Book Title: Updesh Sagar
Author(s): Mahavir Vidyalay
Publisher: Mahavir Vidyalay

View full book text
Previous | Next

Page 3
________________ પ્રસ્તાવના, આત્માનું કલ્યાણ કરવામાં મનને વશ્ય રાખવાની પ્રથમ જરૂર છે, પરંતુ અનાદિ કાળથી ભટકતું મન ઠેકાણે લાવવા માટે અનેક ચીજની જરૂર પડે છે. જેમ રડતા બાળક પાસે જ્યારે ઘણું વસ્તુઓ મુકીએ છીએ ત્યારે એકાદ મનપસંદ વસ્તુ ઉપાડી લઈ રડતું બંધ થાય છે, તેમ આપણું અશાન્તિથી ભરેલું અને ભટકતું મન ઠેકાણે લાવવા માટે અનેક પુસ્તક મેજુદ છે, પરંતુ તે દરેક પુસ્તકે પુરેપુરા આપણે વાંચી શક્તા નથી, જેથી તેવાં પુસ્તકમાંથી સારા સારા વિષને સંગ્રહ કરી આ શ્રી ઉપદેશ સાગર” નામનું પુસ્તક તૈયાર કર્યું છે, જે આશા છે કે, દરેકને આનંદ સાથે અશાતિને દૂર કરનાર અને ભ્રમણાને ભાગી મિથ્યાત્વને ટાળનાર થઈ પડશે. આ પુસ્તકનું થયેલ ખર્ચ બાદ કરતાં બાકીની વધારાની રકમ તેમજ પુસ્તકે પરોપકારી (ધામિક) કાર્યમાં વાપરવાના છે, જેથી એક પંથ અને દો કાજ ” મુજબ થશે. આશા છે કે, દરેક બધુ તેને સ્વિકાર કરી પોતાની ફરજ બજાવશે. આ પુસ્તકનું રફ લખાણ ફરી લખી આપી, તુરત છપાવી આપવામાં તેમજ તેનાં પ્રફ સુધારવામાં મી, વાડીલાલ કાકુભાઈ સંઘવીએ અમને ઘણું કીંમતી સહાય કરેલ છે. પર્યુષણ પર્વ તા. ૩-૯-૨૧. લી.. પ્રગટકર્તા.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 250