Book Title: Tattvazarnu
Author(s): Meghdarshanvijay
Publisher: Vardhaman Sanskardham Mumbai

View full book text
Previous | Next

Page 250
________________ -બરછી વગેરે શસ્ત્રો વડે રાઇરાઇ જેવા ટુકડા કરીને નીચેના નાળચામાંથી બહાર કાઢે. ચીસ પાડે તો પણ કોઇ ન બચાવે. ભયંકર પીડા હોય. “મારી નાંખો-મારી નાંખો' બૂમ પાડે તો પણ મરી ન શકે. બહાર નીકળેલા શરીરના ટુકડા પાછા અખંડ શરીર રુપે બની જાય. પછી તેને આકાશમાં ઉછાળે. નીચે પડતા તેને ભાલા-બરછી ઉપર ઝીલે. તે વીંધાઇ જાય. લોહીની શેરો ઉડે, માંસના લોચા પડે. વેદના ભયાનક થાય. મરવા માંગે છતાં મરી ન શકે. ઓછામાં ઓછા ૧૦,૦૦૦ વર્ષ તો જીવવું જ પડે. વધતા વધતા ૦મી નરકમાં ૩૩ સાગરોપમનું આયુષ્ય હોય. પહેલી ત્રણ નારકમાં પરમાધામી દેવો ભયાનક પીડા આપે. પછીની નરકોમાં પરસ્પર પીડા હોય. ક્ષેત્રના કારણે સાતે નરકમાં જે ભયાનક વેદના હોય તે ક્ષેત્રકૃત વેદના કહેવાય. ખૂબ ભૂખ લાગે. તરસ પણ ભયાનક લાગે. ભયાનક ઠંડી કે ગરમી સહન કરવી પડે. વારંવાર ખંજવાળ આવ્યા કરે. પેટમાં ખૂબ દાહ હોય. આખા શરીરે તાવ હોય. અનેક રોગોથી ઘેરાયેલું શરીર હોય. આવી વેદના અને પીડા વચ્ચે તેણે આયુષ્ય પૂર્ણ કરવું પડે. વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્. । १रत्न प्रभा परमाधामीका५. धूम ઝી 45 બ તત્વઝરણું ૨૪૦

Loading...

Page Navigation
1 ... 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294