Book Title: Adhyatmamat Pariksha
Author(s): Yashovijay Maharaj, Bhuvanbhanusuri
Publisher: Babu Amichand Pannalal Jain Derasar Trust
View full book text
________________
૪૫૮
અધ્યાત્મમત પરીક્ષા લે ૧૬૯ कर्मक्षयः, अध्यवसायवैचित्र्यादेव निर्जरावैचित्र्यप्रतिपादनात् , अन्यथा सर्वेषां चारित्रिणां समनिर्जरत्वप्रसङ्गात् । नन्वेमन्यथैव भाववैचित्र्यसम्भावनया जिनकल्पिकादीनां जिनकल्पादौ प्रवृत्तिर्न स्यादित्युक्त किं विस्मृतमिति चेत् ? न विस्मृतं, त्वयैव प्रत्युताऽयुक्तमुक्तम् , शक्त्यनिगृहनेन संयमवीर्योल्लास एव हि चारित्र' परिपूर्यते, जिनकल्पिकार्दानां च स्थविरकल्पापेक्षया विशिष्टमार्गे जिनकल्पे शक्तानां विपरीतशङ्कया तत्र शक्तिनिगृहने चारित्रमेव हीयेत, कुतस्तरां तदतिरेकाधीनभाववैचित्र्यप्राप्तिसम्भावना ? स्त्रीणां तु विशिष्टमार्गे शक्तिरेव नेति स्वोचितचारित्रे शक्तिमनिगृह्य प्रवर्त्तमानानां न नाम शक्तिनिगृहनाधीना चारित्रहानिरस्ति । एव' चोत्तरोत्तर चारित्रवृद्धिरेव तासां सम्भवतीति सम्भवति भाववैचित्र्याधीनो विचित्रकर्मक्षयः । સુવામિત્રેત્યો – ચારિત્રથી ક્ષય થાય નહિ” એવું તમે જે કહ્યું છે, તે અસત્ છે, કારણકે “પુરુષ કરતાં સ્ત્રીઓ પ્રબળકર્મવાળી હોય છે એ વાત જ અસિદ્ધ છે. સ્ત્રીવેદ, પુરુષવેદ કરતાં પ્રબળ હોવા છતાં કર્મોનું પ્રાબલ્ય પુરુષમાં પણ હોઈ શકે છે. વળી સ્ત્રીઓને વેદ નિરંતર પ્રજવલિત જ હોય એવો નિયમ પણ નથી. તેમજ સામાન્યથી સ્ત્રીપણાની સાથે રહેનારા માયા વગેરે દેશે કેઈક સ્ત્રીઓનાં પ્રબળ હોય છે તેમ સામાન્યથી પુરુષપણાની સાથે આવનારા ક્રરત્નાદિ દેશે કેઈક પુરુષમાં પણ પ્રબળ હોય છે, તેથી પુરુષમાં પણ પ્રબળકત્વ સંભવિત જ છે. અથવા “દુર્જન ભલે ખુશ રહે” એવા ન્યાયથી તમારી વાત મુજબ પુરૂષની અપેક્ષાએ સ્ત્રીને ભલે પ્રબળ કર્મવાળી માનીએ, તે પણ તેઓના તેવા પ્રકારના વિચિત્રભાવથી જ એ પ્રબળકર્મોને પણ ક્ષય થઈ જાય છે. કારણ કે અધ્યવસાયની વિચિત્રતાથી જ વિચિત્રકર્મક્ષય હોવો શાસ્ત્રોમાં પ્રતિપાદિત છે. તેમજ એમ ન માનવામાં તે સર્વ ચારિત્રીઓને સમાન જ નિર્જરા હવાની આપત્તિ આવી જાય.
શંકા - “વિશિષ્ટકેટિની ચર્યારૂપ વિશિષ્ટચારિત્ર વિના પણ વિશિષ્ટકર્મક્ષય કરી આપનાર ભાવ જે સંભવિત હોય તે તો જિનકલ્પિકાદિની જિનક૯પાદિમાં પ્રવૃત્તિ જ નહિ થાય” એવું અમે કહી ગયા છીએ એ શું તમે ભૂલી ગયા?
[ શક્તિને ન ગેપવવામાં ચારિત્રની પરિપૂર્ણતા ] સમાધાન –ના, એ અમે ભૂલી ગયા નથી, પણ તમે જ એ અયુક્ત કર્યું છે. કારણ કે શક્તિ ગેપવ્યા વિના સંયમમાં વિલાસ ફેરવવામાં જ ચારિત્રની પરિપૂર્ણતા છે. સ્થવિરક૯૫ની અપેક્ષાએ વિશિષ્ટમાર્ગ રૂ૫ જિનકલ૫ની શક્તિવાળા જિનકલ્પિક જે આવી કઠોર સાધના વિના પણ તેવા પ્રકારના વિશિષ્ટઅધ્યવસાયથી મારે વિપુલ કર્મનિર્જરા સંભવિત જ છે તે આ કઠોર આરાધના શા માટે કરું ?” એવી વિપરીત શંકાથી જિનકલપ ન સ્વીકારે તે એ બાબતમાં પિતાની શક્તિ ગોપવી હોવાથી ચારિત્ર જ હીન થઈ જાય છે, તે પછી ચારિત્રની પ્રબળતાને આધીન વિશિષ્ટભાવોની તેમજ એનાથી વિશિષ્ટ્રકર્મક્ષયની તે સંભાવના જ ક્યાંથી રહે? તેથી એવા કર્મક્ષય માટે