SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭. પ્રાણાયાણની વિશેષ વિગત ૧૭૩ તત્પરતાથી વેધ કરવા. એ પ્રમાણે પતંગ, ભમરા વગેરેનાં શરીરમાં તેમ જ મૃગ વગેરે પ્રાણીઓનાં શરીરમાં પણુ અભ્યાસ થઈ જાય, એટલે એકાગ્રતાપૂર્વક, ઇંદ્રિયનિગ્રહી થઈ ને માણસ, અશ્વ, હાથી વગેરેનાં શરીરામાં પશુ પેસવા નીકળવાને અભ્યાસ કરવા; એ પ્રમાણે વધતાં વધતાં પછી પથરા વગેરેમાં પણુ પ્રવેશાદિ કરવાં. આ પ્રમાણે ડાબા નાક વડે મૃત શરીરામાં દાખલ થવું. જીવતા શરીરમાં પેસવાના વિધિ અહીં નથી કહેતા; કારણ કે, તેમાં પાપ રહેલું છે. [૫/૨૬૪-૭૩ ] પરંતુ પછી ટીકામાં તે વિધિ આ પ્રમાણે વણુ વ્યા છે : બ્રહ્મરંધ્રથી બહાર નીકળવું; અને અપાન માગે ખીજાના શરી૨માં દાખલ થવું. પછી નાભિકમળમાં થઈને સુષુમ્હા માગે હૃદુયકમળમાં જવું. ત્યાં પેાતાના વાયુ વડે તેના પ્રાણુના સંચાર અધ કરી દેવા, એટલે તેને જીવ તેના શરીરમાંથી નીકળી જશે. પછી તેના શરીરમાં પોતાના શરીરની પેઠે રહેવું. એ પ્રમાણે બીજાના શરીરમાં અર્ધો દિવસ કે દિવસ ક્રીડા કરીને, એ જ વિધિથી પેાતાના શરીરમાં દાખલ થઈ જવું. ” આચાય એટલું ઉમેરે છે કે, ખીજાના પ્રાણનેા નાશ કર્યા વિના ખીજાના શરીરમાં દાખલ થઈ શકાતું નથી. ** યોગસૂત્ર ૩-૩૭માં પરકાયપ્રવેશની સિદ્ધિનું વર્ષોંન છે. તે સિદ્ધ કરવા માટે એ વસ્તુએ આવશ્યક છે, એમ તેમાં જળુાવ્યું છે : (૧) ચિત્તને એક શરીરમાં જ સ્થિતિ કરી અટકાવી રાખનાર જે કારણુ હાય તેની શિથિલતા, તથા (૨) એ ચિત્તને જવાઆવવાના માર્ગને સાક્ષાત્કાર; એટલે કે પેાતાના શરીરમાંથી જે નાડી દ્વારા ચિત્તનું બહાર ગમન થઈ શકે તે નાડીચક્રને તેમજ અન્યના શરીરમાં જે નાડી દ્વારા ચિત્તને પ્રવેશ થઈ શકે, તે નાડીચક્રનું જ્ઞાન. શિવસંહિતામાં (૫-૮૧) નાભિ આગળના મણિપૂર ચક્રનું ધ્યાન કરવાથી પરકાયપ્રવેશસિદ્ધિ પ્રાપ્ત થાય છે, એમ જણાવ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004996
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1938
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy