________________
યુગપ્રધાન શ્રીજિનચન્દ્રસૂરિ સાથે લાહેર જવાવાળા પરમગીતા વિદ્વાનની કૃતિ છેએટલે એમાં તે સંદેહને લવલેશ સ્થાન નથી. “અકબર પ્રતિબંધ” અને “યુગપ્રધાન પદ પ્રાપ્તિ : આ ઉભય પ્રકરણે આ ગ્રન્થને આધારેજ મુખ્યત્વે લખાયાં છે, એ શિવાય અનેકાનેક શિલાલેખ, પ્રશસ્તિઓ, પ્રાચીન પટ્ટાવલીઓ, હસ્તલિખિત ગ્રન્થો આદિ પ્રાચીન તેમજ પ્રામાણિક સાધન દ્વારા આ ગ્રન્થનું સંકલન થયું છે. “સહાયક ગ્રન્થસૂચિમાં જે જે ગ્રન્થની સહાયતા લેવાઈ છે તેની નામાવલિ આપી છે, બાકીની નાનાવિધ કૃતિઓનાં નામ કુટનોટમાં આપ્યાં છે.
પ્રસ્તુત ગ્રન્થની ઉપયોગીતા ' સૂરિજી સાથે સંબંધ ધરાવતા લગભગ બધાંજ વિષયો પર પ્રકાશ પાડવાને યથાસાધ્ય પ્રયાસ કર્યો છે. દ્વિતીય પ્રકરણમાં સૂરિજીના પૂર્વવર્તી આચાર્યો, ૧૩મા પ્રકરણમાં શિષ્ય સમુદાય, અને ૧૪મા પ્રકરણમાં આજ્ઞાનુવતીં સાધુસંઘના પરીચયની સાથે સાથે એમણે રચેલ ગ્રન્થની વિસ્તૃત નોંધ પણ આપવામાં આવી છે, કે જેથી ખરતેર ગરછના વિદ્વાનોની ઉલ્લેખનીય સેવાનો ચગ્ય પરીચય પ્રાપ્ત થઈ રહેશે. એજ પ્રમાણે ૧૫ મા પ્રકરણમાં ભક્તશ્રાવકની સ્તુત્ય શાસન સેવાઓ પ્રકાશિત કરવામાં આવેલ છે.
જે કે મન્ઝીશ્વર કર્મચન્દ્રજીની જીવનકથા કેટલાંક ગ્રન્થમાં પ્રકટ થઈ ચૂકેલ છે. પરંતુ શોધખોળ અને તત્સંબંધી સુગ્ય સામગ્રીના અભાવને કારણે ઇતિહાસ દુનિયામાં
એમના અને એમના પુત્ર ભાગ્યચન્દ્ર લક્ષ્મીચંદ્ર વિષે અનેક ભ્રમણાઓ પ્રચલિત થઈ ચૂકી છે અને આ બધાંનું તત્કાલીન
* બડવા જૈન મિત્ર મંડળ-ભાવનગરથી પ્રકાશન પામેલ જેન સ્પેશ્યલ ટ્રેન સ્મરણાંકના પૃષ્ટ ૫૯ પર “કરમચંદ દીવાન દિલ્હીમાં