Book Title: Yashovijayji Jivan Guj Sahitya
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 41
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કર્તા શુદ્ધ સ્વભાવને, નય શુધ્ધ કહિયે. કર્તા પર પરિણામને, બેઉ કિરિયા ગ્રહિયે. આતમ. ૩૬ સવાસે ગાથાનું સ્તવનની ઢાલ. ઈત્યાદિ અનેક વાકથી ઉપાધ્યાયએ અધ્યાત્મજ્ઞાનનો મહિમા ગાયે છે. દ્રવ્યાનુયોગ અને અધ્યાત્મજ્ઞાનની એકતા થાય છે. દ્રવ્યાનુયોગ વિનાને જ્ઞાની તે ખરેખ અધ્યાત્મ જ્ઞાની બની શકતો નથી. દ્રવ્યાનુયોગ જ્ઞાન વિનાને અધ્યાત્મ જ્ઞાની કાઈ સ્યાદ્વાદશૈલી પ્રમાણે બની શકતું નથી. દ્રવ્યાનુયેગના જ્ઞાનથી ખરેખરૂં આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. આત્મજ્ઞાન વિનાની ક્રિયા તે હિસાબમાં ગણાતી નથી. જ્ઞાનની પદવી મહાન છે. અને આત્મજ્ઞાન વિનાની ક્રિયા ખરેખર આત્માના સદગુણોને પ્રકાશ કરવા સમર્થ થતી નથી. શ્રી દ્રવ્યગણ પર્યાયના રાસમાં શ્રીમદ્દ ઉપાધ્યાય જ્ઞાન અને ક્રિયાનું અંતર દેખાવતા છતા નીચે પ્રમાણે કથે છે. દોહા મધ્યમ કિરિયા રત હુએ, બાલક માને લિંગ. ધાડ શકે ભાખ્યું પુરે, ઉત્તમજ્ઞાન સુરંગ. જ્ઞાનરહિત જે શુભક્રિયા, ક્રિયારહિત શુભનાણુ, બેગ દ્રષ્ટિ સમુચ્ચય કહ્યા, અંતર ખજુઆ ભાણ. ખજુઆ સમી ક્રિયા કહી, નાણુભાણ સમય, કલિયુગ એહ પટંતરો; વિરલા બુજે કેય. જ્ઞાનવંતહ કેવલી, દ્રવ્યાદિક અહિનાણ, બહત ક૯૫ના માધ્યમાં, સરિખા ભાષ્યા જાણ. જ્ઞાન પરમગુણ જીવને, નાણુ ભવાર્ણવ પાત, મિયા મતિ તમ ભેદવા, નાણુ મહા ઉઘાત. પ્રકરણરત્નાકર ભાગ ૧ પત્ર. ૪૧૦ એ વેગે જે લાગે રંગ, આધા કર્માદિક નહિ ભંગ, પંચ કલ્પ ભાગે ઈમ ભર્યું, સશુરૂ પાસે ઇયું મેં સુર્યું.” બાહ્ય ક્રિયા છે બાહિર યુગ, અંતર ક્રિયા દ્રવ્ય અનુયોગ, બાહ્યહીન પણ જ્ઞાન વિશાલ, ભલો કહ્યા મુનિ ઉપદેશ માલ. વ્યાદિક ચિન્તાએ સાર, શુકલધ્યાન પણ લહિએ પાર; તે માટે અહિ જ આદર, સદ્દગુરૂ વિણમત ભૂલા ફરે. બાલક લિંગને અર્થાત બાહ્યવેષને ' દેખી ધર્મ માને છે. મધ્યમ મનુષ્ય યિાઓમાં આસકત થાય છે અને ઉત્તમ જ્ઞની ખરેખર જ્ઞાનમાં રંગાય છે. ધર્મજ્ઞાન વિનાની ક્રિયા ખજુઆસમાન પ્રકાશક છે અને ક્રિયા વિનાનું જ્ઞાન સૂર્યની સમાન પ્રકાશક છે. એમ હરિ. ભદ્ર સુરિ ચગદ્રષ્ટિ સમુચ્ચય ગ્રન્થમાં કહે છે. કલિયુગમાં આવું એનું અત્તર વિરલ મનુષ્ય અવધી શકે છે, શ્રતજ્ઞાની અને કેવલ જ્ઞાનીને બ્રહ૭૯૫ ભાષ્યમાં સમાન કહ્યા છે. આત્માને પરમગુણ જ્ઞાન છે. સંસારરૂપ સમુદ્ર તરવાને માટે જ્ઞાન એ મોટી આગબોટ સમાન છે, મિથ્યાત્વ અંધકારને નાશ કરવાને જ્ઞાનરૂપ સૂર્યની આવશ્યકતા સર્વ જ્ઞાનીઓએ સ્વીકારી છે. દ્રવ્યાનુયોગજ્ઞાની પરિપકવ દશા થતાં આત્મરમણતા થાય છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48