञान निधान, प्रभुजी. बाहु ॥ १॥
છે હવે ત્રીજા વિહરમાન પશ્ચિમ બુદ્વીપનેવિષે વચ્છવિજ્ય સૂસિમા નગરી, સુગ્રીવ રાજા, વિજયામાતા પુત્ર. મોહની રાણીના ભરતાર હિરણ લાંછન, શ્રી બાહુ હવામીને જે દયા નીપની છે તે દિખાડે છે, અને પ્રભુને સ્તવે છે. શ્રી બાહ સ્વામી દયામયી છે. ઈહાં યથાર્થ જ્ઞાન કરવાને દયાનું તથા અહિસાનું સ્વરૂપ કહીએ છીએ. જે કેઇને હણ નહિં તે અહિંસા કહીએ. તે વિભાવ૫રિણતિએ પરિણમીને જે આત્મગુણને હણ, તે ભાવ હિંસા. અને ગુણી તથા જ્ઞાનાદિક ગુણને અનુયાયી વીર્ય ઉપયોગ કરતાં આત્મગુણ હણાય જ નહિ. તે ભાવ અહિંસા. તથા જે આત્માના જ્ઞાનાદિક ગુણ આશ્રવથી હતા જાણીને તે આશ્રવથી ટાલીને આત્માને સંવરને વિષે પરિણમવું તે ભાવ દયા જાણવી. તથા કેઈ પરજીવના દશ પ્રાણ ન હણવા તે દ્રવ્ય અહિંસા. અને કોઈના દ્રવ્ય પ્રાણ હણાતા ઉગારવા તે દ્રવ્યદયા, એનું સ્વરૂપ વિશેષાવશ્યકે ચતુર્થ ગણધરવાદથી જો. તથા શ્રી હરિભદ્રસૂરિકૃત અહિંસાષ્ટકથી તથા
ઘનિર્યુક્તિથી જેજે. અંહ દયા અહિંસાને એકપણે તે કારણે કાયૉપચાર 1 + આ સ્તવન શ્રીમદ્ દેવચંદ્રજીએ રચેલુ હોઇ તેઓના સમયની ગુર્જર ભાષા પ્રમાજ અમે પ્રસિદ્ધ કરીએ છીએ. અને તે ઉપરને અર્થ પણ તેઓશ્રીએજ ભરેલો છે,
Page #4
--------------------------------------------------------------------------
________________
૪
બુદ્ધિપ્રભા
માટે છે, યા તે અહિંસાને કારણ છે. અહિંસા તે કાર્ય છે. સ્વપરના નાનાદિક ગુણ ન હણવા એ ભાવ અહિંસા. એ ધર્મ યત: “એસ ધમ્મે ધ્રુવે નીતિએ” ઇત્યાદિક આગમ વચન છે. તે શ્રી માડુ જીન કહેતાં વીતરાગના ઈંદ્ર પુષ્યોપગારી માટે તીર્થંકર તે પરમયામયી છે. આત્માની યા સંપૂર્ણ કરી છે, પરની સંપૂર્ણ દયા ઉપદ્મિશે છે. વર્તમાનકાળે વિચરતા ભવ્યજીવને દેશનામૃતે સિંચતા મહાવિદેહક્ષેત્રે તેહિ કેવળ સકલ લોકાલેકના ભાવ જેથી પ્રત્યક્ષ પરસહાય વિના એક સમયે જાણે તે કેવળ જ્ઞાનના નિધાન છે. એવા શ્રી બાહુજીન છે તે પરમયાલ છે,
द्रव्यथकी छकायने, न हणे जेह लगार प्रभुजी,
માવચા પોળામનો, હિમ છે. થવા, પ્રમુનૌ, કાદુ !!
દ્રવ્યથી છ કાય. ૧. પૃથ્વીકાય. ૨, અપકાય. ૩. તેઉકાય. ૪. વાઉકાય. પ. વનસ્પતિકાય. ૬. ત્રસકાય. ને નહણે જેશ્રી અરિહંત લિગાર અ’સમાવિષ્ણુ, ઈહાં કાંઇ પૂછચ્ચે જે કૈવલીના પગથી પારેવાના બચ્ચાં પ્રમુખ હણાયે છે. તે ન હણે કિમ કહે છે ? તેના ઉત્તર જે શ્રી ભગવતીસૂત્રે કેવલીના પગથી પારેવા પ્રમુખનાં બચ્ચાં હાય પણ તેહને ઇરીયાવહી કહો પશુ હિંસાન કહી તે માટે ન હણે ઇમ કહયે. જે છઠ્ઠું ગુણ ઠાણે મુનિને પ્રાણાતિપાતિકી ક્રિયા ઉતરી છે તે કેલીને કિમ હવે ? ક્યા માટે જે ભાવથા આત્મગુણુના રખવાલવે તેના ધણી જે ઉત્તમ ગુણી નિયથાર્દિક તેડને એ વ્યવઙાર કહેતાં પ્રવર્તન છે, જે જેમાં જેહવા ગુણ હુવે તેહના આચરણ પ્રવર્તન પણ તેવાજ હવે, જે પેતે સાહુકાર હવે તેને દેશ ચાલી પણ સમી હવે, જેના લાંડીયા હવે તેહના દેશ ચાલી પણ વાંકી હુવે, એ દૃષ્ટાંતે જે પરમેશ્ર્વર ભાવદયા પરિણામે પરણમ્યા છે તેહને વિહાર પણ છકાયને રાખવાનોજ હવે ઈમે જાણવા. એ દ્રશ્ય દયારૂપ પ્રથમ ભેદ કહ્યા.
रुपअनुत्तर देवथी, अनंत गुणो अभिराम प्रभुजी,
લોતાં વિઘ્ન ના નાવને, ન વધે વિષય વિરામ, મુ. વાછુ. રૂ.
ખીન્ન સરાગી જીવને રૂપ હુવે તે ઘણા જીવને વિકારને તથા સસારી સગાદિકના હેતુ થાય તિવારે તે જીવના આત્મ ગુણુ હણાયે, તિવારે તે રૂપ હિંસાના હેતુ થયા, અને શ્રી પ્રભુજીને રૂપ તે અનુત્તર વિમાનના દેવતાથી અનતગુણા અભિરામ કહેતાં મનોહર છે. એવા રૂપ છે. પિણ જગત્રયના જીવને જોતાં ધર્મ રાગ ઉપજે પણ વિષયના વિકાર ન ઉપજે ઈતો જે રૂપની મનોહરતા તે પિણુ દયાના કારણ જાણુવે. એ બીન્તુ દયાપણે છે. ૩.
Page #5
--------------------------------------------------------------------------
________________
જૈન તત્વ જ્ઞાની શ્રીમદ્ દેવચંદ્રજીનું પ્રાચીન અપ્રસિદ્ધ જૈન સાયિ
અમ ઉદ્ય નિરાનો, મવઝન ધર્મ સાય, પ્રસુનો, નામાં સમારતાં, મિષ્ણા ટોપ વિહાય, પ્રમુની. વાઢુ. ૪,
વલી ત્રીજી યા કહે છે, હે દેવાધિદેવ જીનરાજ તુમ્હારા કર્મના ઉદય, જે તીર્થંકર નામ કર્મને! ઉદય તથા ભાષા વર્ગણાના ઉય પ્રમુખ તે જગત્રયના ભવ્ય જીવને ધર્મના સહામ્યના કારણ થાય છે. પુરું વાવથાનચુનૌ, સંચ વર્અxિજાર ધમનુંસળયા, ઇત્યાદિ ભાષાને સાંભળવે ઘણા જીવ ધર્મ પામે. અતિશય મહિમા દેખીને ઘણા જીવને વિસ્મય સર્વોત્તમ પણ ભાસે, તે અતિશયના સ્વરૂપ પ્રથમય્યાર અતિશય સહેજના જન્મના છે. ઈગ્યાર ઘનઘાતી કર્મક્ષય થયા પછી ઉદય થાય છે; એગણીસ અતિશય દેવતા ગુણુરાગી થકો જગ—જીવની ભાવ કરૂણા માટે કરે છે. એ ચેાત્રીસ અતિશય, પાંત્રીસ વચનાતિશય એવ' તીર્થંકર નામકર્મના આયિક વિપાક છે. પણ ભવ્ય જીવને ધર્મ પમાડવાના કારણ થાય છે. જેડુથી ઘણા જીવ સંસાર સમુદ્ર મધ્યે પડતાં ઉગરે છે. તિણે એ ત્રીજો દયાવંતપણા તથા તુમ્હારા નામાક્રિક તિલે નામ નિક્ષેપ સંભારતાં મિથ્યાત્વ દ્વેષ વિલય જાયે. તથા વામ: મહા फलं खलुतहारूवाणं अरिहंताणं भगवताणं नामगोअस्ल विसवणचा क्रिमપુન ામિનમળ યંત્ર નમંસળાપ હાંનામ સાંભળ્યાના મા કુલ છે. ઇમ કહયા. થાપનાની ભિકતના આલાવે, શ્રીરાયપરોણીએ આપઘુદ્દા વેમા નિક્ષેપ્તસાર સાળુનામિયત્તાપ વિસ્તર્. તથા પ્રશ્ન વ્યાકરણે પ્રથમ સવરદ્વારે ચાના નામ કહ્યા છે તે મધ્યે “ પૂરીìવો ” (?) એ નામ દયાને કહ્યા છે. તથા ત્રીજે સવરદ્વારે ચત્યના વેચાવચ્ચ નિર્જરાના અર્થી હવે તે કરે. ઇહાં ચૈત્યના અર્થ જ્ઞાન કરે તે ભેટો ખેલે છે. જ્ઞાનના વિનય થાય પણ વેચાવચ્ચ ન થાય તે માટે ચૈત્યશબ્દ જીન પ્રતિમા છે. વલીભગવતી સૂત્ર' ચમર અધિકારે સાધર્મ કે અરિહ ંત તથા અરિહંત પ્રતિમાની આશાતના એક કહી છે તથા કમિલતે સામાય એ શબ્દ ઉચ્ચરતાં “ ભતે ” થાપનાના સએપન છે. તથા અંગચૂલીયા સૂત્રે કહ્યા છે જે ગુણીની થાપના ગુણી સમાન ત્રેવડવી. તથા દ્રવ્યનિક્ષેપે. જમૃદ્ધીપપન્નત્તી મધ્યે નિર્વાણ કલ્યાણ કે શ્રી રૂષભદેવના શરીરને નવરાવી ચંદન વિલેપન કરી ફૂલ ચઢાવી ગ્રહણા પહિરાવીને શક્રસ્તવ કર્યા છે. તથા ઉવવાઈસૂત્ર આપે ગયા યંત્તિયાપ વેળા વૃક્ષન સિ ચાપ એ પાઠે ફૂલની પૂજા તે ગવેષી છે. તથા નાસ્ત્રે તિğાર માય પૂવ વાર્તા તે પસરા ઈત્યાદી પાઠ જોવે. તથા ભાવ નિક્ષા પરમ કેવલાદ ગુણમયી શ્રી અરિહંતની સેવના વદણ નમન ધ્યાન તે ચ્યાર નિક્ષેપ! જે નામ અરિહં‘ત, શા પના અરિહંત, દ્રવ્ય અરિહંત, ભાવ અરિહંતને સ‘ભારતાં મિથ્યાત્વ કુશ્રદ્ધાકિ દોષ વિલાય કહેતાં જાય. હે પ્રભુજી તારા નામાદિકપિણું પરજીવને આત્મગુણના કારણ છે. તલે તેપિણ્ યાનાજ હેતુ છે એ ચાથે યાપણા છે.
*
૫
Page #6
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા
आतम गुण अविराधना, भाव दया भंडार प्रभुजी
क्षायिक गुण पर्यायमे, नवि पर धर्म प्रचार, प्रभुजी बाहु ०।५।। એ સર્વ ઉપગારીપણે પરજીવના હિતરૂપ, દ્રવ્યભાવ પર દયાવંતપણે રાખે. પિણ જે પિતાના આત્મમળે અહિંસકપણે નિપજે છે. તે દયાવંતપણે - ળખાવે છે. તિહાંજે અનાદિ સંસારી જીવ પરાનુયાયી પશમી ઉપગ વીર્યને પ્રવર્તને રવગુણઅનંતતાને આવરણ કરતે હતે. તે આત્મગુણ હિંસા હતી. તથા પિતાના ગુણ, પુદગલ લેવે ભેગવવે પ્રવર્તાવતાં આત્મગુણ વિરાધના થતી હતી. તે હે શ્રી બાહુ સ્વામી હિવે તમે તુમ્હારા કારણ ગુણ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય દાન, લાભ, ભેગ, ઉપગ, કર્તપણે, તાપણ, સાયકપણે, 2હકપણે, વ્યાપકપણે, રક્ષકપણે પ્રમુખ સર્વ સ્વરૂપનુયાયી સાધકત્વ સવરૂપ, કર્તા સ્વરૂપ, જ્ઞાતા સ્વરૂપ, ગ્રાહક સ્વરૂપ, ભોક્તા રવરૂપ, રક્ષક સ્વરૂપાશ્રયી સ્વરૂપ તન્મયતાદિપણે થયે, સર્વ આત્મગુણના અવિરાધક થયા. તે માટે સ્વરૂપને સર્વથા નિરાવરણપણે રહિવે, જે આત્માના ગુણને વિધવા નહિં. એ ભાવ દયા છે. તેના તુહે હે પ્રભુજી! હે પરમેશ્વર! પરમાત્મા ! તુહે ભંડાર છે. ઈતલેં સ્વસ્વરૂપને નિર્મળપણે રાખી રહ્યા છે. એહજ ભાવ દયા છે. તેના ભંડાર છે. તેને કારણ કહે છે જે ક્ષાયિક નિરાવરણ જે ગુણ કેવળ જ્ઞાનાદિક પર્યાય સકલ વેવત્વાદિક તેહમેં હિવે, પરધર્મ જે પુદ્ગલ રાગાદિ જે પરધર્મ ગાદિક તેહને પ્રચાર કહતાં. પ્રવેશ નવિ કહતાં નથી, જે ક્ષયે પશમી ગુણ કદાચિત શક્તિન્યૂનતા માટે પરાનુયાયી થાયે. તે સાધનચકે સાચવ્યાજ રહે. પરં ક્ષાયિક ભાવી જે ગુણ તે જે સ્વશક્તિની સંપૂર્ણતા, મવકાર્ય કરે, પરંપરાનુયાયી થાયે જ નહિ, એહજ પરમ રવરૂપ અવિરાધકતા સાદિ અનંત ભાગે નિપી, તે પરમ અહિંસા નિપની છે. એ ચારિત્ર ગુણની પરણતિ છે. તે કત્વપણાને બળ પ્રવર્તે છે. તે માટે કરી નીપની. હિરેપિણ સમયે સમયે કરે જ છે. તે માટે એક રીતે થાય. તે દયા કહી છે તે એ પાંચમેં બોલે સ્વરૂપ અવિરાધક રૂપ ભાવ દયાના પાત્ર છે.
| સર્વ જીવે, સર્વ આગમ મધ્યે એહવા ભાવ દયા અરૂપી આત્મપરણતિ તે ધર્મ સરદહીવે. અરૂપી ધર્મજ રૂપી પરમાનંદ નીપજે. એ ધારે. તથા શ્રી ભગવતી સૂત્રે સામાજ એ પાઠ તથા શ્રી વિશેષાવશ્યક મળે ઝવે गुण पडिवनो नयस्स दवठियरस साभाईयं, आत्मगुणस्वधर्म प्रवृत्तिः तस्याबाधकतो आहेसा, इति व्याख्यानात् तथा धम सहयां नाम ठयणा दबgfજે તહેવ મમ ધમrળા છવો છે. એ ગાથાની પ્રથમ સંક્ષેપ વ્યાખ્યા મહિલા કરીને પછી વિસ્તર વાચનાએ રાજધાર
Page #7
--------------------------------------------------------------------------
________________
જૈન તત્વજ્ઞાની શ્રીમદ્ દેવચંદ્રજીનું પ્રાચીન અપ્રસિદ્ધ જૈન સાહિત્ય.
૩૭
त्वं द्रव्यत्वे तस्य परसंगित्वमेवाधर्मः पंक्ति? रथ न्यायात् अधर्म एव हिंसा मेमाસયે તેને ન કરે તે અહિંસા એ આર્ય ગાથા સૂત્રે કહે છે.
गुण गुण परिणति परिणमे, बाधक भाव विहीन. प्रभुजी
द्रव्य असंगी अन्यनो, शुद्ध अहिंसक पीन, प्रभुजी बाहु०॥६॥ તથા ગુણ જે જ્ઞાનાદિક તે ગુણની પરિણતિ જાણવાદિક સ્વસ્વકાર્યું પરિ. ણ ગુણ પરિણતિને બાધક ભાવ જે આવરણ તેહથી વિહીન કહેતાં રહિત એટલે નિવારણ ગુણ પરિણામ તેહજ સ્વવકાર્ય કરે તે નિરાવરણ ગુણ થયે. તે શાથી થયો ? જે કારણે દ્રવ્યઆત્મા અન્યને અસંગી થયે તિવારે ગુણ નિરાવરણ થયે એહજ દ્રવ્યને અહિંસકપણ નિપજે. તથા શ્રીપંચવસ્તુ ટીકા ચામું, તુ મનવમળ fÉલ તતિ હિંસા તથા શ્રી વિશેષાવશ્યકે ભગવતી સૂવે એહવા અધિકાર અનેક છે, જે મિથ્યાત્વ અવિરતિ, કષાય, એગ એ ચાર ભાવ સંસાર કહ્યા છે, તે માટે સકલ પ્રદેશ સકલ ભાવ ધર્મ, અન્ય જે પર ભાવ તેહને અસંગી સર્વ સંગ રહિતપણે તે દ્રવ્ય અહિંસપણે નિપજે છે તે માટે તેહથી રહિત તે દ્રવ્ય અહિંસક કહીયેજી, પરસંગી અમને હિંસક દાખે છે. એ શુદ્ધ ઉત્સર્ગનયે અહિંસકપણે પીન કહેતાં પુષ્ટ છે.
