Book Title: Tirthankar Mahavir Tirthankar Parshwanath
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 16
________________ ૧૪ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧.૨ - - - - - - થોડા માટે બળદ કોણ સાથે લઈ જાય અને લાવે ? એટલે તે બોલ્યો : “ઓ ભાઈ ! જરા બળદ સાચવજો.” શ્રી વર્ધમાન તો ધ્યાનમાં હતા એથી કાંઈ જવાબ આપ્યો નહિ. ગોવાળ સમજ્યો કે તેમણે સાચવવાનું કબૂલ્યું છે, એટલે તે ગયો ગામમાં. કહ્યું છે કે “ધણી વિનાનાં ઢોર સૂનાં. અહીં બળદ પણ આડાઅવળા ચાલ્યા ગયા. ગોવાળ પાછો આવ્યો, જુએ તો બળદ નહિ. તે બોલ્યો “અરે સાધુમહારાજ ! મારા બળદ ક્યાં?? પણ કાંઈ જવાબ મળ્યો નહિ. ગોવાળ ગુસ્સે થયો, તેણે ફરીને પૂછ્યું : “અરે મહારાજ ! મારા બળદ ક્યાં ગયા?’ તોય કાંઈ જવાબ મળ્યો નહિ. ગોવાળ થયો બહુ ગુસ્સે. તે બરાડ્યો, કેમ અલ્યા સાધુડા, નથી સાંભળતો? તારા કાનનાં આ કાણાં નકામાં છે કે શું?’ છતાં કાંઈ જવાબ મળ્યો નહિ. ગોવાળે લોઢાના ખીલા જેવી અણીદાર બે સળીઓ કાનમાં ઠોકી દીધી. અહા ! આટઆટલું સંકટ, પણ વર્ધમાનના મુખમાંથી અરેકારો નહિ. શું ક્ષમા ! શું સહનશીલતા ! ધ્યાન પૂરું થતાં ગામમાં ગયા અને ઘેર ઘેર ફરીને ભિક્ષા લીધી. ત્યાં બે ચતુર મિત્રોએ એમને જોયા. એમણે તરત પારખી લીધું કે આ મહાત્માના શરીરમાં કાંઈક પીડા છે, પણ સંત કાંઈ બોલતા નથી. એ તો પાછા ગામબહાર આવ્યા ને ધ્યાનમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36