Book Title: Shabda Sannidhi
Author(s): Kumarpal Desai
Publisher: Kumarpal Desai

View full book text
Previous | Next

Page 53
________________ કબીર, મીરાં અને અખાના સંદર્ભમાં આનંદથન શબ્દસંનિધિ અજપા જાપની રટણ લગાડે તે જ આનંદના ઘનને – નિરંજનને પામી શકે છે. આ નિરંજન એ સકળ ભયહર છે, કામધેનુ છે અને આથી જ અન્યત્ર ભટકવાને બદલે નિરંજનના શરણમાં જવું એમને વધુ પસંદ છે : “ અબ મેરે પતિ ગતિ દેવ નિરંજન ભટકું કહાં, કહાં સિર પટકું, કહાં કરું જન રંજન ખંજન દેગન લગાવું, ચાહું ન ચિતવન અંજન સંજન-ઘેટ-અંતર પરમાતમ, સકલ-દુરિત-ભય-ભંજન એહ કામ ગતિ હે કામ પટે, અહી સુથારસ મંજન આનંદઘન પ્રભુ ઘટ બન કેહરિ, કામ મતંગ ગજ ગંજન.” ૬૦ આનંદઘનજીનાં પદોમાં હઠયોગની સાધનાનો પ્રભાવ જોવા મળે છે. ‘અવધુ'ના સંબોધનથી એમનાં અનેક પદોમાં આ સાધનાની જ વાત કરી છે. ‘આત્માનુભવ’ અને ‘દેહ દેવલ મઠવાસી ’ની વાત પણ આનંદઘનની કેટલીક સાખીઓમાં જોવા મળે છે. આનંદઘન કહે છે કે ઇડા-પિંગલાના માર્ગનો પરિત્યાગ કરીને ‘સુપુખ્ખા ઘરવાસી’ થવું પડે છે, બ્રહ્મરંધ્રની મધ્યે ‘શ્વાસ પૂર્ણ’ થયા પછી નાદ સંભળાય છે. અને સાધક બ્રહ્માનુભૂતિનો સાક્ષાત્કાર કરવાની સ્થિતિ પામે છે. ડૉ. વાસુદેવસિંહ* તો એવી સંભાવના વ્યક્ત કરે છે કે કબીરનો કોઈ શિષ્ય કે અનુયાયી પણ સાધનાના એ ઉચ્ચ સોપાને અને કાવ્યની એ ઉચ્ચ કોટિએ પહોંચ્યો નથી, જે સ્થાન પર સંત આનંદઘન અને એમનાં કાવ્યો પહોંચી શક્યાં છે. કબીરની જેમ આનંદઘન પણ ‘આગમ પીઆલાની મસ્તી આલેખતાં કહે છે : ‘આગમ પીઆલા પીઓ મતવાલાચીને અધ્યાતમ વાતા; આનંદઘન ચેતન વ ખેલે, દેખે લોક તમાસા. આશા ૪" • 'अपभ्रंश और हिन्दी में जैन रहस्यवाद', डॉ. वासुदेवसिंह, पृ. ११०. કવિ આનંદધન અધ્યાત્મમતમાં મગ્ન લોકોને અગમ પ્યાલો પીવા આમંત્રણ આપે છે અને તે માટે અધ્યાત્મનો વાસ ક્યાં છે તે શોધવાનું કહે છે અને જ્યારે અગમ પ્યાલો પીવાનો આનંદ પ્રાપ્ત થાય છે, ત્યારે સંસાર-પ્રપંચ પ્રત્યક્ષ દેખાય છે. આ રીતે બંનેએ ‘વિરલા અલખ જગાવે’નો ઉપદેશ આપ્યો છે, પણ બંનેની શૈલી ભિન્ન છે. કબીરનાં પદો ઉપદેશનું નિરૂપણ કરે છે, તો આનંદઘનનાં પદો સિદ્ધાંત આલેખે છે. કબીરનાં પદો માનવચિત્તને બાહ્ય વળગણોથી મુક્ત કરી અંતર્મુખ થવા પ્રેરે છે, જ્યારે આનંદધનનો ઉપદેશ એ વ્યક્તિને યોગ અને અધ્યાત્મના ઊંડાણનો ગહન સ્પર્શ કરાવે છે. કબીરમાં વ્યવહારુ દૃષ્ટિ છે અને તેમાંથી મળતાં દૃષ્ટાંતોનું વૈપુલ્ય છે, જ્યારે આનંદઘનમાં યોગદૃષ્ટિ છે. કબીરનાં પદો જનસામાન્યને સ્પર્શે છે, જ્યારે આનંદઘનનાં પદો યોગ અને તત્ત્વજ્ઞાનથી ભરપૂર હોવાથી એને સમજવા માટે વિશેષ સજ્જતાની જ રૂર રહે છે. કબીરનાં પદોમાં આમજનતાના હિતનો ઉદ્દેશ રખાયેલો છે, જ્યારે આનંદઘનનાં પદોમાં વ્યક્તિને ભક્તિના લેબાસમાં આત્માના ઊંડાણમાં લઈ જવાનો પ્રયત્ન છે. કબીરનાં પદોની ભાષામાં ક્યાંય ગુજરાતી ભાષાની અસર જોવા મળતી નથી, જ્યારે આનંદધનનાં પદો રાજસ્થાની ભાષામાં હોવા છતાં ગુજરાતી ભાષાની અસર ઝીલે છે. કબીરની શૈલી એ ઉપદેશ શૈલી છે - ઉપદેશકનો એક આવેશ એમનાં પદોમાં પ્રગટ થાય છે, જ્યારે આનંદઘનની શૈલી એ આત્મજ્ઞાનના દલેદલને ખોલીને બતાવનારી છે. કબીરમાં સત્યાર્થી સંતનો ઉત્કટ અભિનિવેશ જોવા મળે છે, જ્યારે આનંદઘનમાં સત્યાર્થી વૈરાગી આત્માની ઉત્કટ અનુભૂતિ જોવા મળે છે. કબીરને સમજવા માટે રહસ્યવાદીઓની પરંપરા જાણવી જોઈએ, જ્યારે આનંદઘનને પામવા માટે રહસ્યવાદીઓની પરંપરા ઉપરાંત જૈન પરિભાષા જાણવાની જરૂર રહે છે.

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80