ગ કરો છે, તે અસત્યપણે કાંઈ બહાપણે સાધન રીતે નથી. પર ઉત્સર્ગ જે ન ઘટે. શબ્દ દ્રવ્ય કતાવલંબી ઉપગ તે ઈહાં ઉભે છે. તે માટે અસત્ય વચનો કહ્યા છે. તથા શ્રી ભગવતીસૂત્રે સૂમસંપાય ગુણઠાણે સંપાયકી ક્રિયા છે, તે માટે ૩સ્તત્તથતિ એ પાઠ છે એ પિણ વસ્તુ ધર્મ આશ્રયી છે. તે માટે અક્ષયાવગાહના થઈ. એક મેટે આત્મધર્મ પ્રગટે. તે માટે ક્ષેત્ર જે અવગાહના રોલપણે આત્મા હણતે હતા તે અચલપણે થયે એ ક્ષેત્ર અહિંસકપણે, આત્માને વિષે નીપને, ઈમ ભાવ. ઈહાં કોઈ પુછયે જે ક્ષેત્રને સંકેચ દુઃખ આત્માને કિમ મનાયે? તિહાં ઉત્તર જે સિદ્ધપણે અવગાહના રહિતે પિણ નાની મોટી છે પિણ હવે સિદ્ધને નાની મોટી અવગાહના કરવી નથી. તે માટે ઈમ કહ્યા છે.
उत्पाद व्ययध्रुवपणे, सहजे परणति थाय प्रभुनी ।
छेदन योजनता नहि, वस्तु स्वभाव समाय, प्रभुजी ॥ बाहू ॥ ८॥ હિવે–ભાવના કાલધર્મની શુદ્ધતા કહે છે. કાલધર્મલક્ષણ, ધર્મસંગ્રહણીયે કહીયે છે. સત્તર ભ્રોવાઇ રાવ Tara રોજેર વકરો -
વારનg તથા તત્વાર્થ વિશેષાવસ્યકે પંચાસ્તિકાયની વર્તન તેને જ કાલપણે કહ્યા છે તથા અનુગાર સૂત્રે પિણ કહ્યું છે કે વર્ષ મને સમપતિયુતિ મા વાવ વાવ તિહાંપિણ છવ અજીવની વર્તના તે કાલ તથા સ્વદ્રવ્ય વક્ષેત્ર સ્વકાલ સ્વભાવન યાત્ અસ્તિ એ પદ સંમતિ તથા રત્નાકરાવતારિકા મળે છે એ અસ્તિપણે તે વર્ષે જ હવે. પરધર્મને
Page #8
--------------------------------------------------------------------------
________________
૩૮
બુદ્ધિપ્રભા.
અસ્તિપણે તે દ્રવ્યનું ધર્મ નહિ. તે માટે કાલ ઉત્પાઢ વ્યયરૂપ વર્તન તે સ્વધર્મ છે. આત્માના વિશેષ પર્યાયાસ્તિમયી પરિણમણું છે. તે ઉત્પાદ તથા વ્યય તથા ધ્રુવપણે જે આત્મા પરિણમે તેને સહેજે પરિણમે છે. ઈતલે ઉત્પાદ વ્યય તે કોઇને પર નિમિત્ત થતું નથી. તે માટે સહેજે એ પરિણતિ થાય છે. સંયેગીભાવને થય તે છેદન કર્યો થાય છે અને ઉત્પાદ તે કઈ જન કહેતાં કેઈકને જેરે થાય છે, અને આત્મગુણને ઉત્પાદ તે પરભાવની યોજના વિના થાય છે. એ ઉત્પાદ વસ્તુ રવભાવે સમાય છે. વસ્તુ ધર્મો સમાય છે. એ કાલ પરિણતિ સર્વ દ્રવ્યની કિનારે હણાતી નથી. તે વસ્તુપર્ણો તિમહિજ પરણમે છે. તે વસુધમેં દિખાડવા માટે કહ્યું છે. તથા ગુણની વર્તન તે ગુણાવરક કમરેલ્વે છે. તે તે ધકપણે હિંસા છે તે નિરાવરણ અવસ્થાથે પ્રભાવી વર્તના તે હિ હણાતી નથી. તે માટે એને અહિંસક વર્તન કહીએ. તે નયની છે. હે પરમેશ્વર પરમદયાલ તુહે સ્વદયા સંપૂર્ણ નીપજાવી છે શ્રી યશવિજયપાધ્યાયે નિજદયા પરદયાને સ્વરૂપ ઉપદશ રહસ્યમેં વણ છે. તે જે . નિજ
યા વિશુ કહો પર દયા હે કવણ પ્રકારે એ વચનને અધિકારને આશય પિણ એજ છે.
गुणपर्याय अनंतता, कारक परिणति तेम, प्रभुजी ।
निज निज परिणति परिणमें, भाव अहिंसक एम, प्रभुजी. ॥.९|| હવે ભાવધર્મની અહિંસકતા કહે છે. તથા શ્રી ભગવતી સૂત્રે માપવો जी अणता नाण पजश । अणंता दसण पञवा, अणंता चारित्त पन्चवा મળતા ગુઢg uઝવા, ઈત્યાદિ બંધાધિકારે તથા માધવઃ ૩રચા નિ, રીવાજીવ રિમાન્ડ ને વિષે જોઈ લે. નવરં તદાતા જ્ઞaद्रव्यं द्रव्यजीवः उच्यते इति प्रक्रमः तु बिसेषधोत्तकः रुचिरियं न कदाचित्त पर्याय वियुक्तं द्रव्यं तथापि च यदातद्दियुक्ततया विवक्ष्यते तदातद्रव्य प्राधान्यतो द्रव्य जीवो भावेतु द्वविध एव परिणाम: कर्मक्षय क्षयोपशमोदयापेक्षः परिणति रूपो भावजीवः इति ३ ए शांतियादि चैतालीका पाठ छ तथा धर्म सीने विधे तस्सेव धम्मवे नियपरखे हिं अत्थिनथिचे भिन्न प. ઘતિ નિમિત્ત તraહંમri ૬ એ ભાવધર્મ તથા શ્રી દશવૈકાલિક નિયુક્તિ અહિંસાના છ નિક્ષેપ કર્યો છે તેની ટીકા મ પાઠ છે જે વજુortવાવ: i[T “વસુ વૃut #ાતનું ર્હિષા” ઈત્યાદિ તે માટે જે ગુણ જ્ઞાનાદિક પર્યાય અવ છે” ઈત્યાદિ તથા કાશ્ક કર્તા ૧ કર્મ ૨ કરણ ૩ સંપ્રદાન ૪ અપાદાન ૫ આધાર એ છો તે ગુણપર્યાય તે અનાદિ કાલના અવરાણ પડ્યા છે તથા જે વીર્ય ચેતનના ક્ષપશમી થઈ તે પરાનુયાયીપણે પ્રવર્તતા રવગુણાવરણરૂપ કાર્ય કરવું વગુણ પ્રવૃત્તિ ઘાતરૂપ સ્વહિંસા કરે છે તે, હે, નાથ તુહે વકીય સર્વ ગુણ પ્રગટ કરવે વલી રવરૂપ પ્રવર્તન કરવું તે
Page #9
--------------------------------------------------------------------------
________________
જૈન તત્વજ્ઞાની શ્રીમદ્ દેવચંદ્રજીનું પ્રાચીન અપ્રસિદ્ધ જૈન સાહિત્ય.
૩૪
હિંસકપણે નિવારીને સ્વભાવ ધર્મના અહિંસક થયા છે. તથા કારકખટની પરણતિ અવરાતી નથી, પિણ અનાદિકાલની સંગગીપણે પરકત્તપણે થયાથી આત્માવિભાવકત્તા, કાર્ય, કારણું, સંપ્રદાન, અપાદાન, વિભાવ પરિણમનરૂપ પરાનુયાયીક્ષપશમ તે અભિનવાબવ પરિણતિ વૃદ્ધિ તે લાભારૂપ સ્વશક્તિ રેકવારૂપ તે હાણિ તે આત્મક્ષેત્રે પરભાવ ગ્રાહકતા પર ભાવ ભેગ્યતા રક્ષણતાદિકપણે આધારકારક, ઈમ છે કારક હિંસક થયા છે. સંસારી જીવ તે તુમ્હારા ખટકારક સાધનપણે કરી પછી કેવલ જ્ઞાનાદિક ગુણ પ્રવૃતિ પણે પ્રવર્તાવ્યું તે કર્તાપણે, કાર્ય, કરણ, સંપ્રદાન, અપાદાન, આધાર, સર્વશતાદિક ગુણ પ્રવૃત્તિ તે ઉપગરણ તે ભાસનકાદિ લાભ તે પરભાવ સન્મુખ ન ધસ તે વરૂપ રક્ષણતા તે એ છે કારક સ્વગુણુ કાર્ય કરવારૂપ પરિણુતે પરણમ્યા એહજ ભાવ અહિંસતા નીપની, તે ભાવ અહિંસા અવસા, પણે નેપનેએહજ સ્વધર્મ નેપને. ઈતલે આત્મગુણ આત્મપર્યાય તથા આત્માનાકારક તે સર્વ અનંતા પરણમક્તાદિ શેષ ધર્મ તે સર્વ નિજ નિજ કહેતાં પિતાપિતાની જાણગ છે. તથા દેખ તથા રમણ આનંદાદિક પરિણત પરણમે છે. તે હિજભાવ અહિંસકપણે છે. ઈસલે જે દ્રવ્યને ભાવ અહિંસક થયે તેમના દ્રવ્યક્ષેત્રકાલ નિયમ અહિંસક થાય. તે, હે, શ્રી બાહુવામી તુમ્હારે ભાવધર્મ તુમ હે હણતા નથી અને પર કઈ હણી શકે નહીં એ અહિંસકતા જે સાધ્યમાં હતી તે તુમ્હારે નીપની છે. ઇલે તુમડું પરમ અહિંસક છે અને હિંસકતાના કારણ છે એ રીતે ભાવ અહિંસકતા નીપની છે. તે અહિંસકપણે સર્વને ધ્યેય છે. શ્રી જિનરાજ તુમ્હારે અહિંસક પણે જે જીવ અવલંબીને તન્મયી થયે-તેહને પિતાને પરમ અહિંસકપણે નીપજે તે માટે તુહે પરમ આધાર છે. ભવ્યજીવના પરમ ઉપગારી છે દયાલ છો સરણભૂત છે. ૯
g૫ ર્હિષતામથી, ટોફૂં નમુનો રક્ષક નિષ પર વીત્રનો, તાળ તળ ગિફાગ, પ્રમુa || વાહ ! ૨૦ ||
એમ કહતાં એ રીતે સર્વ ગુણે સર્વ પ્રર્યાએ ઉપાદાનપણે નિમિત્તપણે ઉપગારીપણે આધારપણે ઉપદેશપણે અતિશયાદિક ઉદીકપણે હે વીતરાગ તુહે પરમ દયાલ છે. તે હે પ્રભુજી મેં મિથ્યાત્વ અસંયમની ગાઢતાયે અનાદિકાલ સ્વરૂપાવૃતપણે ભવ ભટકતાં આત્મધર્મ ઉછેદીપણે પ્રવર્તતાં તુહ સમાન તત્વી દેવ પર ભાવને અકર્તા અભક્તા તે કિવારે દીઠે નહ. ઈતલે ઉપગ ગોચર કર્યો નહતે. તિ હવણ કેઈક ગિર સરિપલ ઘોલના ન્યાયે શ્રી વીતરાગ આગમ શ્રવણ યથાર્થ ભાસક ગુરૂ ઉપગારે છે જનરજ તાહરે સ્વરૂપાનંદીપણે તપગારીપણે એ અવસરે ભાસનચર થયે તે માહરે આજ પરમ કલ્યાણ થયે. ને માટે શ્રી જીવરાજ તુહે રક્ષક છે. નિજ કહતાં સ્વધર્મને તથા કારણપણે પરજીવને પિણ રક્ષક છે. તે માટે નિમિત્ત કારણને કર્તાપણને આ
Page #10
--------------------------------------------------------------------------
________________
૪૦.
બુદ્ધિપ્રભા
રેપે તારણ કહતાં, પરજીવના તારવાના કારણ છે. અને પિતે તર્યા છે, તે માટે જિહાજની ઉપમા છે તુહને હે દેવ. ૧૦.
परमातम परमेसर, भाव दया दातार, प्रभुजी;
લેવો ખ્યાલ ને, રેવં સુવાનું. મી. / ૨૨ // પૂર્ણાનંદીપણા માટે સ્વસત્તા પ્રશ્નાવ માટે સકલ ગુણ અનવછિન્ન સ્વભાવ ભેગીપણે હે પ્રભુજી, તુમ્હ પરમાત્મા છે. ઉત્કૃષ્ટ આત્મા છે. વળી સમરત સ્વશક્તિ ગુણપર્યાયરૂપ સ્વાધીનપણા માટે પરમેશ્વર છે. વળી શુદ્ધાપદેશક, તત્ત્વધર્મ દેશકપણાથી, સ્વધર્મ રાખવારૂપ ભાવદયાના દાતાર છે. એહવા પરમાત્મા પરમ પુરૂષ નિરામય નિરä નિસંગ, નિસ્સહાય, નિર્મલ, નિઃપ્રયાસ, આત્મનંદભેગી શ્રીબાહુ વિહરમાન તીર્થંકર પ્રતિ સે. તેહની આજ્ઞા પ્રમાણપણે પ્રવ,
ધ્યા. તે બહુ સ્વામી રવરૂપ સંપદા ઉપગાર સંપદા અતિશય સંપદા મળે તન્મય ઉપગી થાવે. એ બહુ સ્વામી કહેવા છે. દેવ જે ચાર નિકાયના દેવતા તેહના ચંદ્ર જે ઇંદ્રાદિક તેહને આત્મિક સુખના કરણહાર છે અથવા સ્તુતિ કર્તા ચે દેવચંદ્ર નામે પ્રભુ ગુણ રસિક તેહને સુખના કરણહાર છે. ઈતલે જે નિરનુષ્ઠાનપણે શ્રી વીતરાગ સેવન કરે તે પરમ અવ્યાબાઇ સુખ વરે મહાનંદ પામે. નિરસંગાનંદી થાયે. એ શ્રી નિર્સગ શ્રી બાહ સ્વામીની સ્તવના ભાવદયારૂપ પરમ કરૂણારૂપ કહી છે. ૧૧. ઈતિશ્રી બાહુજીવન સ્તવન શ્રી આદીશ્વર જીનપસાદાત
(સંગ્રાહક-વકીલ મોહનલાલ હીમચદ-પાદરા)
પ્રતિમા.”
(હરિગીત) પાષાણની કહી નીંદતા, છે નીંદકે તુજને ભલે; જડવત ગણી કે ચિત્ર રૂપે, નીંદતા તેયે ભલે. હે છે. ભલે તું કાછની, વેલ તણ કે ધાતુની, આકર્ષતી અમ દીલને, આનંદને રેલાવતી. અમ અંધને તું આરી, રૂપ ગુણને દર્શાવતી; ભુલા પડેલા આત્મને, નીજ પંથમાં દેરાવતી. શ્રદ્ધા સુધાના પાનથી, તું ચિત્તને ચમકાવતી, વિસ્મૃત થયેલા ભાવને, તુજ દર્શથી ઉભરાવતી. અમ શત્રુને સંહારનાર, વીર તું, મહાવીર છે, શ્રદ્ધા તણી અમ નાવને, દેહી જનારી દેવ છે. પુજુ ઘણા હું નેહથી, અંતિમ મારગ શીવ છે; ચિન્તામણી પારસતણી, પ્રતિમા ખરે દીવ્ય છે. “Kallian.”
Page #11
--------------------------------------------------------------------------
________________
साहित्य.
સાહિત્ય પરિષદ્ ભાવતા.
साहित्य परिषद् भावना.
