Book Title: Yogshastra
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 222
________________ ૧૭. પ્રાણાયાણની વિશેષ વિગત ૧૭૩ તત્પરતાથી વેધ કરવા. એ પ્રમાણે પતંગ, ભમરા વગેરેનાં શરીરમાં તેમ જ મૃગ વગેરે પ્રાણીઓનાં શરીરમાં પણુ અભ્યાસ થઈ જાય, એટલે એકાગ્રતાપૂર્વક, ઇંદ્રિયનિગ્રહી થઈ ને માણસ, અશ્વ, હાથી વગેરેનાં શરીરામાં પશુ પેસવા નીકળવાને અભ્યાસ કરવા; એ પ્રમાણે વધતાં વધતાં પછી પથરા વગેરેમાં પણુ પ્રવેશાદિ કરવાં. આ પ્રમાણે ડાબા નાક વડે મૃત શરીરામાં દાખલ થવું. જીવતા શરીરમાં પેસવાના વિધિ અહીં નથી કહેતા; કારણ કે, તેમાં પાપ રહેલું છે. [૫/૨૬૪-૭૩ ] પરંતુ પછી ટીકામાં તે વિધિ આ પ્રમાણે વણુ વ્યા છે : બ્રહ્મરંધ્રથી બહાર નીકળવું; અને અપાન માગે ખીજાના શરી૨માં દાખલ થવું. પછી નાભિકમળમાં થઈને સુષુમ્હા માગે હૃદુયકમળમાં જવું. ત્યાં પેાતાના વાયુ વડે તેના પ્રાણુના સંચાર અધ કરી દેવા, એટલે તેને જીવ તેના શરીરમાંથી નીકળી જશે. પછી તેના શરીરમાં પોતાના શરીરની પેઠે રહેવું. એ પ્રમાણે બીજાના શરીરમાં અર્ધો દિવસ કે દિવસ ક્રીડા કરીને, એ જ વિધિથી પેાતાના શરીરમાં દાખલ થઈ જવું. ” આચાય એટલું ઉમેરે છે કે, ખીજાના પ્રાણનેા નાશ કર્યા વિના ખીજાના શરીરમાં દાખલ થઈ શકાતું નથી. ** યોગસૂત્ર ૩-૩૭માં પરકાયપ્રવેશની સિદ્ધિનું વર્ષોંન છે. તે સિદ્ધ કરવા માટે એ વસ્તુએ આવશ્યક છે, એમ તેમાં જળુાવ્યું છે : (૧) ચિત્તને એક શરીરમાં જ સ્થિતિ કરી અટકાવી રાખનાર જે કારણુ હાય તેની શિથિલતા, તથા (૨) એ ચિત્તને જવાઆવવાના માર્ગને સાક્ષાત્કાર; એટલે કે પેાતાના શરીરમાંથી જે નાડી દ્વારા ચિત્તનું બહાર ગમન થઈ શકે તે નાડીચક્રને તેમજ અન્યના શરીરમાં જે નાડી દ્વારા ચિત્તને પ્રવેશ થઈ શકે, તે નાડીચક્રનું જ્ઞાન. શિવસંહિતામાં (૫-૮૧) નાભિ આગળના મણિપૂર ચક્રનું ધ્યાન કરવાથી પરકાયપ્રવેશસિદ્ધિ પ્રાપ્ત થાય છે, એમ જણાવ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268