Book Title: Torchno Prakash
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 30
________________ ‘તું તો કમાલ કરે છે’ પત્નીને પતિએ પૂછ્યું, ‘કેમ શું થયું?” ચૂંટણીમાં ઉમેદવારી મેં નોંધાવી છે અને પ્રચાર તું એવી રીતે કરી રહી છે કે જાણે તારે જ જીતી જવાનું ન હોય ?' ‘હજી તો હું વધુ જોરશોરથી પ્રચાર કરવાની છું” પાછો તું અહીં આવી ગયો ?' ન્યાયાધીશે ગુનેગાર તરફ આંખ કરડી કરીને પૂછ્યું. ‘u” તને ખ્યાલ છે ખરો, તું અહીં કેટલામી વાર આવ્યો છે?” ‘૨૨ મી વાર’ મેં તને ગઈ વખતે નહોતું કહ્યું કે વારંવાર કોર્ટમાં આવવું પડે એવાં કામો તારે બંધ કરી દેવા જોઈએ!” ‘સર ! કહ્યું હતું? ‘તોય પાછો તું અહીં આવી ચડ્યો?” ‘સર ! એક પ્રશ્ન આપને પૂછું ?” | ‘કારણ?” ‘તમારો વિજય થવો જ જોઈએ.’ ‘પણ મને વિજેતા બનાવવામાં તને આટલો બધો રસ કેમ છે એ મને સમજાતું નથી.’ ‘તમે ચૂંટાઈ જાઓ તો ઘરમાં કમ સે કમ પાંચ વરસ તો શાંતિ રહે!' પત્નીએ જવાબ આપ્યો. પૂછ હું તો અહીં ૨૨ મી વાર આવ્યો છું પણ આપ તો અહીં છેલ્લાં ૨૨ વરસથી રોજ આવી રહ્યા છો એનું શું?” તમે ગુંડાને શાહુકાર બનાવી શકો, દુરાચારીને સદાચારી બનાવી શકો, દુર્જનને સજ્જન બનાવી શકો, વ્યભિચારિણીને સતી બનાવી શકો. ગાંડાને ડાહ્યો બનાવી શકો, મૂર્ખને બુદ્ધિમાન બનાવી શકો, પરંતુ જેની આંખોમાંથી શરમનાં જળ સુકાઈ ગયા છે. એવા બેશરમને તમે ન તો સંસ્કારી બનાવી શકો કે ન તો સજ્જન બનાવી શકો. ન તો સારો બનાવી શકો કે ન તો શાણો બનાવી શકો. સંપત્તિની નુકસાની વેઠવી પડે તો એક વાર વેઠી લેજો. કોક કારણસર તંદુરસ્તીનું બલિદાન દઈ દેવું પડે તો દઈ દેજો . કોક નિમિત્તવશ મિત્ર ગુમાવી દેવો પડે તો ગુમાવી દેજો. કોક ખતરનાક પરિબળ તમને પરિવારથી અલગ થઈ જવા મજબૂર કરી બેસે તો એક વાર એ વિકલ્પમાં સંમત થઈ જજો પણ આંખમાં રહેલ શરમનાં જળને તો ક્યારેય સુકાવા ન દેશો. કારણ કે એ બચેલું રહેશે તો જીવનનાં તમામ મૂલ્યો સુરક્ષિત રહી જશે. શું થઈ ગયું છે આજના યુગના માણસને, એ જ સમજાતું નથી. એને કૂતરા સાથે જામે છે, પોતાની ગાડી સાથે એને ફાવે છે, ફર્નિચર સાથે એ ગોઠવાઈ જાય છે, ટ્રેનની મુસાફરી દરમ્યાન બાજુમાં બેઠેલ અજનબી સાથે જમાવી દેવામાં એને ફાવટ છે. સરકસ જોવા જાય તો જોકર સાથે ય એને ફાવે છે અને પ્રાણી સંગ્રહાલયમાં જાય છે તો સસલા સાથે ય એને જામે છે. પાંજરાપોળમાં જાય છે તો બળદિયા સાથે ય એને ફાવે છે તો હૉસ્પિટલમાં જાય છે તો ગરીબ દર્દી પ્રત્યે ય એના હૈયામાં સ્નેહ ઊભરાય છે. પણ, કોણ જાણે કેમ, એને પોતાના પરિવાર સાથે જ ફાવતું નથી. પપ્પા પાસે એ બેસવા તૈયાર નથી. મમ્મીની તબિયત કેવી છે એ જાણવાની એને દરકાર નથી. પત્નીની શી અપેક્ષા છે એને એ પૂછવા તૈયાર નથી. બાબો શેના વિના ઝૂરી રહ્યો છે એ જાણવાની એને કોઈ તલપ નથી. રે માનવ ! તું પશુજગતથી ય ગયો? પ૯

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51