૪૧
શ ભાનુ,
જરાતી સાહિત્ય પરિષદ્ આજ ખાર વર્ષ થયાં મળે છે, આવતે વર્ષે એના આર્ભને સમય છે, તેથી કરીને એ વિષય ઉપર અત્યારે કાંઇક વિચાર કરીએ તેા તે અસ્થાને તથા અકાળે નહિ ગણાય. આ વિચાર કરતાં પહેલાં અત્યાર સુધીમાં મળેલી પરિષદોની સમાલેચના પ્રથમ કરવી આવશ્યક છે. ગુજરાતમાં કેળવણીને પ્રચાર થએલા હતા. એ કેળવાયેલા વર્ગમાંથી કેટલાકોએ લેખા દ્વારા, પુસ્તકો દ્વારા કાંઈ સાહિત્યનું કામ કર્યું હતું. એ વર્ગ આંગળીના વેઢે ગણાય એવા છે છતાં જે જમાનામાં ગૂજરાતને જેવાં સાહિત્યની આવશ્યકતા હતી તે સાહિત્ય પુરૂ પાડવાને તેમણે યથાશક્તિ તથા યથામતિ કર્યું હતું. લોકોમાં સાધારણ સમજ એવી છે કે ગૂજરાતી એટલે વેપારી અને ગૂજરાતી હિંદું એટલા બધા વાણીઆ. આ સ્થિતિ કહે કે આ અપવાદ હજી તેમને માથે છે જ. ઘણે સ્થળે એજ ઉપનામ કહેવાતું સાંભળીએ છીએ. એમાં કહેનારના જરા પણ દોષ નથી. આપણા ગૂજરાતીએ પછી ગમે તે જાતિના હોય તો પણ તે હિંદુસ્તાનમાં તે શું પરંતુ હિ ંદુસ્તાનની બહાર એજ અર્થે નાના નાના ગામડાંઓમાં મળી આવે છે, અને એથીજ આ સામાન્ય કહેતી થઈ છે. આથી વાણીયા વેપાર કરશે કે સાહિત્યનું કામ કરશે ? વેપાર કર્યાંથી તે પાંચ પૈસાની પ્રાપ્તિ થાય, પણ સાહિત્ય ઉભું કરવામાં, પુસ્તકો રચી પ્રસિદ્ધ કરવામાં તે પાંચ પૈસાના ઘસારા લાગે. એમાં લાભ શે ? આ ધા કર્યાંથી પાંચ પૈસા ઘરમાં લાવવાને બદલે પાંચ પૈસા ઘરમાંથી જાય એવા ધંધે વાણીયા કરે ? આવા વણિક રવભાવને લીધે સાહિત્યની વૃદ્ધિ થવામાં અથવા કરવામાં તેનું મન એટલું બધુ' પ્રેરાયલું નહિ. ગૂજરાતની આ સ્થિતિ હતી પરંતુ ગૂજરાતમાં અંગ્રેજી કેળવણી શરૂ થઇ ત્યારથી અત્યાર સુધીમાં કેટલાક સુશિક્ષિત ગૂજરાતી ભાઈએ આપણી ભાષા તથા આપણું સાહિત્ય કેળવવા પ્રયત્ન કર્યો છે, એટલુ જ નહિ પણ સેગન ખાવા જેવું સંગીન કર્યું છે. કેળવણીને પ્રચાર આખા ગુજરાતમાં થયે છતાં તેમાં તે પ્રમાણમાં વૃદ્ધિ થતી નથી એવું સર્વના મનમાં હતું. સુશિક્ષિત વર્ગ અગાળી અને મરાઠી સાહિત્ય સાથે પાતાનું સાહિત્ય સરખાવતા ત્યારે તેને એમજ જણાતુ કે ગૂજ
Page #12
--------------------------------------------------------------------------
________________
૪ર
બુદ્ધિપ્રભા,
રાતી સાહિત્યની વૃદ્ધિ પ્રમાણમાં કાંઇજ નથી. તે પછી ગૂજરાતી સાહિત્યની સ્થિતિ અન્ય ભાષાના સાહિત્યની સરખામણીમાં ઉત્તરે તેમાં તે શું આશ્ચર્ય ? આવી પરિસ્થિતિમાં ગૂજરાતના મુદ્દે પાટનગર અમદાવાદમાં સને ૧૯૦૫ માં સ્વર્ગસ્થ રા. રણજીતરામ વાવાભાઈ મહેતા જેણે અમદાવાદ આવી સાહિત્ય સભા સ્થાપી ચૂવાન વર્ગમાં સાહિત્યનું નવું જીવન, નવું રક્ત રેડી એને ઉત્સાહી કર્યાં હતા તેણે સભાના સભાસદે સાથે સમેલન વિષે મસલત ચલાવી, અને આ નૂતન વિચાર સભાના સાહિત્યપ્રેમી પ્રમુખ. રા. ખા. રમણભાઈ મહિપતરામને કહ્યા. રા. બા. રમણભાઈએ એ વિચારને વધાવી લીધે, ને એમની સહાયતાથી સાહિત્ય પરિષદ્ અમદાવાદમાં ભરવાના વિચાર નક્કી થયેા. વિદ્યાનાને, તથા એ દિશામાં કાર્ય કરનારા સાહિત્ય પ્રેમી પુરૂષને નિમ ંત્રણ થયાં, ને પરિષદ્ના કાર્યક્રમ ઘડાયા. એ કાર્યક્રમ બહુ વિશાળ નહોતો, પરિષદ્નુ ક્ષેત્ર પણ વિશાલ નહોતુ બાંધ્યું. એટલું તે નિર્વિવાદ છે કે કોઇ પણ કાર્ય નવુ આરમ્ભવામાં આવે ત્યારે સમાજ તે વધાવી લેશે કે તેની અવગણના કરી તેની કાર્યસિદ્ધિમાં અનેક પ્રકારના વિઘ્ના નાંખશે એવા વિચાર તેના નેતાઓને સ્વાભાવિક આવે. આવી પરિસ્થિતિમાં અમદાવાદની પ્રથમ પરિષદ્ના વિષયેાની ચેાજના થઈ હતી; જેમ જેમ નૂતન વિચાર વિદ્વાન વર્ગે તેમજ યુવાન વર્ગ વધાવી લીધા તેમ તેમ યુવક વર્ગને તેથી પ્રોત્સાહન મળ્યુ. સદ્દભાગ્યે પરિષદના પ્રસુખની પસંદગી ગુજરાતના તે વખતના વિદ્વાન સાક્ષર રા. રા. ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીની થઇ, તે સાથે સત્કાર મંડળના પ્રમુખ તરીખે ગુજરાતના સુપ્રસિદ્ધ માર્ક વૈન (Mark Twain) નિયત થયા. આ બે વિદ્વાન સાક્ષરોની પસંદગીથી પરિણામ એવું સારૂં આવ્યું કે પિરષદના મંડપમાંજ આ પ્રમાણે વર્ષે બે વર્ષે આપણે મળતા રહીએ અને સમાજના, કેળવણીના, સાહિત્યના, ભાષાના વગેરે જુદા જુદા વિષયો ઉપર ભાષણેા કરી એકબીજાના વિચારોની આપ લે કરતા રહીએ તા બેશક ઘણો લાભ થાય, એટલુંજ નહિ પણ મરાઠી અને મગાળી ભાષાની સરખામણીમાં આપણુ ગુજરાતી સાહિત્ય જે નિર્માલ્ય સ્થિતિએ છે, કીચડમાં ઇટાએલું છે એવે જે આરોપ તેને માથે છે તે આરોપ, આપણે મધા જોડાઇ એકત્ર જોર કરી કીચડમાંથી તેને બહાર કાઢી દૂર કરીએ તે ગુજરાતી સાહિત્યનો ઉદ્ધાર થાય ખરો, આવા આવા ધ્વનિ કાને કાન ફરવા લાગ્યા.
ત્રણ દિવસમાં પરિષદ્નુ કાર્ય સપૂર્ણ થયુ–એકત્ર થયેલા સા સાને ઘેર ગયા. રમશાન ભૂમિપર ગયેલાને જેમ મશાનવૈરાગ્ય આવે છે, ને તે પાછા ઘેર ગયા પછી માયામાં લપટાઇ જાય છે તેમ આ પરિષમાં એકત્ર થયેલાઓને પરિષદ્ ઝનુન આવેલું તે ઘેર જતાં ઝનુન ઉતરી ગયું અને સર્વ કોઈ પોતાના કામકાજમાં એવા ગુ થાઇ ગયા કે સાહિત્ય પ્રત્યે જે થોડુ કાર્ય કરવાની ઈચ્છા
Page #13
--------------------------------------------------------------------------
________________
સાહિત્ય પરિષદ ભાવના.
૪૩ થયેલી તે ઈચ્છા ઈચ્છાને ઠેકાણે રહી, એટલામાં બે વર્ષ નીકળી ગયાં ને બીજી પરિષના સમારંભના ચળવળને ઘંટ કાને પડવા લાગ્યું, એટલે ઉંઘ ઉડી અને જાગૃતિ આવી.
બીજી પરિષદના કાર્યવાહકમાં રા. રા. હિંમતલાલ અંજારિયા જેડાયાથી કાઠિયાવાડી વર્ગ પણ સામેલ થયે. પરિષનું સ્થળ મુંબાઈ હતું એટલે પછી એમાં શી ન્યૂનતા રહે ! નવા નવા વિચારેને પિષનારૂ સ્થળ મુંબાઈજ છે. મુંબાઈમાં તળ ગુજરાતના, કાઠિયાવાડના લેકે એટલું જ નહિ પણ ગૂજરાતી ભાષા બોલનારી તમામ પ્રજાના પ્રતિનિધિઓ વસતા હોવાથી, તથા મહેતા ન્હાના તમામની મદદથી નેતાઓને ઉત્સાહ વધે. આમૂખ વિશાળ આલેખાયે. સાહિત્યનું ક્ષેત્ર માત્ર ભાષા, સાહિત્ય, કલા, નાટક વગેરેના શુદ્ધ સાહિત્યના સંકુચિત અર્થમાં નહિ રાખતાં વિશાલ રખાયું અને એમાં વિજ્ઞાન આદિ ઈતર વિષયને ઝીણી નજરેથી વિચાર કરી છે તે વિષય પર લેખે મગાવાયા. આ પ્રમાણે વિષયની યાદી વિશાળ અને સર્વ દેશી હતી. પરિષદના પ્રમુખ પણ ગૂજરાતના સમર્થ ભાષા શાસ્ત્રી . રા. કેશવલાલ ધ્રુવ નિમાયા, અને સત્કાર મંડળના પ્રમુખ તરીખે પ્રસિદ્ધ સાહિત્ય પ્રેમી શેઠ સાહેબ પુરૂત્તિમ વિશ્રામ માવજ પસંદ થયા, સોનું અને સુગંધ બે એકત્ર થયાં. પાર સીઓ, મારવાડીઓ, કચ્છી વગેરે તમામ ગૂજરાતી બોલતી પ્રજાની રગમાં નવું રકત રેડાયું, ને ચારે તરફ ઉત્સાહ ઉત્સાહ વ્યાપી રહ્યા. પરિષહ્ના પ્રમુખ ર. પ્રવે સાહિત્ય ઉપર વિકતા ભર્યું ભાષણ આપ્યું, અને શેઠ સાહેબે મહેમાનની સારી આગતાસ્વાગતા કરી. આ નવા જીવનથી પરિષદનું કાર્ય સંગીન પાયાપર આવેલું સમજાયું. આ પદિષદમાં સ્વર્ગસ્થ ગોવર્ધનરામભાઈને મારકની જન થઈ પણ દિલગીરીની વાત છે કે તે પેજના કેઈ કારણસર બંધ પડી. આપણે ગુજરાતી ભાઈઓને માથે આરંભે શૂરા હોવાનું જે આળ છે તેજ ખરૂં પડયું. કાર્યારંભ સમયે જે ઉત્સાહ અને ઉમંગ હોય છે તે કાર્ય સમાપ્તિ પછી નથી હોતા. કદિ આ શૂરાતન દશમે ભાગે પણ આપણામાં રહેતું હોય તે બબ્બે વર્ષે મળી, આનંદ કરી ઘેર પાછા વળીયે ત્યાર પછી કાંઈક કાર્ય કરીએ, કાંઈક કર્તવ્યપરાયણતા આપણામાં જાગૃત રહે અને આપણે કર્તવ્યનિષ્ઠ બની કાંઈક કાર્ય કરવા પ્રત્યે પ્રેરાઈયે. તથા કાંકરે કાંકરે પાળ બાંધી આપણી સ્થિતિ સુધારી શકીયે.
જોતજોતામાં ને વાતમાં ને વાતમાં બે વર્ષ વીતી ગયાં, અને ત્રીજી પરિ. ૬ ભરવાને સમય આવી પહોંચ્યું. આ વખતે કાઠિયાવાડે બીડું ઝડપ્યું ને રાજકેટ મુકામે તે ભરવાનું નક્કી થયું. આ પરિષદ્ માટે લેકમાં કાંઈક અનાસ્થા જન્મ પામેલી જોવામાં આવેલા હતી. પત્રવ્યવહાર થતાં સર્વ સ્થળેથી એવાજ નિરાશાજનક પ્રત્યુત્તર મળવા લાગ્યા કે પરિષદ સાગપાંગ પાર ઉત
Page #14
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા
રશે, કે કેમ એવી શ`કા નેતાને થઇ, પરંતુ યૂવકવર્ગ ઉત્સાહી હતા. વર્તુમાનપત્રામાં ખૂબ ચર્ચા ચાલી હતી. વાંધાઓમાં મુખ્ય વાંધે એ જણાતા હતા કે આ પ્રમાણે અમે વર્ષે મળી પૈસાના વ્યય કરી લાભ શેડ મેળળ્યા છે ? ઉલટું આપણે ખાઈ પી આનંદ કરી બે ત્રણ દિવસોમાં હજારો રૂપિયાના ફના ફાતિયાં કરીએ છીએ ! પણ તેનું પરિણામ શું ? વાણિયે! વાણિયાને વિચારે ગયા. આવા વિચારો અમને તે બહુ અનુકૂળ લાગ્યા. એક પક્ષે જોતાં તે ઘણા સારા હતા. કારણ કે પરિષા કાર્યવાહકોને એટલું તો સમજાયુ કે પ્રત્ન કાંઇ સગીન કાર્ય જોવાની ઇચ્છા રાખે છે, એટલુંજ નહિ પણ જ્યાં સુધી આપણે એવું કાર્ય ખતાવીશું નહિ ત્યાંસુધી સમાજ સહાયતા મળવી મુશ્કેલ છે. આથી કરીને ત્રીજી સાહિત્ય પરિષદ્ના કાર્યવાહકાએ પોતાના દ્રષ્ટિકોણ બદલ્યે, અને કાંઇ સંગીન કાર્ય કરવા તરફ પ્રવૃત્તિ રાખી. આ વિચારે એ પરિષના નેતાઆએ પરિષદ્ની યાદી વિચારપૂર્વક ઘડી, ને તે સાથે પ્રદર્શન ભર્યું ને તેમાં જૂનું અને નવું સાહિત્ય, શિલાલેખો, તામ્રપત્ર આદિ પ્રદશિત કરી પરિષદ્બે નવું ચેતન આપ્યું એટલું જ નહિ પણ કાઠિયાવાડના રાજા રજવાડા સમક્ષ સાહિત્ય પરિષના કર્તાના મહત્વના પ્રશ્ન મૂકી એક સારી રકમ ઉઘરાવી ભડાળ મંડળ સ્થાપ્યું તથા સરકારના અગ્રેજ અમલદારો પાસેથી સાહિત્યના વિષય ઉપર નિધને માટે ચદ્રક મેળવ્યેા. આ પરિષદ્માં વિશેષ તેજ તથા ખલ હતાં તેનુ કારણ તે સત્કાર આપનારાં પાતે રાષ્ટ્રના ખાનદાન કુટુંબનાં રાણી હતાં. તેમણે મનન કરવા ચેાગ્ય ભાષણ આપી સર્વનાં મન હરી લીધાં, ને પિરષદ્ પ્રતિ જે ભાવ હતા તે દ્વિગુણુ કર્યાં. પરિષના પ્રમુખ ણુ દી. બા. અબલાલ સાકરલાલ હતા, ને તેમણે પણ સમાચિત ભાષણ કર્યું હતું. અલબત્ત એમની આ પસ‘ફ્રેંગીથી કેટલાક વિદ્વાના નારાજ થયા હતા, પણ સુભાગ્યે તે નારાજી તેમની તે પિરષદ્ પૂરતી હતી એમ જણાયું છે. પરિષદ્ભુ આ કાર્ય કાંઇ નાનુ સુનૂં નહેતું. વળી પિરષદના કિાણ થાયે ઘણા બદલાયા હતા એમાંજ સર્વસ્વ હતું. આ અવ્યવસ્થિત સ્થિતિને વ્યવસ્થિત કરી, પરિષને જે અર્થ પણ જાણુતા નહતા તે અર્થ સમજતા થયા એટલુંજ નહિ પણ સાથે જોડાયા, અને નિરાશાવાદીઓને આશાવાદી કીધા. કહે ! આ કાર્ય કાંઈ ઓછું થયું છે? ચાથી પરિષદ્ આ પછી ત્રણ વર્ષે વડોદરે મળી. એ પરિષદે પણ સારૂં કાર્ય કર્યું છે, એવું એના પ્રસિદ્ધ થયેલા અહેવાલ પરથી સમજાય છે. ગુર્જર નરેશ શ્રીમંત સરકાર મહારાજા સાહેબના આશ્રય નીચે આ સમારંભ થાય તેમાં ન્યૂનતા શેની જ©ાય ! રાજા પોતેજ યજમાન એટલે પરિષદના અને તેના સેવાના આતિથ્યમાં શું પૂછ્યું ! વિશેષ ખુદ શ્રીમ ́ત મહારાન સાહેબે સાહિત્યની અભિવૃદ્ધિ માટે બે લાખ રૂપિયાની રકમ જૂદી કાઢી આપવા જાહેર કર્યું ત્યારે સર્વેના આનંદ સમાતો નહતા. ત્રીજી અને ચેાથી પરિષદે પ્રજાને
૪૪
Page #15
--------------------------------------------------------------------------
________________
સાહિત્ય પરિષદ્ ભાવના.
પ્રત્યક્ષ બતાવ્યું કે આપણામાં કર્મવીર પુરૂ હેયતે તેને સાહાય આપવા વાળા દાતા તે છે.
