Book Title: Sutrakritanga Sutra Part 02
Author(s): Manekmuni
Publisher: Mohanlal Jain Shwetambar Gyanbhandar

View full book text
Previous | Next

Page 258
________________ સૂયગડાંગર ૨૪ તથા જે કે મૂઢે ઠંડા પાણીથી પરલોક ( સિદ્ધિ) ગમન માને છે, તથા સવારમાં મધ્યાન્હ કે સાંજરે એમ ત્રિકાળ સંધ્યામાં પાણીને સ્પર્શ કરી સ્નાનાદિક ક્રિયાને જળવડે કરવાથી પ્રાણીઓની વિશિષ્ટ ગતિ માને છે. એ પણ અયુક્ત છે, કારણ કે જે ઉદકના સ્પર્શ માત્રથી પ્રાણીની સિદ્ધિ થતી હોય તે નિરંતર ઉદકમાં રહેલા માછીમારે વિગેરે કરકર્મ કરનારા નિર્દય ઘણું મનુષ્ય તથા અન્ય પ્રાણીઓ છે, તે મેક્ષમાં જાય વળી બાહ્યમેળ કાઢનારું પાણી સાક્ષાત્ દેખાય છે, તે પણ વિચારવાથી યુક્ત નથી દેખાતું, કારણ કે જેમ બાામેલ કાઢવાને પાણીનું સામર્થ્ય છે, તેમ તમારું ઇચ્છિત અંગે લગાવેલું કેસર વિગેરે પણ દૂર કરી નાખે છે. અને તેથી તે જેમ પાપ દૂર કરનારું માને તેમ પુણ્યને પણ દૂર કરનારું ઈષ્ટ ફળને વિન્ન કરનારૂં સિદ્ધ થશે. વળી સાધુ બ્રહ્મચારીઓને ઉદક (પાણી) થી સ્નાન કરવું દેષને માટેજ થાય છે. તેજ કહ્યું છે. તે स्नानं मददर्पकरं, कामांगं प्रथमं स्मृतम् ॥ तस्मात्कामं परित्यज्य, न ते स्नान्ति दमे रताः॥१॥ મદ અને કામદેવને ઉત્તેજન આપનાર સ્નાન છે, તે કામવિકારનું પહેલું અંગ છે, માટે કામને છેડીને ઇદ્રિએ તથા મનને દમન કરવામાં રક્ત થએલા પુરૂષે સ્નાન કરતા નથી.

Loading...

Page Navigation
1 ... 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273