________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 44 શુદ્ધ ગુજર ભાષાના ગ્રન્થ શ્રીમદે પોતાની પાછળની જીંદગીમાં બનાવ્યા હોય એમ લાગે છે. શ્રીમદ્દ યશેવિજયજીએ રચેલ શ્રીપાલરાસ અને જંબુસ્વામીના રાસમાં શ્રી વિજયદેવ સૂરિ પટ્ટધર તરીકે શ્રી વિજયપ્રભસૂરિને લખ્યા છે. શ્રી વિજયદેવ સૂરિની પાટ પર શ્રી વિજય સિંહ સૂરિ થયા છે અને તેમની એટલે વિજય દેવસૂરિની પાટ પર શ્રી વિજયપ્રભસૂરિ થયા છે. બને રાસમાં વિજયદેવ સૂરિની પાટ પર વિજયપ્રભસૂરિ લખ્યા છે. સંવત ૧૭૩૮માં રાજોરમાં શ્રી વિનયવિજયજીએ સ્વર્ગ ગમન કર્યું છે. ૧૭૩૮ની સાલથી વિજ્યદેવ સૂરિની પાટપર શ્રી વિજયસિંહ સૂરિનું નામ ન લખવામાં આવ્યું તેનું કારણ બરાબર સમજાતું નથી. સુરત સગરામપરાના દેરાસર પાસની એક દેહેરીના લેખમાં પણ શ્રી વિજયસિંહસૂરિનું નામ દેખવામાં આવતું નથી. તત સંબંધી નિર્ણય કરવાને માટે પૂરતાં સાધનો વડે ભવિષ્યમાં કંઈ નિર્ણય પર આવી શકાય. શ્રીમનો ઉપયોગ એટલો બધો તીવ્ર હતું કે આગમોના અનુસાર ગ્રન્થ લખતાં કઈ ઠેકાણે ચૂક્યા નહોતા. તેમણે સ્તવનમાં ઠાણુની સાક્ષી આપી છે તેનો શ્રીમદ્ભા ઉપગ- અર્થ કેટલાક કાણુગસૂત્ર કરીને તેમાં તે સાક્ષી નથી એમ કહીને ની તીવ્રતા અને ઉપાધ્યાયજી એક ઠેકાણે ચૂકી ગયા એમ કહે છે કે તેમને કહેવાનું કે તેમની જેનોમાં પ્ર. ઠાણું નામનું પ્રકરણ છે અને તે લીંબડીના જૈન ભંડારની ટીપમાં મેં માણિકતા તથા પૂ પ્રત્યક્ષ વાંચ્યું છે. શ્રીમદ્દ યશોવિજયજી વિહાર કરીને લીંબડી ગયા જ્યતા, હતા અને ત્યાં ઠાણા પ્રકરણ જોઈને તેમણે તેની સાક્ષી આપી છે; માટે શ્રીમદ્ભા અખંડ ઉપગની પ્રશંસામાં જરા માત્ર પણ ન્યૂનતા * આવતી નથી. શ્રીમના ગ્રન્થની પ્રમાણિકતા એકી અવાજે જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન કોમ સ્વિકારે છે. ખરતરગચ્છના દ્રવ્યાનુયોગના ઉત્તમજ્ઞાની શ્રીમદ્દ દેવચન્દ્રપાધ્યાયે તેમના રચેલા જ્ઞાનસાર ગ્રન્થ ઉપર ટીકા કરીને તેમની પ્રમાણિકતા અને તેમની પૂજ્યતા સ્વિકારી છે. અઢારમા સૈકામ શ્રી જ્ઞાનવિમલસૂરિએ તેમના ગ્રન્થોપર ભાષાના ટબા પૂરીને તેમના, સસ્થાની પ્રમાણિકતા તથા પૂજ્યતા સ્વિકારી છે. ઓગણીસમા સકામાં થએલા પિસ્તાલીશ હજાર ગુજરાતી કાવ્ય ગાથાઓના રચનાર શ્રીમાન પવિજયજીએ તેમના બનાવેલા સાડા ત્રણસો ગાથાના સ્તવન ઉપર ટબ પુરીને તેમની પ્રમાણિકતા તથા પૂજ્યતા સ્વિકારી છે. વીશમા સૈકામાં પન્યાસ ગંભીરવિજયજીએ તેમના બનાવેલા અધ્યામસાર અને જ્ઞાનસાર ઉપર ટીકા રચીને તેમની પૂજ્યતામાં વૃદ્ધિ કરી છે. ખકે પણ તેમના સમાધિશતક અને પરમાટે તિ ઉપર વિવેચન કરીને તેમની સેવા, ભક્તિ અને પૂજાતા સ્વિકારીને યશોગાન કર્યું છે. તેમની પાછળ થનાર વિદ્વાન આચાર્યો, ઉપાધ્યાય, પન્યાસો અને સાધુઓ વગેરે જેનો એ તેમની એકી અવાજે પ્રશંસા કરી છે. તેમનું નામ અમર રાખવાને માટે મહેસાણા અને કાશી વગેરેની સંસ્કૃત પાઠશાળાઓ સાથે બે જોજિલા સંત જ્ઞાદશાહા” વગેરે સ્થાપન કરી તેમના નામદેહને શોભાવ્યો છે. શ્રીમદ્ હતા તે વખતે તેમના વિધિઓ, પ્રતિસ્પર્ધીઓ અને ગુણાનુરાગીઓ એમ ત્રણ પ્રકારના મનુષ્યો હતા. વિધિઓ તે તેમને હલકા પાડવાને પ્રયત્ન કરતા હતા. પ્રતિસ્પર્ધીઓ તેમના ગુણોને ઇર્ષોથી કથી શકતા નહોતા અને જે ગુણાનુરાગી હતા તેઓ તેમના જીવન સમયમાં ગુ આ નવા જીવન સમયમાં શા ખતા હતા. સધા. For Private And Personal Use Only