Book Title: Sukhi Thavani Chavi
Author(s): Jayesh Mohanlal Sheth
Publisher: Jayesh Mohanlal Sheth

View full book text
Previous | Next

Page 39
________________ ગોળા (BALL) હોય છે, તેવાં એક ગોળામાં અસંખ્યાત શરીર (BODY) હોય છે અને તેવાં એક શરીરમાં અર્થાત્ કંદમૂળઅનંતકાય-નિગોદના એક શરીરમાં અનંતાનંત જીવો હોય છે. એ અનંતાનંત અર્થાત્ કેટલાં? ઉત્તર- સર્વે સિદ્ધોથી અનંતા-અનંત ગણા. તેથી કહી શકાય કે કંદમૂળ અર્થાત્ અનંતકાયના એક ટુકડામાં અસંખ્યાત X અસંખ્યાત x અસંખ્યાત x અસંખ્યાતX અનંતાનંત જીવો. હોય છે. તેથી સુખનાં અર્થી જીવોએ તે કંદમૂળના વપરાશથી બચવું જોઈએ કારણ કે તે અનંતા દુઃખનું કારણ બનવાં સક્ષમ છે અર્થાત્ તેનાં વપરાશથી અનંતા પાપકર્મો બંધાય છે કે જે અનંતા દુઃખનું કારણ બનવા સક્ષમ છે. અસ્તુ! આત્માર્થીને કોઈ પણ મત-પંથ-સંપ્રદાયવ્યક્તિવિશેષનો આગ્રહ, હઠાગ્રહ, કદાગ્રહ, પૂર્વગ્રહ અથવા પક્ષ ન જ હોવો જોઈએ કારણ કે તે આત્માને માટે અનંતકાળની બેડી સમાન છે અર્થાત્ તે આત્માને અનંતકાળ રખડાવનાર છે. આત્માર્થાન માટે સારું તે મારૂં અને સાચું તે મારૂં હોવું અતિ આવશ્યક છે કે જેથી કરીને તે આત્માર્થી પોતાની ખોટી માન્યતાઓને છોડીને સત્યને સરળતાથી ગ્રહણ કરી શકે અને તે જ તેની યોગ્યતા કહેવાય છે. ૩૨ સુખી થવાની ચાવી

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59