Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra View full book textPage 8
________________ બાહ્ય અલ્યન્તર તપના સતત આરાધક સ્વ. વયોવૃદ્ધ - આચાર્યદેવ વિજયસિદ્ધિસૂરીશ્વરજી (પૂજ્ય બાપજી) ' મહારાજને કે જીવન પરિચય. ન આચાર્ય મહારાજશ્રીને જન્મ વિ. સં. ૧૯૧૧ ના શ્રાવણ સુદી ૧૫ ના રોજ એમના મોસાળ વળાદમાં થયો હતો. એમના પિતાશ્રીનું નામ મનસુખલાલ અને માતાનું નામ ઉજમબાઈ હતું. માતાપિતા અતિ ધર્મિષ્ઠ અને ધર્મ શ્રદ્ધાળુ શ્રાવક હતા. તેમને છ પુત્ર અને એક પુત્રી એમ સાત સંતાનો હતાં. તેમાં આચાર્ય મહારાજ સૌથી વધુ હતા એમનું સંસારી નામ ચુનીભાઈ. હતું. માતાપિતાના ધર્મ સંસ્કાર તેમનામાં ઉતર્યા હોવાથી પિતે વ્યવહારિક અભ્યાસ પૂરે કરી, પિતા તથા ભાઈઓના કામમાં મદદગાર થવા લાગ્યા. અને કામના ખંતથી તેમના કુટુંબમાં પિતે પ્રિય થઈ પડયા. હતા તથા પોતે વિદ્યાશાળામાં શ્રી સુબાજી રવચંદ જેચંદની પાસે ધાર્મિક અભ્યાસ કરેલ. ચુનીભાઈની ધર્મ શ્રદ્ધામાં સુબાજીના શિક્ષણને નેંધપાત્ર હિસ્સો હતે. ચુનીભાઈનું જીવન વિરા, ગ્યમય હતું. પરંતુ વ્યવહારે લગભગ ૧૮ વરસની ઉંમરે માતાપિતાની પ્રેરણાથી અમદાવાદમાં આકાશેઠ કુવાની પળમાં રહેતા ખરીદિયા કુટુંબમાં ચંદનબહેન સાથે તેઓશ્રી લગ્ન ગ્રંથીમાં જોડાયા. વિરાગ્યમય જીવનમાં આ લગ્ન એ એમને ઉપાધીમય લાગ્યો અને ત્રેવીસ વર્ષની વયે સંયમ લેવાની તીવ્ર ભાવના જાગૃત થઈ. પરંતુ ઘરમાં કહ્યાગરે કામગરે અને કુશળ માણસ આમ સંયમ લે તે માતાપિતા અને મેટો ભાઈઓને ઠીક ન લાગ્યું અને ખુબજ આનાકાની થવા લાગી, છેવટે કુટુંબને અતિ કદાગ્રહ હોવા છતાં પણ પિતે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 564