Book Title: Yogsaar
Author(s): Dhirajlal D Mehta
Publisher: Dhirajlal D Mehta

View full book text
Previous | Next

Page 305
________________ ૩૦૫ યોગસાર પંચમ પ્રસ્તાવ દોષો હિંસા-જૂઠ-અબ્રહ્મ આદિ દોષોને અને ક્રોધાદિ કષાયોને લાવે લાવે ને લાવે જ છે. એટલે જ્યાં સુધી આ જીવનમાં માયા-કપટભાવ છે, ત્યાં સુધી આ જીવ વાસ્તવિકપણે ધર્મ પામી શકતો નથી. કદાચ જીવનમાં બાહ્ય ક્રિયા વ્યવહાર આવી જાય, પરંતુ કર્મોની નિર્જરા કરે એવા આત્મધર્મની વાસ્તવિકપણે પ્રાપ્તિ થાય એવું બનતું નથી. એટલે માયા એ અધર્મનું મૂલ છે. માયાની જેટલી વૃદ્ધિ એટલી અધર્મભાવની વૃદ્ધિ જાણવી અને ધર્મભાવની હાનિ જાણવી તથા ધર્મભાવનું કારણ સરળતા-કોમળતા જાણવી. જેટલી સરળતાની વૃદ્ધિ તેટલી ધર્મની વૃદ્ધિ સમજવી. આ જીવનમાં જેટલા અંશે સરળતાની વૃદ્ધિ થાય, તેટલા અંશે ધર્મની વૃદ્ધિ જાણવી. સરળતા ગુણ આવે ત્યારથી જ ધર્મનો પ્રારંભ થાય છે. જ્યાં સુધી આ જીવમાં સરળતા-નિષ્કપટભાવ પેદા થતો નથી, અને વક્રતા વર્તે છે ત્યાં સુધી ધર્મની પ્રાપ્તિ થતી નથી. એટલે સરળતા એ ધર્મપ્રાપ્તિનું પ્રથમ સોપાન છે. સારાંશ કે આત્મતત્ત્વના સાધક પ્રત્યેક આત્માએ પોતાના જીવનમાં વક્રતાનો-માયાનો ત્યાગ કરીને સરળતા-ઋજુતા લાવવી જ જોઈએ અને તે દોષ તજવા તથા તે ગુણ લાવવા દરેક સાધકે પ્રથમ પ્રયાસ કરવો જોઈએ. વક્રતાથી કદાચ સંસારી કોઈ અર્થલાભ-કામસુખનો લાભ થઈ જાય છે, પરંતુ આત્મધન ખોવાઈ જાય છે. આત્માના ગુણોનો વિકાસ થતો નથી. લોકવ્યવહારમાં પણ અને લોકોત્તર માર્ગમાં પણ સરળ સ્વભાવી-સજ્જન માણસ પૂજાય છે. આદરણીય બને છે. સર્વ લોકોને વિશ્વાસનું સ્થાન બને છે અને પોતે પણ સરળ સ્વભાવી હોવાથી કોઈપણ જાતનું જૂઠ કે માયાનું પાપ કર્યું ન હોવાથી નિર્ભય રહ્યો છતો ચિંતા આદિ દોષોથી મુક્ત બનીને ઉજવળ જીવન જીવી શકે છે.

Loading...

Page Navigation
1 ... 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350