Book Title: Vinay
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 2
________________ ૮૨ જિનતત્ત્વ નિર્દભતા, નિરાભિમાનપણું વગેરે ગુણો ઘનિષ્ઠ રીતે સંકળાયેલા છે. એટલે જ સાચો વિનય વશીકરણનું કામ કરે છે. ‘વિનય' શબ્દની વ્યાખ્યા જુદી જુદી રીતે કરવામાં આવે છે, જેમ કે - (3) વિશેન નથતિ વિન: | જે વિશેષતાથી દોરી જાય તે વિનય અથવા જે વિશેષતા તરફ લઈ જાય તે વિનય. (२) विनीयते-अपनीयते कर्म येन स विनयः । જેના દ્વારા કર્મનું વિનયન કરવામાં આવે છે, કર્મોનો ક્ષયોપશમ કરવામાં આવે છે તે વિનય. (૩) પૂજ્યેષુ : વિનય ! પૂજ્ય પ્રત્યે આદર એ વિનય. (૪) અધિવેy ની વૈવૃત્તિ. વિનચ: | ગુધિકો-અધિક ગુણવાળાઓ પ્રત્યે નીચે નમવાનો ભાવ તે વિનય. () રત્નત્રયજ્જુ નીચૈવૃત્તિ વિન: | રત્નત્રય (જ્ઞાન, દર્શન, ચારિત્રો ધારણ કરવાવાળા પ્રત્યે નમવાનો ભાવ તે વિનય. (૬) ઇષય-વિનય વિન: | કષાયો અને ઇન્દ્રિયોનું જે વિનયન કરે તે વિનય. (6) વિશિષ્ટ વિધો વા નો વિનાઃ | વિશિષ્ટ અને વિવિધ પ્રકારના નય (સિદ્ધાન્ત) તે વિનય. (૮) વિયે નર્યાત શર્મમ રૂત્તિ વિના ! જે કર્મમળને વિલય તરફ લઈ જાય છે અર્થાત્ તેનો નાશ કરે છે તે વિનય, (९) विनयति कलेशकारकं अष्टप्रकारं कर्म इति विनय : । આઠ પ્રકારનાં કલેશકારક કમનું જે વિનયન કરે છે એટલે કે તેને નરમ પાડી અંકુશમાં રાખે છે તે વિનય. (१०) अनाशातना बहुमानकरणं च विनयः । આશાતના ન કરવી અને બહુમાન કરવું તે વિનય. જ્યાં નમસ્કારનો ભાવ છે ત્યાં વિનય છે. નમસ્કારનો સાચો ભાવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21