Book Title: Tirthankar Mahavir Tirthankar Parshwanath
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 22
________________ તીર્થકર શ્રી પાર્શ્વનાથ ગંગાજી ધીમાં ધીમાં વહે છે. તેના કિનારે મોટું શહેર છે. તેનું નામ કાશી. ત્યાં અશ્વસેન રાજા રાજ કરે. તેમની પટરાણીનું નામ વામાદેવી. એક દિવસની વાત છે. અંધારી ઘોર રાત છે. વામાદેવી છત્રપલંગમાં સૂતાં છે. એવામાં પડખે થઈને કાળો નાગ નીકળ્યો. એક અંધારું ઘોર અને વળી તેમાં કાળો નાગ. એ તે શું દેખાય ? પણ વામાદેવીએ એ કાળા નાગને જોયો. જોયો છતાં જરા પણ બીકનું નામ નહિ. બીજે દિવસે આ વાત અશ્વસેન રાજાને કહી. અશ્વસેના રાજા કહે, “અંધારી રાતે કાળો નાગ આપણી આંખે તો ન દેખાય. તમને એ દેખાયો તે પ્રભાવ તમારા ગર્ભનો. મને લાગે છે કે તમને મહાપ્રતાપી બાળક જન્મશે.” સમય થતાં વામાદેવીને પુત્ર થયો. તેની કાન્તિ કહેવાય નહિ. ગુણ ગણાય નહિ. જ્ઞાન પમાય નહિ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36