પાંચમી પરિષદ્ સુરત મુકામે આ પછી ત્રણ વર્ષે એકત્ર થઈ હતી. સુરતી લાલાએ જાગૃત થયા. પરિષદે બબ્બે ત્રણ ત્રણ વર્ષે મળે છે, પણ કાંઈ સંગીન કાર્ય કરતી નથી એ જે દોષ એને માથે છે તે આપણે દૂર કર, બધાયે કર્યું તે કરતાં આપણે કાંઈ નવીન પણ સંગીન કરવું એ વિચારે કાર્ય આર
ભાયું. કોલેજના હાઇસ્કૂલના, કન્યાશાળાના, ટ્રેનિંગ કેલેજના વિદ્યાર્થીઓ પાસે નક્કી કરેલા વિષયો ઉપર નિબંધે મંગાવ્યા ને જે સારા જણાયા તેના લેખકને સારું પારિતોષિક આપ્યું. સાથે સાથે જૂનાં પુસ્તક, હસ્તલેખ, શિલાલેખે વગેરેનું પ્રદર્શન ભર્યું અને ચિત્રકલાને પણ ઉત્તેજન આપ્યું. આ ઈનામી નિબધોથી નવા નવા યુવકે એ પરિષદુની કંઠી બંધાવી. 1 સુરતની ભૂમિ કુરૂક્ષેત્રની ભૂમિ છે. આપણી રાષ્ટ્રીય સભા સુરત મૂકામે ભરાતાં તે છિન્નભિન્ન થઈ હતી તેમ આ પરિષદુ પણ પૂરેપૂરી ભાંગી તે નહિ પરંતુ ભૂમિને ભાવ તેના પર ભજવાય. પ્રમુખ વિદ્વાન સાક્ષર રા. રા. નરસિંહરાવ હતા, તેમણે પરિષત્ની એક બેઠકમાં જુદા વિષય ઉપર વિચાર કરવા પ્રમુખપદ ઉપપ્રમુખને આપી પિોતે બીજે સ્થળે પ્રમુખપદ લીધું. આનું પરિણામ એ આવ્યું કે વ્યવસ્થિત રીતે ચાલતા કામમાં અવ્યવસ્થિતતાયે પ્રવેશ કર્યો. લે કે ઉઠી ઉઠીને ચાલતા થયા, ને મંડપમાં ગોટાળે જણા. પરંતુ આ છે દિવસે થયું હતું એટલે કે નારાજ થયેલા તે બબડતા ઘેર ગયા, ખાધું પીધું ને ભૂલી ગયા. - પરિષની આ સમાલોચના પરથી જણાશે કે ગુજરાતના છેક દક્ષિણ પ્રાન્ત મુંબાઈ અને ઉત્તર છેડા ઉપર રાજકોટ, મધ્યમાં અમદાવાદ, વડોદરા અને સુરત મળી બાર વર્ષમાં પાંચ પરિષદ થઈ છે. તેણે શું કાર્ય કર્યું છે એમ કે પૂછશે તે હું હિમ્મતથી કહીશ કે જેને પરિષદ શબ્દના અર્થની ખબર નહોતી એવા વર્ગને પરિષદની ભાવના સમજાવી, લેકમત કેળ, નવા નવા યૂવકવગની રગોમાં નવજીવનનું રક્ત રેડયું, સાહિત્યપ્રેમ કે સાહિત્ય પ્રવૃત્તિનું બીજ રેપ્યું. આ પ્રવૃત્તિને અંગે વર્તમાનપત્રોમાં, માસિકમાં નવા નવા વિષય ઉપર લેખ લખાયા જાય છે, પુસ્તકો રચાયાં જાય છે એજ માતૃભાષા પ્રત્યે બની શકે તેટલી સેવાનું ફલ કાંઈ ઓછું છે? પરંતુ પ્રશ્ન એજ અત્રે ઉદ્ભવે છે કે આપણે આ પ્રમાણે કયાં સૂધી વહેવું? પાંચ વર્ષને એક યુગ થયે એ યુગમાં ગુજરાતનાં મેટાં મોટાં શહેરેએ તેને આમંત્રી વધાવી લીધી છે, સમાજને સાહિત્ય પરિષદના ઉદ્દેશથી વાકેફ કરી છે, તથા પ્રજામાં બહુ નહિ તે ડું પણ પ્રોત્સાહન આપ્યું છે. હવે જાગૃતિને પ્રશ્ન રહ્યા નથી. હવે તે નર્મદે કહ્યું છે તેમ સાહિત્ય ક્ષેત્રમાં
Page #16
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા.
સ ચલો જીતવા જંગ, બ્યુગલે વાગે,
યા હોમ કરીને પડે, ફત્તેહ છે આગે. અત્યાર સુધીમાં પરેષક્ની ભૂમિકા ચણી તૈયાર કરી છે તે હવે પછી તે ઉપર સંગીન પ્રકારનું ચણતર ચણવાનું છે. એ ચણતર કેવું હોવું જોઈએ તે વિષે કાંઈક વિચાર કરવાનું રહેશે. અત્યારે આપણે તે શ્રી ભગવાને અર્જુનને જેમ કહ્યું હતું કે ફળની આશા રાખ્યા વિના તું તારે કર્મ કર્યા કર તેમ આ પણે પણ કર્તવ્યનિષ્ટ થઈ કર્મ કરવા તરફ વળવાનું છે. એજ દિક્ષા.
कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन ।
આ લેખ ઉપરથી ઉપજતા વિચારે. શ્રીયુત સાક્ષર શ્રી ભાનુએ સાહિત્ય ભાવના માટે ઉપગી વિચારે દર્શાવ્યા છે અને સાહિત્ય, વસંત વગેરે માસિકમાં આવા લેખે ખાસ ચર્ચાવાને જ આ પ્રસંગ છે. જૈનેના ગુર્જર પ્રાચીન સાહિત્યને બહાર લાવવા ગુર્જર ભાષાના બ્રાહ્મણ સાક્ષરે કંઈ પણ મટી ઉદારતા દર્શાવતા નથી. ગુજરાતી સાહિત્ય પરિષદ જાણે હિંદુ ધમનીજ હોય એ દેખાવ થાય છે. ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાતી ભાષાના પ્રચાર માટે સંગીન ઉપાયે લેવાયા નથી. પ્રમુખની પદવીની ધમાલ પશ્ચાત્ ભર ઉંઘ જેવી સાહિત્ય પરિષત્ની દશા દેખાય છે. બેચાર વિદ્વાનોના માન માટે બધી ધમાલ થતી હોય એવું જણાય છે. પારસી, મુસભાન, જૈન વગેરેમાંથી પ્રમુખ ચુંટાતું નથી. અથવા તેમને સહભાગી ગણવામાં પણ મન્દતા દેખાય છે–લી. જૈન.
૧
અહાજે હને થોડું ભલે હાજો પરંતુ સર્વદા*
(હરિગીત) આવે વસંતઋતુ યદા, કાયેલ મધુરં ગાય છે:
જાતાં વસન્ત ઋતુ અહા, મંગી બની સન્તાય છે ! એવા મને ગમતા નથી, ટહુકાર થોડા સમયના
હાજે મહને ડું ભલે, રહાજો પરંતુ સર્વદા ! સુન્દર પ્રભાતે બાગમાં પુ અનેરાં ખીલતાં આ ખીલી અને ય ખરી જતાં, દિનમાં હતાં ન હતાં થતાં એવું હુને હાથે નહિ, ક્ષણજીવી ઉભરે નેહના;
હાજે હેને ભલે, રહા પરંતુ સર્વદા ! ઉંડાચ:
જનાર્દન હા. પ્રભાસ્કરતા. ૧૮-૭-૧૭..
શ્રીયુત ચન્દ્રશંકર પંડયાનું અનુકરણ
૨
Page #17
--------------------------------------------------------------------------
________________
આંસુડાં.
----
-
-
-
-
-
(રાગ: કાલિંગડાની ધૂન).
આંસુડાં નેને રહડયાં, તેને હડયાં ! સુણ્યાં સૂઝયાં ચંદા સમાન નેન રે,
આંસુડાં નેને રહયાં, નેને રહડયાં ! પડયાં વામ્યાં બધિર કને કેણ રે,
આંસુડાં નેને રડયાં, નેને રહયાં ! લીધા દીધા ન સૂફમ સ્નેહ સાર રે,
આંસુડાં નેને હડયાં, નેને રહડયાં ! થાક્યાં પાક્યાં તે ઉર થયાં ક્ષાર રે,
આંસુડાં નેને હણ્યાં, નેને ચહડયાં! સર્ય પૂર્યા ન નેહ-વેણુ સર્વ રે,
આંસુડાં નેને હેડયાં, નેને રડયાં ! પડયાં ઝૂક્યાં નિરાશમાંહી પર્વ રે,
આંસુડાં નેને ડડ્યાં, નેને હડયાં! સૂનાં સૂનાં બનાવ્યા નેહ-કુંજ રે,
આંસુડાં નેને ચહડયાં, નેને ૩ડયાં! છાનાં છાનાં તે સ્નેહ-ગીત ગુંજી રે,
આંસુડાં નેને હડયાં, નેને રહડયાં! સીધા સાધ્ય ન દીધ નેહ–બલ રે,
આંસુડાં નેને હડયાં, નેને હડયાં! સીઝયા વિધ્યા તે આત્મ રે અબેલ રે,
આંસુડાં નેને હણ્યાં, નેને સ્ફડયાં! ધાયાં ધીક્યાં અંગાર થકી ઉર રે,
આંસુડાં નેને રહડયાં, નેને હડયાં! શમ્યાં થાયાં ઉલ્લાસ કેરા પૂર રે,
આંસુડાં નેને ચડ્ડડયાં, નેને રડયાં ! રહ્યું રાખ્યું ન ઉર-દુઃખ જાય રે,
આંસુડાં નેને હડયાં, નેને હડયાં ! ગળ્યાં ખાળ્યાં તે આંસુ ના ખળાય રે,
આંસુડાં નેને હડયાં, નેને રહડયાં! બળ્યાં બાળ્યાં તે ઉર બેસી જાય રે,
આંસુડાં નેને રહયાં. નેને સ્ફયાં ઉન્હાં ઉન્ડાં આંસુડે નેન ન્હાય રે,
આંસુડાં નેને હડયાં, ને રહડયાં ! વિવાદિલાસ, વડોદરા. . તા. ૨૮--૧૧,
હસલ,
Page #18
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા
पुरुष अने स्त्री.
પુરુષ અને સ્ત્રીનાં સ્વરૂપ શાં છે, અને તેમના પરસ્પર સબંધ કેવા પ્રકારનેા છે, એ સંબંધી સત્ય હજી આપણા દેશમાં અને બીજા દેશમાં થેડાજ માણસા જાણે છે; અને કેળવણીની યાજનાએમાં પણ તેથી ઘણી ખામી રહેછે. સ્ત્રી અને પુરુષ વચ્ચેના ભેદો તાત્ત્વિક અને અગણિત છે. એકની બીજાની સાથે સયુક્ત થવાની યાગ્યતાના આધાર એ ભેદો ઉપર છે.
se
संसार सुधारो,
દુનિયામાં જેમ નવ જીવન વધતું જશે, તેમ એ ભેદે વધતા જશે; અને તે એટલા માટે, કે સંચાગ વધારે ગાઢ થઇ શકે, અને અમર સયેગ માટે વધારે તૈયારી થાય.
પુરુષ અને સ્ત્રી એક નથી, તેમ સમાન પણ નથી. ટેકરી અને ખીણની વચ્ચે સમાનતા હોઈ શકે નહીં. ખીણુ ઇમારતા અને હૃદયથી ભરપૂર હોય છે, અને વાડી તથા મેલાતની સમૃદ્ધિ તેની શૈાભા વધારે છે. ટેકરીને ખીણ ઉપરના દેખાવા હોય છે, અને તે પણ સાર્વજનિક લાભમાં હિસ્સો આપે છે. અહિં પૂણતાને દરેક પગલે અસમાનતા છે. પુરુષ અને સ્ત્રી કશામાં સમાન નથી, અને કશામાં અસમાન નથી, પણ દરેક વાતમાં પરસ્પરની ખામી પૂરી કરનાર છે.
આ ઝમાના સ્વતંત્રતાના છે, એટલે સ્ત્રીઓનાં હૃદયા હાલ સ્વતંત્રતાની તૃષાથી ઉછળવા લાગ્યાં છે. તેમના રાજકીય હકો અને કેળવણી સંખ'ધી હુકાની હવે ના પડાય તેમ નથી. અત્યારે તે વ્યવહારના ઘણા ધધાઓમાં સ્ત્રીઓને દાખલ થવાની છૂટ નથી; પણ સ્ત્રીજાતિ ઉપર પુરુષની એવી આપખુદ સત્તા લાંબે વખત ચાલવાની નથી.
કયા ધધાઓ સ્ત્રીઓને ફાવશે અને કયા નહીં ફાવે, એ સ્ત્રીએ પેાતેજ પ્રયાગથી અને અનુભવથી જાણી લેશે. એટલુ' તા સ્પષ્ટ છે, કે સ્ત્રીની શક્તિ પુરુષના જેવીજ છે. સ્ત્રી કોઈ પણ કલામાં કે શાસ્ત્રમાં પ્રવેશ કરી શકે; સિ‘હાસન ઉપર એસી શકે, સેનાનું ઉપરીપણું કરી શકે; છટાદાર ભાષણ આપી શકે; ઉત્કૃષ્ટ સાહિત્ય લખી શકે; વૈદ્ય કરીકે દવા આપી શકે અને વાઢકાપ કરી શકે; ધર્માસનમાં ઉપદેશ આપી શકે; અને દૈવી સંદેશાને ગ્રહણ કરી શકે. સંક્ષેપમાં, તે તમામ ખાખત કરી શકે. જે કાંઇ કરવાને તેને પુરતા સ્નેહ હોય, તે તે કરી શકે. અને તમામ વિષયેામાં પુરુષની બુદ્ધિએ જે સત્ય પ્રગટ કયા છે, તે કરતાં કંઈક જુદી ખમીનાં સત્યે સ્રીની હૃદયપ્રધાન બુદ્ધિ બતાવી શકે. ભવિષ્યમાં સ્ત્રીની પદ્મવી સુધરશે, અને તે પુરુષને હાલના કરતાં વધારે મદદગાર થશે, એમાં કશે શક નથી. દરમિયાન અત્યારે તે ઉપરથી ઉતરતી સ્વતંત્રતાને દુરુપયોગ પણ ઘણી વાતોમાં જોઈ શકાય છે. ખુલ્લી અનીતિની વાત તો આપણે ખાજુએ મૂકીએ, છતાં સારી સ્થિતિની સ્રીએ પોતાના પતિની ગેરહાજરીમાં પણ મેજબાની આપે છે, અને છૂટના આનંદ અનુભવે છે. તમામ સમાજની રહેણીકરણી ઘણી રીતે કરી જશે, એવાં સૂચને દેખાય છે. *બ્રિટિશ અને ઉન્દી વિક્રમ. તા. ૧૭-૭-છના અંકમાંથી અવતરણું.
Page #19
--------------------------------------------------------------------------
________________
જોમાં પ્રા
કેળવણી સંબંધી સ્થિતિ અને જૈન એજ્યુકેશન ખેર્ડની ક્રૂરજ
જય
केळवणी संबंधी स्थिति अने जैन एज्युकेशन बोर्डनी फरज.
લેખક:-રા. નરોતમ બી. શાહ.
--------
ડા વખત ઉપર જૈન કામની સમક્ષ ત`દુરસ્તીના નિયમે અને દૃષ્ટિએ વિચાર કરતાં જૈન કામની અંદર કેળવણી તરફ વિશેષ લક્ષ જન સમૂહનું દોરાવા લાગ્યુ છે તે જણાવ્યા પછી હાલ મુંબઈ ઇલાકામાં સાર્વજનિક કેળવણીની સૃષ્ટિથી વિચારતાં કામની તે સબધી કેવી સ્થિતિ છે તે દર્શાવવાના આ લેખના હેતુ છે તેમજ તે સબંધમાં મુંબઇ ઇલાકાના કેળવણી ખાતા તરફથી બહાર પડતા રિપાર્ટ ઉપર અવલેાકન કરતા જૈને તે તરફ વધારે લક્ષ આપવાને કોશિષ કરે તે સારૂં આ લેખ લખવામાં આવ્યે છે. કેળવણીની ખરી સ્થિતિ શું છે તે ઉપર જૈન એજ્યુકેશન ખોર્ડના સભાસūનુ ધ્યાન ખેંચાય અને કાંઇ પણ વ્યવહારૂ પગલાં ભરવામાં આવે તે સારૂ ગોઠવણુ કરે તે વ્યાજખી ગણાશે. કારણ કે સરકાર તરફથી બહાર પડતા આવા રિપેર્ટા પ્રાય: અંગ્રેજી ભાષામાં છપાતા હોવાથી, તેમજ કામને મેટો ભાગ વેપારી વર્ગને હાવાથી અને થાડો ભાગ અંગ્રેજી ભાષાથી બેનસીબ હોવાના સબખથી, અને કેળવાએલ તરીકે જાહેર હીલચાલમાં ભાગ લેનારા પણ ગણ્યા ગાંઠયા હૈાવાથી, કેળવણીની ખરી સ્થિતિ શું છે તે આવા રિપોર્ટોનુ અવલેકન કરી જનસમૂહ સંખ રજુ કરવા ભાગ્યેજ કાળજી રાખતા હોય છે તેથી કામની કેળવણી સધી સ્થિતિ શું છે તેથી પ્રાયઃ ઈન કામના માટે જનસમુહ તદ્દન અજાણ્યા રહે છે. છેલા ૧૯૧૫ ની સાલના મુંબઈ ઇલાકાના કેળવણી ખાતા તર ફથી બહાર પડેલા રિપોર્ટ ઉપરથી માલુમ પડે છે કે મુંબઇ ઇલાકામાં ૨૫૬૫૪ ની સખ્યા બ્રીટીશ વિભાગના શહેર અને ગામડાઓની છે અને તેર માઈલે એક સ્કુલનુ પ્રમાણ આવતું હોવાથી ૯૨૬૭ શહેરાની અંદર ખુલા છે અને લગભગ ૧૬૩૮૪ શહેરા અને ગામેમાં સ્કુલાનું નામ પણ નથી અને શિક્ષણ લેનાર કુલે વિદ્યાર્થીઓની સંખ્યા ૭૫૪૬૨૨ ની છે. મુંબઈ ઇલાકાના કેળવણી ખાતાના ઉપલા રિપોર્ટ જોવાથી આવા હાલના પ્રગતિમય સમયમાં પણ આવી રીતે એકલા મુંબઇ ઇલાકાનીજ કેળવણી સખશ્રી સ્થિતિ છે તેવે વખતે દરેક
Page #20
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા.
