Book Title: Sukhi Thavani Chavi
Author(s): Jayesh Mohanlal Sheth
Publisher: Jayesh Mohanlal Sheth

View full book text
Previous | Next

Page 22
________________ હોવાથી, આ બધાં ધ્યાનો આર્તધ્યાનરૂપ જ પરિણમે છે. તેવા આર્તધ્યાનનું ફળ છે તિર્યંચગતિ. જયારે ક્રોધ, માન, માયા-કપટરૂપ ધ્યાન તે રૌદ્રધ્યાન છે અને તેનું ફળ છે નરકગતિ. ધર્મધ્યાનના પેટા પ્રકારોમાં પણ આત્મા જ કેન્દ્રમાં છે, તેથી જ તેને સમ્યફધ્યાના કહેવાય છે. કોઈ એવું માનતાં હોય કે- સમ્યગ્દર્શન ધ્યાન વગર થતું નથી, તો તેઓએ એ સમજવું આવશ્યક છે કે સમ્યગ્દર્શન ભેદજ્ઞાન વગર થતું જ નથી, ધ્યાન વગર તો થાય છે. માટે સમ્યગ્દર્શન માટેની આવશ્યકતા તે ધ્યાન નહિ, પરંતુ શાસ્ત્રોથી સારી રીતે નિર્ણિત કરેલું તત્ત્વનું જ્ઞાન અને સમ્યગ્દર્શનના વિષયરૂપ શુદ્ધાત્માનું જ્ઞાન છે. તે શુદ્ધાત્મામાં ‘હું પણું કરતાં સ્વાત્માનુભૂતિરૂપ સમ્યગ્દર્શન પ્રગટે છે. તેથી આ માનવભવમાં જો કાંઈપણ કરવાં જવું હોય તો, તે એક માત્ર નિશ્ચય સમ્યગ્દર્શન જ પ્રથમમાં પ્રથમ પ્રાપ્ત કરવા જેવું છે; જેથી કરીને પોતાને મોક્ષમાર્ગમાં પ્રવેશ મળે અને પુરુષાર્થ ફોરવતાં, આગળ સિદ્ધપદની પ્રાપ્તિ થાય કે જે અવ્યાબાધ સુખસ્વરૂપ છે કે જેથી શાસ્વત સુખની પ્રાપ્તિ થાય. સર્વજનોને આવા શાશ્વત સુખની પ્રાપ્તિ થાય તેવી ભાવનાસહ, જિનાજ્ઞા વિરુદ્ધ અમારાથી કાંઈપણ લખાયું હોય તો ત્રિવિધે ત્રિવિધે અમારાં મિચ્છામિ દુક્ક! ૐ શાંતિ! શાંતિ! શાંતિ! નોંધ - જેઓને સમ્યગ્દર્શન વિશે વિસ્તારથી જાણવું હોય, તેઓને લેખકના અન્ય લેખો વાંચવા વિનંતિ છે. સુખી થવાની ચાવી છે. ૧૫

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59