Book Title: Yogsaar
Author(s): Dhirajlal D Mehta
Publisher: Dhirajlal D Mehta

View full book text
Previous | Next

Page 278
________________ ૨૭૮ પંચમ પ્રસ્તાવ યોગસાર પ્રાથમિક અભ્યાસી જીવોનું મન આકુળ-વ્યાકુળ વધારે થાય છે. ઇષ્ટ વસ્તુઓ પ્રત્યેનો રાગ અને અનિષ્ટ વસ્તુઓ પ્રત્યેનો દ્વેષ ઉત્પન્ન થવાથી આ મન તેના જ સંકલ્પ અને વિકલ્પોમાં વ્યગ્ર બની જાય છે. અનાદિકાળના આ સંસ્કાર હોવાથી કૂતરાની પૂંછડી જેમ વાંકી જ રહે છે, તેમ આ મન મોહમય સંસ્કારોના વિચારોમાં ડૂબી જાય છે. તેને આ જીવ બુદ્ધિપૂર્વકના પ્રયત્નથી ત્યાંથી ખસેડીને શુભધ્યાનમાં અને ઉત્તમ આલંબનોમાં આ મનને અતિશય સ્થિર કરે છે (સ્થિર કરવા પ્રયત્ન કરે છે). જેથી અશુભ ભાવોમાં આ મન ન જાય. વીતરાગ પરમાત્મા અને વૈરાગી ગુરુજી ઇત્યાદિ શુભ આલંબનોનું સતત સ્મરણ-મનન કરીને તેમના જ ઉપકારોનું ચિંતન-મનન કરીને તેમના જ નામોનું અને ગુણોનું સ્મરણ કરવામાં મનને આ જીવ જોડી, દે છે તથા પ્રભુજીની પ્રતિમાનાં દર્શન કરીને તેમના ગુણોનું સ્મરણ અને ઉપકારોનું સ્મરણ કરીને મનને તેમાં બરાબર ગોઠવીને મનની ચંચળતા દૂર કરે છે. તથા જેમ જેમ આ અભ્યાસ પડતો જાય છે, તેમ તેમ જીવ-અજીવ આદિ નવતત્ત્વો-કર્મગ્રંથો ઇત્યાદિ શાસ્ત્રોના અભ્યાસમાં આ જીવ મનને જોડે છે. એટલે તેનાથી મન વિષય-કષાયોની વાસનામાં જતું રોકાય છે. આ રીતે મનને જીતવાનો આ જીવ ઉપાયપૂર્વક પ્રયત્ન કરે છે. //// अशुभं वा शुभं वापि, स्वस्वकर्मफलोदयम् । भुञ्जानानां, हि जीवानां, हर्ता कर्ता न कश्चन ॥३॥ ગાથાર્થ – સર્વે પણ જીવો પોતપોતાના કરેલા શુભ અથવા અશુભ કર્મોના ફળને ભોગવનારા છે. ફળને ભોગવતા એવા તે જીવોને કર્મના ફળથી બચાવનાર કે તેવા કર્મોનો કરનાર અન્ય બીજો કોઈ જ નથી. ફl

Loading...

Page Navigation
1 ... 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350