કેમ તરફથી પિતાની કેમમાં કેળવણી સંબંધી કેવી પ્રગતિ છે તે જે તપાસવામાં આવે તે ઘણું જાણવાનું બની શકે તેમ છે. મુંબઈ ઇલાકામાં શિક્ષણ લેતા એન વિદ્યાર્થીઓની સંખ્યા ૧૯૮૦૦ ની છે. પ્રાથમિક કેળવણીમાં ૧૭૦૬૪, માધ્યમિક કેળવણીમાં રર૩૫, ખાનગી સ્કુલેમાં ૨૫૯ અને કોલેજમાં શિક્ષણ લેતા વિદ્યાર્થીઓની સંખ્યા ૨૪ર ની છે. આ પ્રમાણે આંકડાઓ જેવાથી માલુમ પડશે કે ૧૭૬૦૪ જૈન વિદ્યાર્થીઓ પ્રાથમિક કેળવણ લે છે. માધ્યમિક કેળવણીમાં ફક્ત રર૩૫ જૈન વિદ્યાર્થીઓ શિક્ષણ લે છે તે આવી રીતે શરૂઆતની પ્રાથમિક કેળવણી લીધા પછી આવી મોટી સંખ્યા કેળવણી લેતાં કેમ અટકી જાય છે તે લાગતા વળગતાએ ખાસ તપાસ કરાવવાની જરૂર છે. કારણ કે કેળવણીનું રણ આવી રીતે ઓછા પ્રમાણનું રહેશે તે કેમને ઉચ્ચ દરજે આવવાને હજુ કેટલે વખત લાગશે તે વિચારવા જેવું છે. તે ઉપરાંત ઉંચી કેળવણું લેતા જૈન વિદ્યાર્થીઓની સંખ્યા તરફ જોઈએ છીએ ત્યારે ખેદ ઉત્પન્ન થયા વિના રહેતું નથી. કારણ કે ફક્ત ૨૪૨ જૈન વિદ્યાર્થીઓજ કેલેજમાં શિક્ષણ લે છે. આ બાબત ધ્યાનમાં લઈએ અને જે કેળવણીને આગળ વધારવા સારૂ ઘટતા ઉપાયે કેળવાએલા વર્ગ તરફથી જલ્દીથી લેવામાં નહિ આવે તે કેળવણીને માટે નજીકના ભવિષ્યમાં સારી આશા રાખવી તે ફેકટ છે. જૈન એજયુકેશન બોર્ડ તરફથી હાલમાં કેટલુંક પ્રગતિમય કાર્ય કરવામાં આવે છે પરંતુ તેના કાર્યને સરવાળે મુઠીભર વિદ્યાર્થીઓને અમુક ઈનામ અને હરીફાઈની પરીક્ષામાંજ સમાઈ જ હોય તેથી કાંઈ કાર્યસાધક પરિણામ શું આવશે તે પણ વિચારવા જેવું છે. સતર હજાર જૈન વિદ્યાર્થીએ પ્રાથમિક કેળવણીનું શિક્ષણ લે છે. અને આશરે પંદર હજાર વિદ્યાર્થીઓ (Secondary) માધ્ય. મિક શિક્ષણ લેતાજ અટકી જાય છે તેનાં કારણે અને તે અટકાવવાને ઉપા શોધવા તે જૈન એજ્યુકેશન બોર્ડનું પહેલું કર્તવ્ય છે.
દરેક પ્રાંતમાં નિમાયેલ પ્રાંતીક એન. સેક્રેટરીઓના નામની હારમાળા તરફ નજર કરીએ છીએ ત્યારે કોઈ પણ વ્યક્તિને આશ્ચર્ય થયા વિના રહેશે નહિ કે તેઓ કેટલું બધું કાર્ય કરતા હશે પરંતુ તેઓની ખરી ફરજ તે એ છે કે શિક્ષણ લેતા પ્રાથમિક કેળવણીના વિદ્યાર્થીઓ આગળ શિક્ષણ લેતા કેમ અટકી જાય છે તે જન સમાજની નજર ઉપર લાવી દરેક પ્રાંતમાં તે કેમ અટકાવી શકાય વગેરે બાબતે સુચનાઓ કરવી જોઈએ. મુંબઈ ઈલાકામાં પચીસ હજાર શહેરમાં લગભગ સેળ હજારમાં તે સ્કુલેનું નામ પણ નથી એવી સામાન્ય સ્થિતિ ઇલાકાની કેળવણીને લગતી છે તેવે વખતે દરેક કેમ તરફથી જે પિતાની કોમની કેળવણીની સ્થિતિ તરફ લક્ષ આપવામાં આવે તે કામને વિ. ઘાર્થીવર્ગ કયાં કારણોને લીધે, કેળવણી લેવા બેનશીબ રહે છે તે કેમ
Page #21
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
કેળવણી સંબંધી સ્થિતિ અને જૈન એજ્યુકેશન બેની ફરજ. ૫૧ સંમુખ રજુ કરી શકાય અને આવી રીતે દરેક પ્રાંતવાર શિક્ષણ લેતા વિદ્યાર્થીએના અટકી જવાનાં મુખ્ય કારણે અને તેને અટકાવવા ઉપાયે શોધી કાઢવામાં ન આવે ત્યાં સુધી જેનકેમ કેળવણીમાં આગળ વધે છે તે કહેવું ગેરવ્યાજબી છે. સને ૧૯૧૧ ની સાલને વસ્તીપત્રકને છેલે રિપોર્ટ અને તેની અંદર જેનેની કેળવણી સંબંધી સ્થિતિને લગતા આંકડાઓ જોતાં માલુમ પડે છે કે ગુજરાતમાં દરહજારે પુરૂષે ૭૪૫ જૈને લખી વાંચી શકે છે જ્યારે દક્ષીણ વિભાગમાં કર્ણાટકમાં દરહજાર પુરૂષે ફક્ત ૧૦૮ જૈનેજ લખી વાંચી શકે છે. આવી મુંબઈ ઇલાકાની કેળવણીને લગતી સ્થિતિ જોતાં અને તે સંબંધી તે ખાતાને અમલદાર વસ્તીપત્રકમાં જણાવે છે કે "The Jain in the Karnatak is distinguishable both in appearance and dress fron the local cultivators and the comparatively low ratio of litracy is due to racial causes” આ ઉપરથી જોન એજ્યુકેશન બોર્ડ જેવા ખાતાની ખાસ કરજ છે કે “ Racial Causes” કયાં કયાં છે તે શેધી કાઢવાં જોઈએ કે જેથી કરીને કેળવણી લેતા અટકી જતા જૈન વિદ્યાર્થીઓનું આવડું મોટું પ્રમાણ આવે છે તે જનસમાજ સંમુખ રજુ કરી શકાય. આવી બાબતે ઉપર દધ્યાન આપવામાં આવે તે માટે ઉપાચે જવા કાંઈ પણ પ્રયાસ કરવામાં આવશે તે જ વ્યાજબી ગણાશે.
જૈન કોમમાં સ્ત્રી કેળવણી સંબંધી સ્થિતિ, જેના ઉપર દેશને, કેમને અને આખી જ્ઞાતિની ઉન્નતિને આધાર છે તેવા વર્ગની કેળવણીની સ્થિતિ તરફ કેમ તરફથી ગમે તેટલા પ્રયાસ કરવામાં આવતા છતાં હજુ પણ આટલા બધા અજાણ્યા છીએ કે તેની ખરી સ્થિતિ શું છે તે જાણી શકતા નથી. અને તે વખતે સરકારી રિપેટે આપણા આધાર ભૂત થઈ પડે છે. છેલલા વસ્તીપત્રક ઉપરથી માલુમ પડે છે કે મુંબઈ ઇલાકામાં ગુજરાતમાં દરહજારે ૧૫૪ સ્ત્રીએ જૈન કેમમાં લખી વાંચી શકે છે. અને દક્ષીણ વિભાગમાં દરહજારે ૭ ફક્ત (સાત) સ્ત્રીએ લખી વાંચી શકે છે.
જ્યાં સુધી આટલે દરજે સ્ત્રી કેળવણીની ખામી છે તેવે વખતે જ્ઞાતિ ઉન્નતિને વિચાર કેવી રીતે પાર પાડી શકાય તે પણ વિચારવા જેવું છે. સ્ત્રીઓ સુશિક્ષિત થાય તેવી ભાવનાને સિદ્ધાંત તરીકે સાબીત કરવા સારૂ ભગીરથ પ્રયત્ન કરવાની જરૂર છે. અને જ્યાં સુધી આ બાબત કોમના કેળવાયેલ વર્ગ તરફથી લક્ષ આપવામાં નહિ આવે ત્યાં સુધી કેમની ઉન્નતિ થવી મુશ્કેલ છે. જ્યારે નામદાર સરકાર તરફથી સ્ત્રીઓ ઉંચ કેળવણી લેવાને લલચાય તે સારૂ રોલરશીપે સ્થાપવામાં આવે છે અને બીજી તરફ પ્રોફેસર ક જેવા ગૃહસ્થ તરફથી સ્ત્રી કેળવણીની ઉન્નતિ થાય તે સારૂ પ્રયત્ન કરી સ્ત્રીઓ માટે યુનીવરસીટી સ્થાપવા નકકી કરવામાં આવ્યું છે ત્યારે જૈન જેવી સમજુ કેમમાં પણ લખી વાંચી શકે
Page #22
--------------------------------------------------------------------------
________________
પર
બુદ્ધિપ્રભા તેવી સ્ત્રીઓનું કેળવણીને લગતું પ્રમાણ ઉપર પ્રમાણે કેટલું બધું ઓછું આવે છે તે જનસમાજ સહેલાઈથી જોઈ શકશે. દક્ષીણ વિભાગમાં સ્ત્રી કેળવણી જેવું કાંઈ છે જ નહિ એમ ખુલ્લ દેખાઈ આવે છે. ગુજરાતમાં ઘણું સામાન્ય પ્રમાણ આવે છે. આવી સ્થિતિ સુધારવા સારૂ જેન એજ્યુકેશન બોર્ડ કાંઈ પણ ન કરી શકે ? વળી કેમની અંદર બાળલમ, નાની ઉમરમાં થતા લગ્ન આદી પ્રસંગને લીધે, એકજ સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં ફેરફાર થતા, હજુ તે ગૃહિણી તરીકેની ફરજો સમજવાને ભાગ્યેજ લાયકાત મેળવી હોય છે તે પ્રસંગે કર્મસંગે અનુકૂળતાને અભાવ હોય તે જે કાંઈ પણ શિક્ષણ જૈન બહેનોએ શરૂઆતમાં લીધું હોય છે તે પણ નિરૂપયોગી થઈ પડે છે, અને આવી મુશ્કેલીમાંથી સ્ત્રી વર્ગ દુર થાય અને તેમની સામાન્ય સામાજિક સ્થિતિ કઈ પણ પ્રકારે સુધરે તેવા હેતુથી પ્રેરાઈ હાલ તુરત મુંબઈ શહેરમાં સ્ત્રીઓને ઘેર બેઠા મફત વાંચનને લાભ આપવા સારૂ, મુની શ્રી મેહનલાલજી જૈન સેન્ટ્રલ લાઈબ્રેરી મારફતે કેટલાક ઉદારચીત ગૃહસ્થની મદદથી ટોલીંગ લાઈબ્રેરી યાને ફરતા પુસ્તકાલયની પેટીઓ દરેક માળે માળે અને ચાલીએ ફેરવવા સારૂ પ્રયાસ કરવામાં આળ્યું હતું. પરંતુ ખેદની વાત છે કે આવા ઉચ્ચ આશયથી રજુ કરવામાં આવેલી જનાથી પણ જે જોઈએ તે વાંચનને લાભ લેવાઈ શકાતું નથી; કારણ કે આવા કાર્યમાં અમુક સ્વયંસેવકો જ્યાં સુધી આત્મભોગ આપવા બહાર પડે નહિ ત્યાં સુધી આવા કાર્યોની મુશ્કેલી દુર થઈ શકતી નથી. જે આ બાબત હજુ પણ લક્ષ આપવામાં આવે તે ખરેખર કેમના એક અજ્ઞાન વર્ગને આપણે અંધકારના પડદામાંથી બહાર લાવી ઘણું અજવાળું પાડી શકીએ તેમ છે. જે અમુક સ્ત્રીઓ મત વાંચનને લાભ લેશે અને તેના ફાયદાઓ સમજતી થશે તે બીજી બહેનને આ બાબત લક્ષ ખેંચવાને સારી મહેનત કરશે તેથી થોડું ઘણું લીધેલું શિક્ષણ પણ ટકાવી રાખવા સારૂ આ પેજના સાથી ઉત્તમ છે તેમ માનતાં જરાએ અટકી શકાતું નથી. મુંબઈ શહેર એકલાજ માટે નહિ પરંતુ દરેક શહેરમાં પણ આ યોજના આદરણીય થશે. કારણ કે બહુજ ઓછા ખર્ચથી મેંટે લાભ આપનારી આ ચેજના છે. આશ્ચર્ય જેવું છે કે લેક લક્ષ આ બાબત તરફ હજુ સુધી ખેંચાયલ નથી! તે તે બાબત જરૂર કેળવણીને અંગે રસ લેનાર દરેક વિદ્વાન બધુઓને સુચના કરવામાં આવે છે કે આ બાબત પિતાથી બની શકે તેટલે પ્રયાસ કરે જોઈએ. જૈનના કેળવણીને લગતા આંકડાઓ વસ્તીપત્રકમાં જુદા
મેળવવાની જરૂરીઆત. જૈન કેમની વતી જોતાં, આ આંકડાઓ જુદા જુદા પ્રાંતવાર મેળવવાની જરૂરીઆત છે; કારણ કે આખા હીંદુસ્તાનની આપણી કેળવણી સંબંધી સ્થિતિ જાણવાને તે ઘણાજ ઉપયોગી છે એટલું જ નહિ પરંતુ કયા વિભાગમાં કેળવ
Page #23
--------------------------------------------------------------------------
________________
કેળવણી સંબધી સ્થિતિ અને જૈન એજ્યુકેશન બેની ફરજ
પ૩
શુની ખામી છે અને તે કેવી રીતે દૂર થઈ શકે તે સારૂ ઉપાયે જવા સારૂ પણ અગત્યના છે, દિલગીરીની વાત છે કે અત્યાર સુધી કરવામાં આવેલ પ્રયાસનું શુભ પરિણામ આવ્યું નથી. અને તેનાં કારણે તરીકે મને તે એમજ લાગે છે કે આપણે જેવી રીતે જોઈએ તેવી રીતની અરજ સરકારને ગુજારવામાં પછાત હેવાનું જ છે. હિંદુરતાનની પારસી કેમ જેની વસ્તી ફક્ત એંસી હજાર છે તેને માટે જુદા જુદા કલમે મેળવી શકાય છે ત્યારે જૈન કેમ તેના કરતાં બાર ગણી વધારે વસ્તી ધરાવતાં છતાં તેને સારૂ કાંઈ પણ ન બની શકે તે વ્યાજબી લાગતું નથી. આ બાબત કેળવણીને લગતા
જુદા જુદા આંકડાઓ વસ્તીપત્રકમાં મેળવવા સારૂ સને ૧૯૦૭ ની સાલમાં જૈન દિગબર પ્રાંતિક સભાના પ્રેસીડેન્ટ તરફથી એક અરજી કરી પ્રયાસ કરવામાં આવ્યું હતું ત્યાર પછી સને ૧૯૧૪ ના રોજ મુંબઈની જૈન એસેસીશન ઓફ ઈન્ડીઆ તરફથી એક અરજી કરી મુંબઈ સરકારના કેળવણી ખાતાના અમલદારનું ધ્યાન ખેંચવામાં આવ્યું હતું અને તે અમલદાર તરફથી તા. ૯ મી અકટોબર ૧૧૪ ના રોજ જવાબ આપવામાં આવ્યું હતું કે પ્રાથમિક, માધ્યમિક, ખાનગી સ્કુલે અને કોલેજોમાં શીખતા જન વિદ્યાથીઓના આંકડા આપ્યા સિવાય વિશેષ તેનાથી કાંઈ થઈ શકે તેમ નથી. તે ઉપરાંત જણાવ્યું હતું કે જે જાતની માહિતી આપવામાં આવે છે તે હિંદી સરકાર મરજી અનુસાર આપવામાં આવતી હોવાથી છેવટે નીચે પ્રમાણે જવાબ આપવામાં આવ્યે હતે. * The form of the table is prescribed by the Government of India and it rests with them to revise it is they think fit.” @4R 4912 જૈન એસેસીએશન ઓફ ઈન્ડીઆને જવાબ મળ્યાને ત્રણ વર્ષ થવા આવ્યાં પરંતુ દિલગીરીની વાત છે કે કાંઈ પણ આગળ પ્રયાસ કરવામાં આવ્યું નથી? આવી મોભાદાર સંસ્થાએ એક કામ હાથમાં લીધા પછી છેવટ સુધી તેને નિર્ણય લાવવાની કેશિમાંજ તેની ફતેહને આધાર છે. હાલમાં સાંભળવામાં આવ્યું છે કે આ બાબત જૈન એજયુકેશન બોર્ડ તરફથી જુદા જુદા કલમે સરકારી રિપિટમાં આવે તે સારૂ પ્રયાસ કરવામાં આવનાર છે તે આવી રીતે જુદી
જુદી સંસ્થાઓ તરફથી એકજ બાબતસર, સરકારી ખાતામાં પત્ર વ્યવહાર કરવામાં આવે તેના કરતાં જે સંસ્થા તરફથી શરૂઆતમાં જ કાંઈ પણ પ્રયાસ કરવામાં આવ્યું હોય તેની મારફતે જ કાર્ય હાથ ધરવામાં આવે તે ધારેલું કાર્ય જલદીથી પાર પાડવા ઘણેજ સંભવ છે. છેવટે આ લેખમાં જણાવેલ સૂચનાઓ તરફ કેળવણીને લગતા કાર્યમાં હિલચાલ કરનારાનું લક્ષ ખેંચાય અને તેમાં દર્શાવલી હાજતે દૂર કરવા સારૂ પિતાથી બનતે ફાળો આપી વ્યાવહારિક રીતે કાર્ય કરી બતાવવાને ઉતેજીત થાય એમ ઈછી આ ટૂંક લેખ સમાપ્ત કરું છું.
Page #24
--------------------------------------------------------------------------
________________
૫૪
બુદ્ધિપ્રભા.
