Book Title: Yashovijayji Jivan Guj Sahitya
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૭ ] તમને મારા હૃદય રૂ૫ ઘરમાં રાખશ. મારા મનરૂપ વૈકુંઠમાં અકંતિ એવી ભક્તિવડે તમો સ્થિર થઈને રહેશે, એમ શ્રીમદ્દ નીચેના સ્તવનમાં જણાવે છે. સાવ वासुपूज्य स्तवन. સ્વામી તમે કાંઈ કામણ કીધું, ચિત્તડું અમારું ચોરી લીધું; અમે પણ તુમ શું કામણુ કરશું, ભક્તિ ગ્રહી મન ઘરમાં ધરશું; સાહેબા વાસુપૂજ્ય જીણુંદા, મેહના વાસુપૂજ્ય છછુંદા. સ. ૧ મન ઘરમાં ધરી આ ઘર શોભા, દેખત નિત્ય રહેશે થિર ભા; મન વૈકુંઠ અકુંઠિત ભક્ત, યોગી ભાંખે અનુભવ યુક્ત. સા. ૨ લેશે વાસિત મન સંસાર, કલેશ રહિત મન તે ભવપાર; જે વિશુદ્ધ મન ઘર તમે આવ્યા, પ્રભુ તે અમેંનવનિધિ વૃદ્ધિ પાવ્યા. સા. ૩ સાતરાજ અલગ જઈ બેઠા, પણ ભક્ત અમ મનમાંહિ પઠા; અલગાને વલગ્યા જે રહેવું, તે ભાણ ખડખડ દુઃખ સહેવું. સા. ૪ ધ્યાયક ધ્યેય ધ્યાન ગુણ એકે, ભેદ છેદ કરશું હવે ટેકે; ખીર નીર પરે તુમશું મલશું, વાચક જણ કહે છે જે હલશું. સા. ૫ ઉપાધ્યાયજી કયે છે કે લેશવડે વાસિત થએલું મન તેજ સંસાર છે. રાગ અને દ્રેષાદિ કે દેષથી મન જ્યારે મુક્ત થાય છે ત્યારે આત્મા, ભવન પાર પામે છે. મનમાં ક્રોધ, ઇર્ષ્યા, નિન્દા, હિંસાવૃત્તિ, લોભ, કપટ, અહંકાર અને નિન્દા આદિ દોષો હોય છે ત્યાં સુધી બાહ્યના ગમે તેવા કિયા વિગેરાના આડંબરથી મોક્ષની પ્રાપ્તિ થઈ શકતી નથી. મનમાં ઉત્પન્ન થતી વિષય વાસનાઓને હઠાવ્યા વિના પ્રભુની ભક્તિ કરી શકાતી નથી. પ્રભુની આજ્ઞા છે કે મારા પર પ્રેમ તમે ધારણ કરતા હોય તે મનમાં ઉત્પન્ન થનાર રાગાદિક દોષોને જડ મૂળમાંથી દૂર કરો એજ ખરી ભક્તિ છે. આવી ખરી ભક્તિ વિના સ્વાર્થસાધક ઢોંગી ભક્તની ઢેગી ભક્તિ તે સંસાર વધારનારી છે એમ અવબોધવું. મનની શુદ્ધિ કર્યા વિના પ્રભુને હૃદયમાં ધ્યેય રૂપે ધારી શકાતા નથી. સર્વ કામનાઓને ત્યાગ કરીને જેઓ પોતાના હૃદયને શુદ્ધ બનાવે છે અને અધિકાર પરત્વે ક્રિયામાર્ગમાં પ્રવૃત્ત થાય છે તે પ્રભુને વિશુદ્ધ મનમાં લાવવાને સમર્થ થાય છે એમ શ્રીમદ્ ઉપાધ્યાયે અત્ર ગૂઢ રહસ્ય દર્શાવ્યું છે. વિશુદ્ધ મનમાં પ્રભુ આવવાથી આત્મામાં નવનિધિની ઋદ્ધિ ઉત્પન્ન થાય છે. ક્ષાયિકભાવની જ્ઞાનાદિક નવ લબ્ધિને નવનિધિની ઋદ્ધિ જૈન પરિભાષાવડે કહેવામાં આવે છે. શ્રીમદ્ કથે છે કે હે પ્રેજો! તમે સાત રાજ ઉંચા જઈને બેઠા છો તો પણ તમે ભક્તિના યોગે ભક્તના મનમાં પિઠા છો એમાં કંઈ આશ્ચર્ય નથી.” ધ્યાતા, ધ્યેય અને ધ્યાનનું ઐકય થતાં હે પ્રભો ! અમે આત્માથી કર્મને ભિન્ન કરીને અર્થાત તે ભિન્ન છે એવો ઉપયોગ લાવીને કર્મને છેદ કશું, અને સકલ કર્મને ક્ષય કરીને હે પ્રભે ક્ષીરમાં નીર જેમ મળી જાય છે તેમ અમો પણ સિદ્ધ સ્થાનમાં તમારી સાથે મળી જઈશું. આત્માને પરમાત્મ સ્વરૂપ કરીને તમો જે સિદ્ધસ્થાનમાં છો ત્યાં આવીને હું પણ તમને મળીશ. એમ ઉપાધ્યાયજી પ્રેમ લક્ષણ ભક્તિના ઉભરાથી પ્રભુની સાથે જાણે વાતોજ ના કરતા હોય એવી રીતે કથે છે. ભક્તિ રસમય સ્તવનાથી ઉપાધ્યાયના હૃદયપટમાં ભક્તિદ્વારા પ્રભુનું ચિત્ર કેવું ચિરાયું હતું તેનું જ્ઞાન વાચકેને થયા વિના રહેતું નથી. જૈન શૈલી પ્રમાણે અને પિતાના હૃદયલ્લાસથી ભક્ત કવિએ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48