Book Title: Yogshastra
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 201
________________ ૧૫૨ ચેગશાસ્ર છે તે સમાધિની પ્રતિબંધક છે ' (૩-૩૬); તેથી તેવી બધી ધારણા આદિ ન કરતાં, જેનાથી તારનારું વિવેકજ્ઞાન થાય એવાં ધારણાદિક જ કરવાં: “તારક સર્વવિષય થાવિષયમ્ અત્રમ વ્રુતિ વવેગ જ્ઞાનમ્ ” ।। (૩-૫૩) " ત્રિશિખશ્રાહ્મણાપનિષદ (૧૦૯ ૪૦)માં જણાવ્યા પ્રમાણે નાભિકંદ, નાસાગ્ર અને પાદાંગુષ્ઠ એ ત્રણ સ્થાનેએ મનને પ્રાણે સાથે સવ સંધ્યાએ વખતે ધારણ કરવાથી યાગી સવ` રાગોથી મુક્ત થઈ, થાકની લાગણી અનુભવ્યા વિના દીર્ધાયુષ પ્રાપ્ત કરે છે. ત્યાં વધારામાં જણાવ્યું છે કે, નાભિકદમાં ધારણ કરવાથી કુક્ષિરાગને! નાશ થાય છે અને નાસાગ્રમાં ધારણ કરવાથી દીર્ઘાયુ અને દેહલાધવ પ્રાપ્ત થાય છે. શાંડિયાપનિષમાં (અ૦ ૧, ખ’૦ ૭)માં જણાવ્યા પ્રમાણે નાસાગ્રે વાયુ ધારણ કરવાથી વાયુવિજય પ્રાપ્ત થાય છે. નાભિ મધ્યે ધારણ કરવાથી સર્વ રાગને વિનાશ થાય છે, અને પાદાંગુષ્ઠ ધારણ કરવાથી શરીરની લઘુતા પ્રાપ્ત થાય છે. શિવસંહિતા ( ૫-૪૩ ૪૦)ને મતે કંટ્રૂપમાં વાયુ ધારણ કરવાથી ક્ષુત્પિપાસા-નિવૃત્તિ, ધૂમ નાડીમાં કરવાથી ચિત્તસ્થય, પાલની મધ્યમાં દેખાતા જ્યેાતિ ઉપર કરવાથી પાપક્ષય, પરમપદની પ્રાપ્તિ અને સિદ્ધોનું દર્શન તથા તેમની સાથે સભા, અને નાસાગ્ર ઉપર કરવાથી મનેાનાશ તથા ખેચરત્વ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે સિદ્ધિના પરમ કારણરૂપ ધારણાના અભ્યાસ કરવાથી નિઃસશયપણે પવનની ક્રિયાઓનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. નાભિમાંથી નીકળતા પવનની ક્રિયા 'ચાર' કહેવાય છે; હૃદયમાં જતા પવનની ક્રિયા 'ગતિ' કહેવાય છે; અને બ્રહ્મરધ્રમાં સ્થિત થતા પવનની ક્રિયા ‘સ્થાન’ કહેવાય છે. અભ્યાસયોગથી એ ચાર’, · તિ' અને ‘સ્થાન’નું જ્ઞાન પ્રાપ્ત થવાથી માણુસ મૃત્યુ, આયુષ્ય અને શુભાશુભ ફળને ઉદય, એટલી ખાખતા જાણી શકે છે. [૫/૩૬૮ ] • Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268