________________
શબ્દસંનિધિ
તલસાટભરી રીતે વ્યક્ત કરી છે. મીરાં ‘ગિરધર નાગર ને માટે તલસે છે, તો આનંદઘન પોતાના ‘મનમેલુ ની રાહ જોતાં વિચારે છે :
“મુને મારો કબ મિલશે મનમેલુ, મનમેલુ વિણ કેલિ ન કલીએ, વાલે કવલ કોઈ વેલું.”
(‘આનંદથનનાં પદો', ભાગ ૧, પૃ. ૨૭૮) મનના મેળાપી વિનાની રમત એ કોઈ મૂર્ખ રેતીના કોળિયા વાળતો હોય તેના જેવી છે. આનંદઘન તો કહે છે કે જે માનવી આ મેળાપી સાથે અંતર રાખે છે તે માનવી નહીં, પણ પથ્થર છે. ‘મનમેલુ 'ને મળવાની અકળામણ એટલી બધી છે કે મીરાંએ જેમ લોકલાજ છોડી હતી એ જ રીતે આનંદઘન પણ એ પતિને મેળવવા માટે મોટાંઓની મર્યાદા ત્યજીને બારણે ઊભા રહી રાહ જુએ છે, એના વિના ઝૂર્યા કરે છે. આંખો જે વાટ પરથી પતિ આવવાનો છે તેની ઉપર મંડાયેલી છે. શરીર પરનાં વસ્ત્ર કે આભૂષણ સહેજે ગમતાં નથી. કીમતી ઝવેરાત ઝેર જેવા લાગે છે. આ અંતરના તાપને કોઈ વૈદ્ય મટાડી શકે તેવો નથી. સાસુ એક શ્વાસોચ્છવાસ જેટલો કાળ પણ વિશ્વાસ રાખતી નથી અને લાજ વગરની તૃષ્ણા – નણંદ સવારથી લડ્યા કરે છે. આ તનની વેદનાને તો હવે આનંદઘનના અમૃતનો વરસાદ થાય તો જ ટાઢ ક વળે એમ છે.
“સાસ વિસાસ ઉસાસ ને રાખે નણદીની ગોરી ભોરી લરીરી રોર તબીબ ન તપતિ બુઝાવે, આનંદઘન પીયુષ ઝરીરી.”
| ('આનંદપનનાં પદો', ભાગ ૧, પૃ. ૪૯) પહેલાં બીજાની વિરહવેદનાનો પોતે ઉપહાસ કરતી હતી, પણ જ્યારે પોતાને એ વિરહવેદનાનાં બાણ વાગ્યાં ત્યારે ખબર પડી કે
કબીર, મીરાં અને અખાના સંદર્ભમાં આનંદથન આની પીડા કેટલી આકરી હોય છે ! આખા શરીરમાં શુળની વેદના ભોંકાય છે, મન તો આ વિરહથી સતત ઓળવાતું રહે છે. આ વિદારક અનુભવ પછી હવે હું જ સહુને કહું છું કે કોઈ પ્રીત ન કરશો.
હસતી તબ હું વિરાનીયા, દેખી તન મન ડીક્યો હો; સમજી તબ ખેતી કહી, કોઈ નેહ ન કીજ્યો હો."
મીરાં જેવી ભાવની દીપ્તિ અને વ્યથાની ચોટ આનંદધનનાં આ પદોમાં દેખાય છે. હોળી તો ફાગણ માસમાં આવે છે, પણ કવિ આનંદઘન કહે છે કે અહીં તો અહર્નિશ અંતરમાં વેદનાની હોળી સળગ્યા કરે છે અને એ આ શરીરને તો રાખ કરીને ઉડાડે છે ! વિદારક વેદનાને આલેખવા માટે કવિ આનંદધને આ પંક્તિઓમાં કેવી સુંદર કલ્પના કરીને વિરહને મૂર્તિમંત રૂપ આપ્યું છે !
ફાગુણ આચર એક નિસા, હોરી સીરગાની હો; મેરે મન સબ દિન જરે, તન ખાખ ઉડાની હો.”
| ('આનંદધનનાં પદો', ભાગ ૧, પૃ. ૪૪૦) આ વિરહ એ સુમતિનો વિરહ છે. પોતાના ચેતનજી માટે એ તલસે છે. સુમતિ પોતાના અનુભવમિત્રને આ વિરહની વેદના કહે છે. ચાતક જેમ પીઉ પીઉ કરે, તેમ એ પતિની રટણા કરે છે. એનો જીવ પતિના પ્રેમરસને પીવા તરસ્યો છે. મન અને તન પતિની રાહમાં અસ્વસ્થ બન્યાં છે અને આ વિરહદશાને આનંદઘન અનુપમ કલ્પનાતીલાથી આલેખતાં કહે છે :
“નિસિ અંધિઆરી મોહી હસે રે, તારે દાંત દિખાઈ, ભાદુ કાદુ મેં કિયો પ્યારે, અસુઅન ધાર વહાઈ.”
અંધારી રાત, તારારૂપી દાંત દેખાડીને મારી સામે હસે છે. રાત્રે નીંદ ક્યાંથી હોય ? આ વિજોગણ તો આંસુ સારે છે અને એણે એટલાં આંસુ સાય કે ભાદરવો મહિનો કાદવવાળો બની ગયો ! મીરાંએ
10