Book Title: Yashovijayji Jivan Guj Sahitya
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 45
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અને વિયોગ સંયોગનેરે, ભગ કુપિત અહિભોગ; મરણ જન્મ આગે સહીરે, પરિણામે એ દુઃખ લેગરે. બળે ઈન્દ્રિય તાપે લોગરે, સંસ્કારે પણ દુઃખ શગરે; સ્કંધ તરભાર ઉપભેગરે, પડે આતે સઘળા લોકરે – બળે બહુ અનીરવિષ વિષયમાં, એક ખાય દુઃખકાર; એકદ પાહિ દુઃખ દીએ, પંડિત કરે વિચાર. બહુ અન્તર વિષ વિષયમાં, વરણ અધિક અધિકાર્ત; એક મરણ દીએ વિષ તે, વિષય મરણ બહુ જાત. ચક્રવતિ ભેજનતણી, ઈચ્છા કર્યો શું હાય; ઘર સંપત્તિ સરખે સુખે, વત્યે દુઃખ ન કેય. કેડીએ કિમ ક્રોડીની, મણિની પહાણે કેમ; ઇચ્છા પુગે ભવસુખે, શિવની મુજ નવિ નેમ. સોજાનું જેમ જાડાપણું, વયનું મંડન જેમ; ભવ ઉન્માદ વિષય વિષમ, ભાસે મુજ મન તેમ. ઈયાદિ ગુર્જર ભાષામાં વૈરાગ્યને તેમણે સારો ઉપદેશ દીધું છે. સંસ્કૃત ગ્રન્થોમાં તે તેમણે વૈરાગ્યનું ઉત્તમ વર્ણન કર્યું છે. અત્ર ગુર્જર ભાષાના સાહિત્યકારા તેમણે વૈરાગ્યનો જે ઉપદેશ આપે છે તેની પર્યાલચના કરવામાં આવી છે. સંસારના પદાર્થોમાં જેઓ અત્યંત મમત્વ ધારણ કરીને મોજમઝામાં પડી રહે છે તેઓ મન, વાણી, કાયા અને ધનનો ભોગ આપીને પિતાની તથા જગતની ઉન્નતિ કરવાને શક્તિમાન થતા નથી. જે રાજાઓ તથા સામાન્ય મનુષ્યો બાહ્ય પદાર્થોમાં અહં મમત્વ ધારણ કરીને સંસારમાં વિષયભેગ ભે. ગવવામાં અમૂલ્ય જીવનને વ્યય કરે છે તેઓ જગતના દુ:ખમાં ભાગ લેવાને પ્રાયઃ પોતાની વસ્તુઓને ત્યાગ કરી શકતા નથી. વૈરાગ્યથી બાહ્ય પદાર્થોમાં બંધાએલું મમત્વ ઉઠવાથી મ નુષ્ય ખરેખર પિતાને પ્રાપ્ત થયેલી વસ્તુઓને અન્યમનુષ્યો વગેરેના ભલાઝ્માટે વાપરે છે. દુનિયાના મનુષ્યનું ભલું કરવા વૈરાગ્યથી જેણે કાયા ઉપરનું મમત્વ ઉતાર્યું છે એવા ભકતો, દાનવીરો અને શ્રી કાયાનો પણ ત્યાગ કરવાને માટે અચકાતા નથી. વિરાગ્યથી વિષયેચ્છાઓ ઉપર કાબુ મુકી શકાય છે અને અનીતિના માર્ગમાંથી ચિત્તને પાછું હઠાવી શકાય છે. દુનિયામાં અલિપ્ત રહીને સ્વફરેજોને અદા કરવામાં વૈરાગ્યની ઘણી જરૂર છે. વૈરાગ્ય વિના . સાધુઓ બ્રહ્મચર્ય પાળવાને માટે શક્તિમાન થતા નથી. વિષયાસક્તિનો ત્યાગ કરનારા ખરેખર વૈરાગી મનુષ્યો ગણી શકાય છે. શ્રીમદને ઉત્તમ જ્ઞાન ગર્ભિત વૈરાગ્યની દશા પ્રમ-થઈ હતી એમ તેમના રચેલા ગ્રન્થથી અનુમાન કરી શકાય છે. ઉપાધ્યાયજી એ સમાધિતંત્ર નામને દિગમ્બરી ગ્રંથ હતો તેમાં અધ્યાત્મજ્ઞાનનું સરસ વિવેચન કર્યું હતું. ઉપાધ્યાયજીએ તે ગ્રન્થનું હિન્દુસ્થાની ભાષામાં શ્રીમની વિશાળ દેધક છંદમાં ભાષાન્તર કર્યું. દિગમ્બર ગ્રન્થનું વેતામ્બર મુનિ ભાદૃષ્ટિ અને ગુણાનુરાગ પાન્તર કરીને પિતાના અનુયાયીઓને લાભ આપનાર અને તેને દા ખલો બેસાડનાર આ પ્રથમ મુનિને સર્વ માન ઘટે છે. જૈન શ્વેતા' અર આગમેથી જે અવિરૂદ્ધ હોય અને તેમાં બન્નેના વિચારનું સામ્ય હોય એવા ગ્રન્થનું. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48