* स्वीकार अने अभिप्राय.
«ssessessess是这ess: જૈન હિતેચ્છુ. ( જુન ૧૯૧–મુંબઈ.)
રા, ભાઈ વાડીલાલના સતતું અને તુત્ય પ્રયત્નથી સ્થપાયેલા “સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહ' ને લગતી ઉપયોગી માહિતી પુરી પાડતે ૩૦૦ પૃષ્ટને આ દળદાર સચિત્ર માસિક અંક જન અને જૈનેતર સંગીન લેખોથી ભરપૂર છે. તેમાંથી વાચકે જે ચતુર હોય તે ઘણું સાર ખેંચી શકે તેમ છે. શ્રાવિકા. (જુલાઈ ૧લ્૭–ભાવનગર)
અપ-ટુ-ડેઈટ ઢબે તૈયાર થતા આ સચિત્ર માસિકનું ગે–અપ આકર્ષક અને ખર્ચાળ છે. લેખ પસંદગી ઠીક થાય છે. ચિત્રમાં સ્વ. ડા- દાદાભાઈ અને મિસિસ એનિબિસંટ ઉપરાંત નિર્દોષ પંખીડાંની ભક્તિવાળા કાવ્યને લગતાં બે ચિત્ર અને વિધવા પાસે વ કરાવવા મળેલા નાતન પટેલીઆઓનું ચિત્ર ઘણું સુન્દર છે. સુનિ. (શ્રાવણ સં. ૧૭૩, બેવડ-પૂર્વ ખાનદેશ.)
રંગીન આર્ટ પેપરના ડીબાચા સાથે હિન્દી ભાષામાં આ માસિક નિયમિત પ્રસિદ્ધ થાય છે. તેના સંપાદક શ્યામલાલ ગુપ્ત છે. પિન્ટેજ સાથે વાર્ષિક લવાજમ રૂા. ૨) છે. લેખ વાંચવા ચગ્ય હોય છે. દિગંબર જન. (અષાઢ-શ્રાવણ: સંવત્ ૧૯૭૭. સુરત.)
માસિક લગભગ હિન્દી લેખેથી તૈયાર થાય છે તે વિશેષ આદરની વાત છે. શ્રી અષભ નિર્વાણુ અને શ્રી વીરનિર્વાણ સંબંધી લેખે ખાસ ધ્યાન ખેંચે છે. જનધર્મપ્રકાશ. (શ્રાવણઃ સંવત ૧૭૩, ભાવનગર)
પ્રશમરતિ પ્રકરણ, શ્રાવક તથા સમાજસેવા વગેરે લેખે સારા લખાયા છે. સાહિત્ય, (ઓગષ્ટ ૧૯૧૭, વડોદરા)
નિયમિત અને લોકપ્રિય, આ સસ્તા લવાજમમાં બહોળું વાચન પૂરું પાડતા સાહિત્યના ઓગષ્ટ મહિનાના અંકમાં જીવજંતુ સાથે માણસને સંબંધ અને સ્વ. દાદાભાઈના અવસાનને લગતી તંત્રીજીએ લીધેલી ટૂંકી પણ મુદ્દાઓથી ભરપૂર નોંધ ખાસ ધ્યાન ખેંચે છે. ચર્ચાપત્રે લેવાની અને અભિપ્રાય આપવાની સાહિત્યના વિદ્વાન તંત્રીની સમાનતા અને નિખાલસવૃત્તિ અન્ય પત્રકારોને દ્રષ્ટાંતરૂપ છે.
Page #25
--------------------------------------------------------------------------
________________
સ્વીકાર અને અભિપ્રાય.
૫૫
ચન્દ્રપ્રકાશ. (ઓગષ્ટ-૧૯૧૭, વડોદરા.)
આ માસિકના તંત્રી અને વ્યવસ્થાપક અને નવા છે અને ગુજરાતના માનનીય વિદ્વાને છે. તેઓના તંત્ર તળે આ માસિક જ્યારથી ચાલવા માંડયું છે ત્યારથી તે નવા અવતારમાં આવી નવા સ્વરૂપે દર્શન દે છે. માસિક નિયમિત પ્રકટ થાય છે અને લેખની ઉત્તમ પસંદગીથી તે કપ્રિયતા સાથે બહેળે ફેલાવે પામતું જાય છે એ સંતોષની વાત છે. આ અંકમાં જીવન અને સાહિત્ય, ભારતમાં રાષ્ટ્ર ભાષાની આવશ્યકતા, નિસર્ગ ભક્ત વગેરે લેખ વિશેષ આકર્ષક છે. ગુર્જર સાહિત્યમાં નાટય સાહિત્ય ઘણું નથી અને તે અરસામાં ર. ભાઈ ભરતરામે તે વિષય હાથમાં લીધેલ જોઈ આનંદ થાય છે. જિજ્ઞાસુ. (શ્રાવણુઃ સંવત ૧૭૩, ભાવનગર)
આઠ આના જેટલા સસ્તા વાર્ષિક લવાજમમાં આ માસિક સારી જન સેવા બજાવી રહ્યું છે. ઘરમાંથી અને શાળામાંથી શારીરિક શિક્ષા બંધ કરો, યુદ્ધ વગેરે લેખે કસાયલી કલમથી લખાયા છે.
કચ્છી જૈનમિત્ર, વ્યાયામ, વિશાશ્રીમાળી વગેરે માસિકન વહેંચ ઉપકાર સાથે સ્વીકારીએ છીએ. અભિપ્રાય આવતા અંકમાં.
નીતિમય જીવન–લેખક, પન્યાસજી કેશરવિજયજી ગણિ. પ્રકાશક, શા. સેમચંદ ભગવાનદાસ અમદાવાદ. કિસ્મત - આના. રોયલ સળજી સાડાસાત ફર્મ, પાકુ ૫ ડું. લેજ કાગળ.
આ પુસ્તક પન્યાસજી કેશરવિજયજી ગણિ, જ્યારે સન ૧૯૭૦માં રાજ કેટ મુકામે ચાતુર્માસ ગાળતા હતા, તે અરસામાં તેઓના હાથે તૈયાર થયેલ હતું. નીતિનું રહસ્ય જણાવતાં લેખકે અનેક વ્યવહારૂ માર્ગો વિષે વાસ્તવિક ઉલ્લેખ કર્યો છે. ન્યાયથી ધન મેળવવા બાબત, શિષ્ટાચાર પ્રશંસા વિષે, સરખા કુળાચાર સાથે વિવાહ સંબંધી, પાપ–ભીર વિષે, પ્રસિદ્ધ દેશાચાર પ્રમાણેની રહેણી-કરણી વિષે, વગેરે કુલ ૩૫ ગુણરૂપ નીતિમય જીવનને ધારણ કરનાર મનુષ્ય સમ્યક્રર્શનપૂર્વક ગૃહથ ધર્મનાં વ્રત ધારણ કરવાને યેચ થાય તેવા આશયની વિષય ગૂંથણીવડે પુસ્તક તૈયાર થએલું છે. અને તે ઉત્તેજનને પાત્ર છે.
જિનભક્તિ આદ–લેખક શા. કુંવરજી આણંદજી, પ્રકાશક કાપડમાકિટ, વેપારી જૈન મંડળ તરફથી શા. માણેકલાલ નાનજી મુંબઈ, ડેમી આઠપિજી, સારા Àજ કાગળના ત્રણ પ્રેમની આ ન્હાની ચેપની પ્રસિદ્ધિને મળ આશય આ છે –
પૂજક પૂજન સે અને પૂજ્ય બરાબર ધાર; પૂજા ફળ પૂજા કરે પામે ભદધિ પાર, ”
Page #26
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા,
ઉપરાંત ભક્તિને મિષે થતી આશાતનાઓ અને જિનરાજભક્તિ વિષે બહુ સુન્દર રીતે વર્ણન થએલું છે. આ પ્રકારનાં ન્હાના ન્હાનાં પફલેટ્સ પ્રસિદ્ધ થાય એ ઈચ્છવા જોગ છે.
મુંબઈ ઈલાકાની–જૈન વસ્તીમાં પ્રાંતવાર આવતું મરણ પ્રમાણ અને જૈન કેમના નેતાઓની ફરજ. લેખક અને પ્રકાશક રા. નત્તમદાસ ભગવાનદાસ શાહ. મુંબઈ. ડેમી સાઈઝ બે ફેર્મ.
નિબંધ ઘણું સારે છે અને તે મહેનતપૂર્વક તૈયાર થએલે હોઈ પ્રત્યેકને વાંચવા જેવ્ય છે. આ માસિકમાં તેને પુનઃ પ્રસિદ્ધ કરવાની અમને અપેક્ષા રહે છે એજ તેની ઉત્તમતાની પ્રતીતિ છે.
ચન્દ્રચૂડ-(મરાઠી ઉપરથી અનુવાદ.) અનુવાદક રા. ચન્દ્રશંકર કરૂણા શંકર દ્વિવેદીઃ ભાવનગર, પ્રકાશક “જૈનશાસન” પત્રના અધિપતિ. કિસ્મત રૂા. ૧-૦-૦ રોયલ સેળપેજી સવા પંદર ફેમ. કાચું પૂરું કાગળ મધ્યમ “જૈન શાસન” પત્રની સાતમી ભેટ.
અનુવાદક કહે છે તેમ, “આ એક મરાઠી કથાને અનુવાદ છે.” વસ્તુ સાંસારિક છે. ચંદ્રચૂડ અને તારા એકજ જાતિનું યુગલ છતાં દેશસ્થ અને કેકણસ્થ એવા પેટા વિભાગને લીધે, સંસાર સુષ્ટિની સંકુચિત દષ્ટિને ભેગે. સ્વયં ઈચ્છા છતાં લગ્નગ્રંથીથી ઉભય સંયુક્ત થઈ શકતાં નથી. સિવાય સઘળે વ્યવહાર એક સરખે ચાલે છે. પરિણામે સમાજની રૂઢિના ભયથી વિતાવ સ્થામાં જે જે સહગામી નહોતું બની શક્યું તે અવસાનકાળને અને “એન લાજે ફેટેગ્રાફ” રૂપે કેવળ ચિત્ર-પ્રતિમામાં એક સાથે વિરાજી શકે છે.
અનુવાદ એકંદરે ઠીક થયે છે. વાક્યરચના, શબ્દપ્રયાગ, ભાષાશૈલી અને શુદ્ધિ વગેરે બાબતે ઉપર વિશેષ લક્ષ આપવાની જરૂર છે. અમારા નમ્ર મત પ્રમાણે સમાજસુધારણાવાળા હાલના જમાનામાં “કેકણસ્થ અને દેશસ્થ” જેવા જ્ઞાતિના પેટા વિભાગને ભેદી, સમાજની વિશાળ દષ્ટિયે કથાનાયકનાં લગ્ન અનુવાદકે કરાવ્યાં હતા તે સારૂં. પુસ્તકની પ્રસ્તાવનામાં “ગ્ય સ્થળે મૂળ માંથી ફેરફાર કર્યાનું ” અનુવાદકે સ્વીકાર્યું છે, વાસ્તેજ અમે ઉપલ્ય ફેરફાર સૂચવવાની છૂટ લીધી છે.
નવજીવન (નિબંધને સંગ્રહ) લેખક અને પ્રકાશક રા. મણિલાલે મોહનલાલ પાદરાકર. (ખેતી અને સહકાર્ય ત્રિમાસિકના તથા આ પત્રના તંત્રી વડોદરા. કિસ્મત કાચું પૂઠું બાર આના, પાકુ પૂ હું રૂા. ૧-૦-૦. સૂપરાયલ સેળ પેજ. સાડા અગિયાર ફાર્મ, ઉંચા ગ્લેઝ કાગળ, આવૃત્તિ બીજી.*
* (આ પુસ્તક વિષે અભિપ્રાય નિવેદન થાય તે અગાઉ, એક અંગત ખુલાસો માં કર જોઈએ. ઉપલ્યા પસ્તકના કર્તા મારા મિત્ર છે અને આ માસિકના તંત્રી છે
Page #27
--------------------------------------------------------------------------
________________
સ્વીકાર અને અભિપાય,
વડોદરા રાજયના દીવાન મે. મનુભાઈ સાહેબને આ પુસ્તક અર્પણ થએલું છે, અને પુસ્તકને ઉપઘાત . શિ. શ્રી શારદાબહેને લખ્યો છે. એકંદર આ પુસ્તકમાં સાત લે છે. (૧) પ્રેમ મિમાંસા, (૨) સૂફી તત્વજ્ઞાન, (૩) મહાકવિ ડેન્ટ-ઇટાલિયન કવિ, (૪) મહાકવિ કાલિદાસ અને ભવભૂતિ–ઉભય વચ્ચેની સરખામણી, (૫) કાવ્ય-દેવીને દરબાર, (૬) મહાકવિ કીર્દોસી, (૭) તથા ભરતખંડ કે આર્યાવર્ત.
રા. ભાઈ મણિલાલની કલમ હવે ગુજરાતને અપરિચિત નથી. જ્યારે પણ તેમના છૂટક લેખે હું વાંચું છું ત્યારે તેમના સંબંધી બે બાબતે હું સમજી શકું છું. એક તે એ, કે તેઓ જે લખે છે તે કેવળ વાંચનનાજ અનુભવનું નથી લખતા, પણ અનુભવ પછીનું તેમને જે સત્ય લાગે છે તે સ્વતંત્ર ભાથી લખે છે અને બીજું એ, કે તે સારું લખી શકે છે. આ પુસ્તક ધ્યાનપૂર્વક વાગતાં મને ઘણા વિચારે ઉદભવ્યા છે, અને કોઈ વાર પ્રસંગવશાત પુસ્તકનું
અવલોકન કરીશ ત્યારે તેમાં રાઘળા વિચારે છટથી મૂકી શકીશ. અહીં, અને અત્યારે, તે તેના વિષે અભિપ્રાયજ આપવાનું છે, અને તે પણ ટુંકા શબદોમાંજ પતાવીશ. પુસ્તકનું નામ નવજીવન રાખ્યું છે, તેમાંના ગહન વિષ
ને સરલતાથી અને ઉચ્ચ જેથી તેઓ સફળ બનાવી શક્યા છે તેથી તે નામનું સાર્થક થયું છે. નામની તળે “નિબંધ સંગ્રહ” લખાયેલું છે, પણ પુસ્તકમાંના વિષયે નિબંધનું શુષ્ક સ્વરૂપ રાખી શક્યા નથી તેથી મારા નમ્ર મત પ્રમાણે તેને નિબંધોને સ્થાને લેખે તરીકે ઓળખવા ઠીક થઈ પડશે. લેઓની ભાષા સંસ્કારી છે, શબ્દપ્રયોગ અને શૈલી માટે ખાસ મત દેર નથી. અને રા. ભાઈ મણિલાલે પ્રસ્તુત પુસ્તક જેટલા ઉત્સાહપૂર્વક તૈયાર કર્યું છે. એટલાજ–સંપૂર્ણ-શથી પ્રજામાં તે વંચાશે એમ મને લાગે છે. ગુજરાતના (તેમ “મેંડર્ન રિવ્યુ” જેવાં ગુજરાત બહારનાં પ્રતિષિત પત્રોએ આ પુસ્તક વિષે વાજબી પ્રશંસા કરેલી જાણી વિશેષ સંતોષ થાય છે. મિત્ર-તંત્રીના પુસ્તક વિશે મિત્ર-વ્યવસ્થાપક અભિપ્રાય આપે, એટલે “રંગી દુનિયા” ને રાજર્ષિ ભહરિ રચિત એક ક જેવું આળ ઢોળવાની કદાચ તક મળે. . મણિભાઈનું પુસ્તક વાંચ્યા પછી તેને અભિપ્રાય અહી લખતીજ વેળાએ મને આવી શંકા સહસા થઈ હતી. પણ તે શંકા થોડીજ પળે ટકી. ખરું તો મને એજ લાગ્યું, કે ચિત્ર-વિચિત્ર રંગીન પટાથી અલંકૃત આ જમાનામાં એવા અનેક અનુમાને કેવળ કળકલ્પિત રીતે બંધાય છે અને વિલય પામે છે. તેવા અનુમાને કને અનુચિત નિઅત રાખી મને જે સત્ય લાગ્યું હોય તે, કદાચ જગતના ઉપર જણાવ્યા તેવા અપવાદને માન આપતાં સત્ય છપાવવું એ છે સિક નિર્બળતા છે, અને મનના આવા સમાધાન પછી, પ્રસ્તુત પુસ્તક વિષે બંધાય. મને સ્વતંત્ર મત, જે પ્રસિદ્ધ થાય તે સિદ્ધ કરી આપવાની જવાબદારી સાથે આ અભિપ્રાયન અહીં જગા આપી છે. આ પ્રકારને ખુલાસે મારા મિત્રમાં એક પણ અંશે ભાગે પ્રેરક થશે તે “ખુલાસા” માટે રેકેલી જગા નકામી ગયેલી નહિ ગણાય.) અવલોકન અને અભિપ્રાય વચ્ચે ભેદ અવલોકનકારથી અજાણ નહિ હોય.
