________________
चंदरायबरिप
चातुर्मास संभारण
liળા
સેવા બજાવી હતી તેમાં સ્તંભતીર્થ જૈન સેવા સમાજના યુવકેનો ઘણે મોટો ફાળો હતે. ૫. તપસ્વીજી મ. નાસંસારી કુટુંબીઓ. શ્રી મગનભાઈ અમરચંદભાઈ, માણેકલાલ, ગુલાબચંદ, બાબુભાઈ નેમચંદભાઈ તથા ધની બેન વિ. આવી સારો લાભ લીધો હતો.
આમ દિન પ્રતિદિન શાસનપ્રભાવનાનાં કાર્યોનું શિખર ચઢી રહ્યું હતું ત્યાં મહા સુદમાં પૂ. આચાર્યાદિ શ્રમણભગવંતોની નિશ્રામાં શ્રી કાન્તિલાલ ગાંડાભાઈ એ પિતાની સુપુત્રીના લગ્ન પ્રસંગે પાંચ છોડનું ઉદ્યાપન અને અઠ્ઠાઈમૉત્સવ સહિત સિદ્ધચક્રમહાપૂજન શ્રીમાણેકચોક–ઓશવાળ ઉપાશ્રયમાં ભણાવવામાં આવ્યું હતું.
અગાઉ જણાવવામાં આવ્યું તેમ ભાવુક શ્રાવકે લગ્નના પ્રસંગે પણ દેવ-ગુરુ-ધર્મને જ મુખ્ય રાખે છે અને એ રીતે ગુરુભગવંતોની નિશ્રામાં તેમની આજ્ઞા મુજબ અપૂર્વ એવી જિનભક્તિમાં તલ્લીન બને છે. તેને આ પણ એક સાક્ષાત્કાર છે.
માણેકચોક-ચિંતામણિજી દહેરાસરમાં નવીન પ્રગટ થયેલાં બિંબને પ્રતિષ્ઠા મહોત્સવ.
મહામાસમાં, માણેકચોકમાં ભૂમિમાંથી પ્રગટ થયેલાં બાવન અલૌકિક જિનબિંબને પ્રતિષ્ઠા મહામહોત્સવ માણેકચોક ચિંતામણિજીના દેરાસરમાં ઉજવાયો જેમાં અઠ્ઠાઈમહોત્સવ, શાન્તિ સ્નાત્ર, દ્વારદ્દઘાટન વિ. પ્રસંગે ખૂબ આકર્ષક રીતે ઉજવાયા હતા. શ્રી હીરાભાઈ સેમચંદ વિગેરે ભાઈઓએ અતિ ભાલ્લાસ પૂર્વક સેવા બજાવી હતી અને જીવનમાં એક યાદગાર પ્રસંગની ઉજવણી કરી શેઠશ્રી મૂળચંદભાઈ જંબૂભાઈ તરફથી દ્વારફઘાટનના પ્રસંગે ખંભાત શહેરની પ્રત્યેક વ્યક્તિઓની હાજરી હતી અને માણસ આખી પિળમાં ક્યાંય સમાતું ન હતું એટલી મેદની હતી.
શ્રીમાણેકચોક ચિંતામણિજીનું દેરાસર એ આજે જે જોઈએ છીએ તેના કરતાં અર્ધાજ પ્રમાણમાં હતું પણ જ્યારથી બાવન અલૌકિક જિનબિંબ ભૂમિમાંથી પ્રગટ થયાં ત્યારથી માણેકચોક વિસ્તારમાં લોકોની એકસંપ તથા ધર્મભાવનામાં કોઈ અદ્વિતીય ઉદય થયે. જાણે નવીન ચમત્કાર સર્જાયે
IIળા
Jan Education in
For Personal & Private Use Only
www.jinerary.org