Book Title: Yogsaar
Author(s): Dhirajlal D Mehta
Publisher: Dhirajlal D Mehta

View full book text
Previous | Next

Page 299
________________ યોગસાર પંચમ પ્રસ્તાવ ૨૯૯ કરે છે. અને વસ્તુ પ્રાપ્ત થાય તો રાગ વધે છે. તેથી આ લોભ એ જ ઘણા અનર્થોનું કારણ છે. આ કારણથી જુદી જુદી ઉપમાઓ આપીને ગ્રંથકારશ્રી લોભની અનર્થકતા-હાનિકારકતા આ જીવને સમજાવે છે. (૧) લોભ એ સંસારમાં ભટકવાનો ધોરીમાર્ગ છે. લોભમાં અંજાયેલો જીવ ઘણા ભિન્ન ભિન્ન રીતે પાપો કરીને સંસાર પરિભ્રમણ વધારે છે. એટલે લોભ એ સંસારનું મૂળ કારણ છે. લોભના કારણે જ આ જીવ સંસારમાં ઘણુ ભટકે છે. લોભ એ સંસારનું મુખ્ય પ્રવેશદ્વાર છે. (૨) લોભ એ મુક્તિ મેળવવામાં આડા આવનારા પર્વત તુલ્ય છે. એટલે કે એક ગામથી બીજે ગામ જવામાં જેમ પર્વત અવરોધક હોય છે, તેમ સંસારમાંથી મુક્તિ પ્રાપ્ત કરવામાં અવરોધ કરનારા પર્વત તુલ્ય આ લોભ છે. (૩) સંસારી જીવોની વચ્ચે કડવાશ-વેરઝેર-મન દુઃખ ઇત્યાદિ અનેક પ્રકારનાં દુ:ખોને ઉત્પન્ન કરવામાં લોભ એ ખાણ સમાન છે. જેમ ખાણમાંથી માટી નીકળ્યા જ કરે તેમ લોભમાંથી અનેક પ્રકારનાં માનસિક-શારીરિક દુઃખો તથા પરસ્પર લડવાડનાં દુઃખો ઉત્પન્ન થયા જ કરે. લોભી મનુષ્ય લોભના કારણે પોતાનો સ્વાર્થ સાધવા ઘોર હિંસાજૂઠ આદિનાં પાપો કરીને આ ભવ અને પરભવમાં દુ:ખોની ખાણ જ ઉભી કરે છે. જેમ મમ્મણ શેઠ અને બ્રહ્મદત્ત ચક્રવર્તી લોભના કારણે નરકગામી થયા, તેમ લોભી મનુષ્ય દુઃખોની ખાણભૂત નરકાદિભાવો જ પામે છે. (૪) લોભ એ અનેક પ્રકારના સંકટોનું-મુશ્કેલીઓનું ઘર છે, આમ જાણવું. કારણ કે લોભી મનુષ્ય ધનાદિની વધારે પ્રાપ્તિ માટે સમુદ્ર પાર જવાનું તથા રાત ઉજાગરા કરવાનું તથા ઠંડી-ગરમી આદિ શારીરિક

Loading...

Page Navigation
1 ... 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350