કે, હ, શેઠ,
Page #28
--------------------------------------------------------------------------
________________
મુદ્ધિપ્રભા
વિશેષાંક-સુબઈ અને માંગરોળ જૈન સભા-રજત મહોત્સવ પ્રસંગે તૈયાર થએલે, પ્રકાશક . મકનજી જે. મહેતા. પી. એ; ઍલ સ્કુલ બી. ઍરિસ્ટર અદ્ર-લા. મુખઇ,
ડેમી ૮ પેજી ૧૩ ફાર્મ જેટલે આ દળદાર ખાસ અંક ઘણી ઉપયોગી માહિતી પૂરી પાડનાર હોઈ બહુ કિંમતી છે. ઉપરની સભાનાં છેલ્લાં ૨૫ વર્ષની કાર્ય-વાહી સાથે ધર્મ ગુરૂએ અને ગ્રેજ્યુએટ-જૈન અને જૈનેતર વિદ્યાનેાની કસાયલી કલમથી લખાયલા ઉત્તમ લેખાને આમાં સમાવેશ થયેલ છે. ૨૫ વર્ષની કાર્યવાહી વાંચતાં અમને સતષ થયા છે અને સભાના હેતુએ અન્ય કામી મંડળાને અનુકરણ કરવાાગ્ય છે એટલુંજ નહિ, પણ હેતુઓને અવલંબી, તેણે મજાવેલી સેવા પણ તેટલીજ રતુત્ય છે. અમે આ સભાની ઉત્તરોત્તર અભિવૃદ્ધિ ઇચ્છીએ છીચે અને ભવિષ્યમાં તે એક આદર્શ સંસ્થા તરીકે સર્વત્ર અનુકરણીય નિવડે તેવુ જોવા ઇન્તેજાર છીએ. ધન્વન્તરિ. ( જુલાઈ ૧૯૧૭. વીસનગર. )
આરાગ્ય જાળવવાની ઉપયેગી માહિતી પૂરી પાડનારાં ગણ્યાં-ગાંડયાં ગુજરાતી માસિકા પૈકી આ માસિક પણ પેાતાના તરફથી સારો ફાળો આપે છે. આ અંકમાં તત્રીના લેખા ઉપરાંત જાણીતા સ્વર્ગના ઇજારદાર રસ, પઢિયારને, વૈદક નોવાળા વગેરે લેખે ધ્યાનપૂર્વક વાંચવા જેવા છે.
વ્યવસ્થાપક,
રia.
પર
આગમાદય રમિતિ અને આગો
-
જૈન ધર્મમાં આગમોની મુખ્ય માન્યતા છે. આમને પ્રથમ છાવનાર રાયખહાદુર ધનપતિસિહ ખહાદુર હતા. તેને બીજીવાર છપાવવા માટે પન્યાસ આનન્દસાગર ગણિએ પ્રયત્ન કરેલ છે અને અગમે છપાવવા ખાળે ડ પણ મેોટા પ્રમાણમાં થએલું છે છતાં સમિતિના આગેવાનો તરફથી સર્વ સાધુએને પૂરાં પુસ્તક પાડી શકાતાં નથી. કુંડ થાય છે તેમાં સર્વ જનાની માલિકી છે છતાં સમિતિમાં ભાગ નહીં લેનાર સાધુઓને અને સાધ્વીઓને છપાયેલાં આગમા નહી મળવાથી કુંડ ભરનાર શ્રાવકોનાં મન કચવાય છે અને તેથી એકપક્ષી સમિતિનું કાર્ય ગણાય છે. જે હેતુએથી આગમાય સમિતિ સ્થપાઇ હતી તેના કેટલાક હેતુએ સિદ્ધ થયા નથી. સાધુઓની અને સાધ્વીઓાની પાસે પૈસા હોતા નથી છતાં આવા કારણેાથી તેએ શ્રાવકા મારફત પૈસા રખાવવાની શિથિલતા સેવે એ મનવા દ્વેગ માટે સમિતિના આગેવાનોએ સર્વ સાધુએને અને સાધ્વીઓને ભેટ તરીકે આગમા મળે એવી સત્સ્વર વ્યવસ્થા કરવી જોઇએ.
હસ,
Page #29
--------------------------------------------------------------------------
________________
બાળક “,”
પાઉ-વીર
વાવ-“વવું.”
તમે કંકુની પાની, વીર ! તમ મીઠડી બાની, વીર ! પગલાં કંકુના માં, વીર! બેલ મીઠા પાડજે વિર:
કવિ ન્હાનાલાલ.
રાકેશવ હ. શેઠ.
કોણ બ લ મુને પૂરાં સાત વર્ષ પણ કહેતાં થયાં. છતાં જ તેના કાકા
| કને સાંજની વેળાએ તે ફરવા જાય. કાકાની આંગળી પકડી,
બબુ તેની નાની નાની પગલીઓ પાડતે, ને રસ્તામાં ચાલતાં જે જૂએ તે વિષે “આ-શું, અને શું કરવાનું ”
એવી શંકાએ કતે હૈંડ માગ લગણ પગે ચાલતે પહોંચી જાય. બાગમાં વેરાયલાં કુલ-પાન સાથે રમવાનું, બાગમાં ઊભાં કરેલાં મેટાપ્રખ્યાત પુરૂષનાં પુતળાને બારિક નજરે નિરખવાનું, તેના વિષેની પૂછપરછ કરવાનું, કઈ ગાતું હોય તે ગીત સાંભળવાનું, નવાં નવાં ચિત્રે જેવાનું, વપ્નની, દેવેની, પરીઓની, લેકી, ઈતિહાસમાંની એવી એવી વાતો સાંભળવાનું બાબુને ઘણું ગમતું.
બબુની આ પ્રકારની બાલક્રિડા કાકાને વહાલી લાગતી. બબુનાં લાડ, તેના કાકાને મન અમુલખ કેડ ઉપજાવતા, બબુની કાલીઘેલી પણ મીઠી ભાષા, બબુની અધૂરી પણ મધૂરી શંકાઓ, બબુની વહાલસેઈ અંગચેષ્ટા, નાજુક પણ નિર્મળ ને પ્રતિપળે ચળકતી બબુની નિશ્વ આખે, ને સ્મીત કરી રહેલું તેનું પ્રફુલ વદન, હસતી વખતે, ખીલતા કમળના દાંડા સરખા
કોમળ હાથની બેઉ હથેળીઓ વડે પડતી રસવાળી અને ગુલાબી ગાલ પર પડતું ખંજન, વહેતી વાયુ લડરીથી છેક કમર સુધી પહોંચેલા પણ અખંડ છટા (વેરાયલા નહિ) રહેતા શિરવાલનું સંદર્ય આ બધું તેના કાકાને મન, ચિન્તાવિદારક-દુઃખ ભૂલવનાર, શાંતિ અને પરમ આનન્દદાયક લાગતું. જાણે બબુ પિતજ એ આનન્દને અવતાર ન હોય !
બબ બાગમાં જય ને તેની મરજી હોય તે કાકા કેઈ વાત માંડે. બબુ વાત સાંભળવાને બડે રસિયું હતું. એટલે બધે કે વાત પૂરી થતાં સૂધી તે ભૂખ, તરસ, ઉંઘ બધું ભૂલી જ !
Page #30
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા
“ ત્યારે આજ કશું નિહુ બેલે-કાકાજી ? ”
આંકડા ઉપર બેઠા હતા ત્યાંથી, કાકા તરફ લગીર આઘા કાકાનુ ધ્યાન શૈતાની ભણી ખેંચવા તેમના હાથને પોતાના આતુર નયને અણુ ગાઃ અને એ ગભરૂ ખાલ સામે એટલે પાછુ ભુજીએ ફરી પૂછ્યું:”
કાકા
< <
આજ કાઈ વાત નહિ માં ? મેલેને. ”
લગીર ઉંચા થઈ કાકાના મ્હોં ઉપર અને ગાલ પર હાથ ચાળવતા અશ્રુ વધારે ઇંતેજાર થયા. અણુને કંટાળારૂપ નિવડવાનું કાકાને ગયુ. ના. અને તેમણે મનુને બેલ ઉપાડી લીધા-કાકાએ વાત કહેવા માંડી:-~
“ સર્વદમન કરીને એક તારા જેવો પાલક હતો. તે બહુ બહુાદૂ હતા, ચાલાક હતા, કાર્યથી ગાંજ્યા જાય એ ભાળે કે ફાઈથી અંજાઈ જાય એવા ડરપેક હાતે, ”
ܘܐ
ખસીને અને હાથમાં લેતાં, બેઈજ રહ્યા.
વાત સાંભળવા સારૂ અખ઼ુ કૈટલે આતુર અને એકચિત્ત થયે હતા તે નેતાં જોતાં- કાકાએ વાત આગળ ચલાવી;
“ પછી એકવેળા શાકુન્તલે—” શાકુન્તલ કોણ ? ”
મ્હાં આગળ આવી ગયેલા માથાના સુનેરી વાળને લઈને તેના નાનકડા હાથની નાજીક અગૃલિયાવડે કોરે ખસેડતા, ડાહ્યા-ડમા થઈ બેઠેલા મનુએ ફરી પૂછ્યુંઃ-~
“ એ શાકુન્તલ કાણુ ?' “ સર્વદમનની મા.
""
કાકાએ એટલાજ ઉત્સાહથી ઉત્તર આપ્યોઃ અને તેમણે વાત આગળ ચલાવીડ “ એક દહાડે એ સર્વદમનની ખાએ”
ઃ
સર્વદમનની આ ? સર્વમતની આ તે શાન્તા; અને પા સર્વ*મન કાણુ ?”
કાકા ભણી લગીર વધારે આગળ આવીને, જાણે જવાખની વાટ જોઇ રહ્યા હોય તેવા ભાવે ઉંચુ' હાં ધરી રાખી અણુએ કાકાને પાછે પ્રશ્ન પૂછ્યો અને કાકાએ કહ્યું:
(C
મેં કહ્યું”તું ને, કે સર્વદમન એક તારા જેવડા ખાલક હતા.
66
મારા જેવા પાલક હતા ?
66
હા; સર્વદમન નામના શાકુન્તલના કુમાર તારા જેવડૅ એક બાલક હતા. ને તે બહાદૂર હતા, ”
દ
""
હતા ? બહાદુર
Page #31
--------------------------------------------------------------------------
________________
બાલક- “અનુ.” “ હા ને બહુ ચાલાક હતે. ” “ચાલાક હત-કોણ-સર્વદમન ચાલાક હતું? ”
હાસ્તે. ને તે હમેશાં સાચું જ બોલતે. ” “સાચું બોલતે. ” “કેદથી ગાંજ જાય એ ભોળ
હું--હાં, સાંભર્યું, કેઈથી ગાજે જાય એવે તે ભેળો નહતો કે કેઈથી અંજાઈ જાય એ ડરપોક નહ; વારૂ વળતી ?”
એવા સર્વદમનને એક દહાડો એની બાએ રમવા વાતે કેટલાંક રમકડાં આપેલાં. ને તેમાં એક સિંહના બચ્ચાનું પણ હતું-શું હતું?”
શું હતું?” એટલું નથી આવડતું? સિંહના બચ્ચાનું—” “રમકડું હતું.” બબુએ એકદમ કહી દીધું.
તે રમક-...” પણ રાક નું નામ ?” બીજ રોકડ ભેગું તે-તેથી...” રમકડાં, પણ આવ્યાં કયાંથી?”
બાલકે કને કેવી અને શી રીતે વાત કરવી, તે સારી રીતે કાકા સમજતા હતા. અને તેથી જરા પણ ચિડાયા સિવાય, કે શાંત, ધીર, મીઠા અને ધીમા અવાજમાં લગીર પણ ફેર પાડયા સિવાય, કેવળ માયાળુ અને મમતા ભરી રને લાગણીથી કાકા તેને રમાડતા, રીઝવતા અને કેળવતા. બબુએ પૂછેલા એકના એક પ્રશ્નને ઉત્તર કાકાએ તેને ગળે ઉતરે તેવી ઢબથી આપે –
સર્વદમનને રમવા સારૂં એની બાએ રમકડાં આણેલાં.
કાકાએ હવે જોયું કે બબુ તદ્દન નિશંક થયે હતો. અને તેને આટલી બધી શંકાઓ કરવાનું મૂળ કારણ પિતાની કહેવા-માંડેલી વાતનાં વાકયોની અપૂર્ણતા અથવા અસ્પતાનું જ હતું. નિઃશંક થયેલા બબુનું મન હવે ઘણું પ્રફુલ લાગતું હતું. અને આગળની વાત સાંભળવા, બબુની વીજળી જેવાં તેજથી ચળકી રહેલી આંખે કાકાના મુખમાંથી નીકળનાર શબ્દ ઝીલવા મિટ પણ માંડતી નહતી, બબુએ પૂછયું:
પછી તેનું શું થયું?”
“ પછી, રમતાં રમતાં સિંહના બચ્ચાવાળું રમકડું સર્વદમને ભાગી નાખ્યું અને
“એવું રૂડું રમકડું વારં, શું કામ ભાગી નાખ્યું?”
Page #32
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રી
''
· નહિ; જા, અશ્રુ ! રમતમાં ને રમતમાં અણથી તેના હાવે ભાગી ગયું હતું.”
66
ર
તેના હાથે-પણ શું ? ”
**
વાકુ રમકડુ સ્તઃ રમકડુ ભાગી ગયું. નવી સર્વ દમન વા લાગ્યા. બા કને જઇને ખીમ્બુ' એવું રમકડું મળ્યુ પણ એવું તે નતુ તેથી શાકુન્તલો શાકુન્તલ કાણુ ? કહું અશ્રુ !” અહ; સર્વદમનની આા-વળી. ”
<<
ખુ ખડખડ હસી પડયે અને કાકાએ એ રસબાલનાં સ્નેહ હાસ્યભણી ખેચાતાં વાત આગળ ચલાવી:---
“ તેથી શાકુન્તલે સિંહના બચ્ચા જેવું એક બીજું રમકડું સર્વદમનને આપવા માંડ્યું. પ્ણ સર્વદમન કાંઈ ભેળવાય એવે નહતા. તેથી પેલા ખાટ રમકડાને તેની આના ખળામાં ફેંકતોકને, થ્રુ તો, ભાગી ગયેલા સિંહના ખા જેવા બચ્ચાને શેાધવા મઢીની બહાર નીકળી ચાલ્યો, અને અક્ષુ! સર્વદમન શાથી એકલાજ ચાલ્યા ??
61
વાર્તા કહેતા કે એ ભાકર હત
નાતમાં રંગ ખરે તન્મ્યા; બબુને હવે બહુ હાડ-છેડ કરવી કાકાને ચી નહિ. અને વાત આગળ ચલાવીઃ
)}
“ ચાલતાં ચાલતાં તે પાત્ર થયું પાડી ભૂમિ આગળ પાછી પહોંચ્યો. ને ત્યાં આગળ એક સિંહણનું અન્તુ ગેલ કરતું ફરતું હતું. '
3
“ એ તો કરડી ખાય ! ! ?”
કાકાએ જાયુ કે આ વેળા અશ્રુનાં નયન અને કાન સ્થિર થઈ ગયાં હતાં. ઉગતા સુરજ સરખા તેના કેમળ, તેજસ્વી, શાંત વદન પર શ ંકા કાઇ હતી. કાકાએ શ’કાનુ` નિવારણ કર્યુંઃ—
''
હા; સિંહણુ કરડી ખાય એ ખરૂં, પણ સર્વદમન તે---ઝ “ હું ; એ તો બહાદૂર હો.. વારૂ' પછી ? ”
“ પછી તા એ સિહણના બચ્ચાનેજ પોતાનું રમકડુ' ગણી મગલમાં ઘાલ્યુ. ને એ અથ્થા સાથે સર્વદમન રમવા લાગ્યો. પણ એટલામાં એની ા આવી. ”
*
સર્વદમનની ! ”
CL
ના; સિહણુના ખચ્ચાની ને સર્વદમનના હાથમાં પાતાનુ બચ્ચુ કબજે પડેલું જોઈ સિ ંહણે સર્વદમન સામે લાલ ટાળા કહાડયા, ભારે ગર્જના કરી, અને એ રીતે તેને બહુ ડરાવવા લાગી.
“ તેથી ખચ્ચું લઈને સર્વદમન ત્યાંથી નાશી ગો ? ”
“ એમ હોય કે? ર
*
7)
ત્યારે શું થયું?
Page #33
--------------------------------------------------------------------------
________________
બાલક “બ
”
મેં કહ્યું કે કેઈના તેજમાં અંજાય તે તે ડરપેક ને ?”
“તેથી એ બહાદ્વર સર્વદમન સિંહણના સામે થશે. દર્ભની એક નાનીશીકડી શળી લઈ સિંહણના પહોળા થતા મહેંમાં ઘાંચવાની તૈયારી કરતે સર્વદમન તેની સામે થશે.”
“સર્વદમનની સામે થયે? કોણ?” “અંહ; સર્વદમન તેની સામે થા.”
તુ-તારી ! સર્વદમન તેની બા સામે થયે? ” કેની બા સામે?”
તેની.
“એટલે કેની ?
હં, બચાની માની સામે સર્વદમન થશે.” “હાં. હવે સમજ્યો. વારૂં શાથી સામે થયે !”
“શાથી કે તે ખોટા રમકડાથી ભેળવાય તેવો ભળે નહતે પણ ચકેર હતું. તેથી પિતાના ભાગી ગએલા રમકડા જેવું રમકડું તેને હાથ લાગ્યું ને તે પિતાનું બનાવતાં સિંહણ તેની આડે આવતી હતી. તેથી બહારી પૂર્વક તે, તેની સામે થશે. તે સાચું હતું તેથી બચ્ચાની ચોરી કરીને નાસી ના ગ.”
રાત પડી ગઈ હતી ને ઘર ભણી પાછા ફરવાની વેળા વિતી ગઈ હતી. કાકા તે વિચારથી ચકોર બબુ ચેતી ગો અને પૂછ્યું:
ઘેર જવાનું થયું -- ડાકા !” “હા, કેમકે હવે અન્ધારું થઈ ગયું છે. ને આપણે ઘેર જવું જ જોઈએ.”
અન્યારું થયું તેમાં શું થઈ ગયું ? અન્ધારૂં આપણને કરનાર શું છે? સર્વદમન જેવી આપણને આટલામાંથી સેટી નહિ મળે શું?”
કાકા કશો જવાબ ના આપી શકયા. તેમણે કેવળ મીતજ કર્યું. વિશેષમાં બબુને એક બચી કરી લીધી. છાતી સાથે તેને દબાભે, અને બબ બ –
બહીનું એવું નથી તે. હવે.”
જાણે અહીંજ હમણું સિંહણ આવનાર હેય ને તેની સામે થવાની તૈયારીમાં બબુ પડે હોય તેવા પ્રતાપી ભાવે તેના વદન પર તરવા લાગ્યા. આંગળીમાં આંગળી પરેવી, ન્હાની પગલીઓ પાડતા બબુ કાકા સાથે ઘેર જવા લાગ્યો. જતાં જતાં રસ્તામાં તેના મોંમાંથી નીચેના શબ્દોથી ભરેલે મધુરે અને ઝીણે અવાજ નીકળતે સંભળાતો હતે :
સર્વદમન મારા જે એક બાલક હતું. તે બહાદ્દર હતું. બહુ ચાલાક હતે, ભેળવાઈ જાય એવે છે કે કેઈન તેજમાં અંજાઈ જાય એ ડરપિક તે નહતા. હું એ એ થવાને.”
Page #34
--------------------------------------------------------------------------
________________
બપિ
.
निवेदन
ग्राहकोने भेट.
નિવેદન લખતી વખતે સ્વામી રામતીર્થના એક સૂત્રનું મરણ તાજું થાય છે. “પ્રકાશ જે સાચો જ હશે, તો ઘણા હૃદયે તેના તરફ આકર્ષાશે. ” આ તેમનું સૂત્ર છે. બુદ્ધિપ્રજાને પહેલે અંક પ્રસિદ્ધ થયા પછી ર૯ નામે નવા ગ્રાહક તરીકે રજિસ્ટર પત્રકમાં નોંધાયાં છેઆજના અંક સાથે તે નામે ઉતારવાને અમારો વિચાર હતુંતથાપિ સ્થળાભાવે તેમ નથી કરી શક્યા છતાં અંતઃકરણપૂર્વક તે કદરદાન ગ્રાહકોને અમે ઉપકાર માનીએ છીએ. અને ઇછીએ છીએ કે આ પ્રમાણે પ્રભાના અન્ય ગુજ્ઞ વાચકે પ્રસ્તુત માસિકના ગ્રાહક થઈ અમને “આધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ દ્વારા આ પ્રકારની પ્રવૃત્તિ નિમિત્તે “નિષ્કામ સેવા બજાવવામાં વિશેષ પ્રોત્સાહક થશે.
જણાવતાં અમને સંતોષ થાય છે કે પ્રભાના પ્રથમ અંકથી જ તેની ઘટતી કદર કાવા માંડી છે અને એક કદરદાન, ઉદાર મહાશયે આ માસિકના સઘળા ગ્રાહકોને પોતાના ખર્ચ ભેટ તરીકે, પૂજ્યપાદ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિજીની કસાયેલી કલમે લખાઈ તૈયાર થએલું એક દળદાર અને કિંમતી રતક આપવાની દિલ જી અમને દર્શાવી છે. અમે તે માટે તે મહાશયને ઉપકાર માનીએ છીએ (આ મહાશયનું નામ આવતા અંકમાં નિવેદન થશે.) અને જો કે આ માસિકને નિયમ ભેટ આપવાને નહિ હોય છતાં માસિકની અંકાયેલી વાસ્તવિક કદરને ધ્યાનમાં લઈ એક અપવાદ તરીકે હવે આ બીજો અંકે રવાને થયા પછી થોડા જ દિવસે માં ભેટનું પુસ્તક પ્રત્યેક ગ્રાહકગાણને માસિકના વા. લ. ના. વિ. પી. સાથે ઉમે મે મોકલવાનું શરુ થશે. આશા છે કે તે ભેટનું પુસ્તક નામે “
શિપનિષ” કેઈ પણ શાકગણ પાછું કહાડવાનું ખોટ સાહસ નહિ ખેડતાં જે વિ. પી. થાય તે સ્વી કારી લેવાની કૃપા કરશે.
વિશેષમાં એક મૂખ્ય બાબત પર વાચકેનું અમે ધ્યાન ખેંચીએ છીએ ને તે “શ્રી યશોવિજયજી જૈન ગુરૂકુળ-પાલીતાણા” સંબંધી છે. આ સંસ્થાને અભ્યાસક્રમ અને અન્ય ઉપગી માહિતી જાણતાં જૈન પત્રોમાં પ્રસિદ્ધ થઈ ચૂકી છે એટલે અમે અત્યારે તે એટલું જ જણાવીશું કે તે સંસ્થાને સર્વ પ્રકારે પગભર અને દષ્ટાંત યોગ્ય બનાવવા બધાએ બનતું કરવું જોઈએ.
તંત્રી,
Page #35
--------------------------------------------------------------------------
________________
સમાચાર.
વલસાડ જૈન લાયબ્રેરી તથા પાડશાળાની ૮ મી જયંતીને વાર્ષિક મેળાવડા.
આ મેળાવડો ગઈ તા. ૮ મી ગષ્ટને દિવસે ભારે ધામધૂમ સાથે વલસાડ જેન ઉપાશ્રયમાં થયેા હતે. મે. બદામી સાહેબ પ્રમુખસ્થાને હતા. પ્રારભિક પ્રાર્થના વગેરે થયા પછી વાર્ષિક અહેવાલ વ‘ચાચા હતા. ત્યાર પછી પ્રાસ’ગિક ભાષણે, સવાદો વગેરે થયું હતું. પાઠશાળાની વાર્ષિક પરીક્ષામાં પાસ થએલા વિદ્યાર્થીઓને પ્રમુખ હસ્તે ઈનામે વહેંચાયાં હતાં. ઈનામને અંગે રૂા. ૨૫) ની રકમ શેઠ ગાંડાભાઇ ગુલામચંદ તથા શેઠ નાથાલાલ ખુમચંદ તરફથી આપવામાં આવી હતી. પછી નવી કાર્યવાહિ રચાઈ હતી. તેમાં પ્રેસિડટ તરીકે શેઠ ગાંડાભાઇ ગુલામચંદ અને સેક્રેટરી તરીકે શેઠ ઢાકારલાલ મેાતીચંદ નીમાયા હતા. પાઠશાળાના નિભાવ અર્થે નીચેના ગૃહસ્થાએ નીચે પ્રમાણે રકમે કુંડમાં ભુરી હતીઃ—
શેઠ મગનલાલ નગીનદાસ રૂા. ૩૫૦) ઝવેરી લલ્લુભાઈ ગુલામચંદ રૂા. ૫૧) શેડ દુર્લભભાઇ ભગવાનજી રૂા. ૫૧) શેઠ કેસરીચ'દ ગોવિંદજી રૂા. ૨૫) શેઠ મગનલાલ રાયચંદ રૂા. રર) શેઠ રૂપાજી જીવા રૂા. ૧૧) શેઠ પ્રેમચંદ પાનાચંદ રૂા. ૫) તથા શેઠ જીણાભાઈ પ્રભુભાઈ રૂા. ૨) છેવટ પ્રમુખ તરફથી અસરકારક ઉપસ’હાર હોઈ, યુરોપીય વિગ્રહમાં બ્રિટિશ અને મિત્રરાજ્યાની ફતેહ ઇચ્છી સગીત સાથે સભા વિસર્જન થઈ હતી.
અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડલ તરફથી हालमा छपाइ बहार पडेलां नवां पुस्तको.
વિજાપુર વૃત્તાંત—છપાવનાર-અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ. લેખક:-~~ જૈનાચાર્ય બુદ્ધિસાગરસૂરિ. આ પુસ્તક ઐતિહાસિક દષ્ટિએ અત્યંત ઉપયોગી છે. વિજાપુરના જૈન દેરાસરે વગેરે પ્રાચીન બાબતે જાણવા માટે વાચકોએ ખાસ પુસ્તક વાંચવું જોઇએ.
સાબરમતી ગુણુ શિક્ષણ કાવ્ય—તેના કર્તા શ્રી બુદ્ધિસાગરસૂરિજી છે. સાબરમતી કાવ્યમાં અનેક શિખામણાનાં ઝરણાં વહે છે. એક વાર પુસ્તક હાથમાં લીધું તે તેમાંથી એટલે બધા રસ આવે છે કે પૂર્ણ વાંચ્યા વિના છૂટકે તે નથી. અનેક સાક્ષર-કવિઓએ આ પુસ્તકની મુક્તકઠે પ્રશંસા કરી છે. જ્ઞાતિ, દેશાશિત, સમાજ પ્રગતિ માટે નવી ઢબનું આ એક રસીલુ કાન્ય છે. માણસાના અને વરસેડાના દરબારે આ કાવ્ય માટે ઉચ્ચ અભિપ્રાય જણાળ્યા છે. ગાયકવાડી રાજ્યમાં અને સરકારી સ્કુલોમાં આ પુસ્તક ખાસ ચલાવવા જેવું છે,
Page #36
--------------------------------------------------------------------------
________________
પ્રતિજ્ઞા પાલન–છપાવનાર, અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડલ. કર્તા, શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ. વિવેચનકાર-નેમિચંદ ગટાભાઈ માસ્તર. પ્રતિજ્ઞા લઈને કેવી રીતે પાળવી જોઈએ, પ્રતિજ્ઞા પાલન કરવાથી થતા ફાયદા, પ્રતિજ્ઞાપાલકમાં પ્રગટતી શક્તિઓ વગેરેનું એવી રીતે વર્ણન કરવામાં આવ્યું છે કે જેથી ગમે તે પ્રતિજ્ઞાપાલનમાં બીકણ મનુષ્ય પણ પ્રતિજ્ઞા પાલનમાં શું બની શકે. બોલ્યાવરથામાંથી પ્રતિજ્ઞા પાલવાની શક્તિઓ પ્રગટે એવી રીતે વર્ણન કરવામાં આવ્યું છે. પ્રતિજ્ઞા પાલન કરવા સંબંધી પ્રથમજ આ પુસ્તક તૈયાર થયું છે એમ કહેવામાં કઈ જાતની અતિશક્તિ નથી જેઓ મનુષ્ય થવા ઈચ્છે છે તેઓએ આ પુસ્તક એક વાર ખાસ વાંચવું જોઈએ.
મિત્રમશી (મિત્રધર્મ)-છપાવનાર અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ. કર્તા, શ્રીમદ બુદ્ધિસાગરસૂરિ. વિવેચનકાર, શા. રતિલાલ મગનલાલ શાહ. આ પુસ્તકમાં મિત્રના ગુણોનું સરસ રીતે વિવેચન કરવામાં આવ્યું છે. મિત્ર બનવા માટે અત્યંત ઉપયોગી આ પુસ્તક છે. મિત્રમૈત્રી પુસ્તક વાંચવાથી સત્યમિત્રનું જ્ઞાન થાય છે. કેવા મિત્રો કરવા જોઈએ અને કેવા મિત્રને ત્યાગ કરે જોઈએ તેનું કોક, દુહા, વાર્તા, દષ્ટાંતથી સમર્થન કરવામાં આવ્યું છે. પુરૂ અને સ્ત્રીઓ આ પુસ્તક વાંચીને ઘણે લાભ ઉઠાવી શકે તેમ છે. ગુજરાતી ભાષામાં “મિત્રધર્મ” એ પ્રથમ પુસ્તક છે. દરેક ગૃહસ્થ એકવાર આ પુસ્તક વાંચી જવું એટલે તેની મહત્તાને સ્વયમેવ ખ્યાલ આવી શકશે. સુમિત્રો કયા અને કુમિત્રો, કયા તેનું એવું સરસ વર્ણન કરવામાં આવ્યું છે કે જેથી “મિત્રધર્મ” પુસ્તક જીવનનું સાથી બની શકે તેમ છે. મિત્રની પેઠે મિત્રમૈત્રી પુસ્તક જીવનનું ખાસ સાથી છે એમ ખાસ કહેવામાં આવે છે માટે દરેક મનુષ્ય તેને પાસે રાખવું જોઈએ.
અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ,
ચંપાગલી-મુંબાઇ,
જાહેર ખબર. * શ્રી માંગરોળ (કાઠીઆવાડ)ના પુસ્તક ભંડારમાં આપવા સારૂ નીચે લખેલાં હસ્તલિખિત આગ વેચાતાં જોઈએ છીએ. જેઓએ વેચવાનાં હોય તેઓએ નીર્થક્ષા શિરનામે પત્ર વ્યવહાર કરે અથવા મળવું – ૧ વિપાક સૂત્ર, અંગ ૧૧ મું. ૬ મરણ સમાધિ પયન્ના ૯ મું. ૨ પનવણા સૂર, ઉપાંગ ૪. ૭ બહતુ કલ્પ છેઃ બીજું.
મહા પચ્ચખાણ પન્ના ૪ થું. ૮ જીત ૫છેદ ચડ્યું. ૪ ચંદ્રવિજય પયન્ના સાતમું. ૯ લઘુ નિશિધ છેદ ૫ મું. ૫ દેવેન્દ્ર સ્તવન પ્રકરણ પન્ના આઠમું. ૧૦ વ્યવહાર છેદ ૩ જુ.
મળચંદ હરજી,
એકઝીકયુટર. અંદરજી અભેચંદ. ડાટ ફીયર, નં. ૮૫-બઈ
Page #37
--------------------------------------------------------------------------
________________
તમારે ધર્મ સાચવે છે? ભક્ષાભક્ષથી બચવું છે? તે આ જરૂર વાંચો: લાભ!! ત્રણ પેઢીથી ચાલતું ! જુનું, જાણીતુ, વિશ્વાસપાત્ર!!
જૈન માલકીનું
પ્રતિષ્ઠિત ઓષધાલય!!!
લીમંત સરકાર સયાજીરાવ ગાયકવાડ એમના તરફથી વડોદરા રાજ્યમાં લેવાતી સંસ્કૃત વિદ્યકશાસ્ત્રી
ત્રણે પરીક્ષામાં ઉત્તિર્ણ (પાસ) થઈ પારિતોષિક (ઇનામી મેળવનાર
વૈધ ચંદુલાલ મગનલાલ (પી. વી. બી. આર.)
એમની ખાસ કાળજીભરી જાતિ દેખરેખ નીચે ચાલતી ધી રાજનગર આયુર્વેદિક ફાર્મસી માં ભક્ષાભક્ષના વિચારપૂર્વક બનતાં શાસ્ત્રસિદ્ધ એવધે.
જીવન! સ્ત્રી, પુરૂષ તથા બાળકોની પાચનશક્તિ સુધારી લેહી વધારી શરીરમાંના દરેક અવ. યો મજબુત અને પુષ્ટ કરી, આરોગ્ય, આયુષ્ય અને આનંદ આપે છે.
કી. રતલીઆ ડબા ૧ ના રૂ. ૧-૧૨-૦.
અંગનામત !! આ દવા સ્ત્રીઓનાં તમામ ગુણદર્દો મટાડી લોહી વધારી સંપૂર્ણ તંદુરસ્તી બક્ષે છે. આ દવા ખાસ સ્ત્રીઓ માટે અમૃત સમાન પીણું છે, અને પીવામાં લહજજતદાર છે.
કી. શીશી ૧ ના રૂ. ૧-૮-૧, રસનામત !!! હમારા બાળકને ખાંડનાં કફકારક, રંગબેરંગી શરબતનાં નુકશાનકારક મિશ્રણવાળા આલામૃત વિગેરેથી બચાવવા હોય તે આયુર્વેદ શાસ્ત્રના આધારે બાળકોને ફાયદાકારક ઔષઘેથી તૈયાર કરેલું આ અમારૂ રસનામૃત તમારાં બાળકોને નિરોગી, પુષ્ટ, આનંદી અને ગુલાબી ચહેરાવાળું બનાવશે. સ્વાદમાં મધુર હાઈ બચ્ચાંઓ સહેલાઈથી હોંશે હોંશે પીએ છે.
કી. શશી ૧ ના રૂ. ૦-૧૦–૦. આ સિવાય આ ફાર્મસીમાં ભમે, રસાયણે, આશરો, પ્રજાશાહી યાતી, ચૂ, અપલેહ, ગુટિકાઓ, તેલ, મુરબાએ, અતિકાકવાથ વિગેરે છૂટક તેમજ જથાબંધ વેચાય છે. પિ. પિકીગ મંગાવનારને શિર છે. લાખો યા રૂબરૂ મળે. રાજામહેતાની પોળ સામે ) ધી રાજનગર આયુર્વેદિક ફાર્મસીના માલીક અમદાવાદ | વૈદ્ય ચંદુલાલ મગનલાલ.
પી, વી. બી. આર.
Page #38
--------------------------------------------------------------------------
________________ જૈન પ્રજા માટે એક નિર્ભય ને ભરૂસાપાત્ર ઠેકાણું ને કે જ્યાં અગાડી હતી કે હિ8 અપટુડેટ ફેશનના સોનાના મસીન પૉલીસ દાગીનાઓ ની સેંકડો કેશનોનો મોટો જથ્થો તૈયાર રહે છે ? અને નિર્ભય રીતે તદનજ ચોખ્ખું અને સફાઈબંધ ફેન્સી કામ ઘરાકના સેનાનું કિફાયત મજુરીથી ઘણી જ ઝડપથી વાયદેસર અને બનાવી આપવામાં આવે છે. તૈયાર દાગીનાઓની મજુરી કાપી નાણાં પાછાં આપવાની લેખીત ગેરંટી મળે છે. ગ્લિીશ જવેલરી, રેલ્ડગોલ્ડ જવેલરી, અને ચાંદીની સેંકડો ફેશનેબલ ચીજોને જંગી સ્ટોક તૈયાર રહે છે. ખાસ વિલાયતથી આવેલા બીલીયાન કટના હીરાઓ, માણેક, પાના વિગેરે ઝવેરાતનું કામ ઘરા અને વહેપારીઓનું સગવડ પડતી રીતે કરીએ છીએ. રૉયલ જવેલરી માર્ટ. પ્રિોપ્રાયટર-ઝવેરી મુળચંદ આશારામ વૈરાટી. રીચીડ-અમદાવાદ. અમદાવાદ ધી " અંક જયુબીલી " પ્રિન્ટિંગ પ્રેસમાં પરીખ દેવીદાસ છગનલાલે છાપ્યું.