Book Title: Samprat Sahchintan Part 14
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 135
________________ અનુભવની વાત કહું તો મારી દૌહિત્રી ગાર્ગી એક-દોઢ વર્ષની હતી ત્યારે એને ગાય, ઘોડો, સિંહ, હાથી વગેરેનાં ચિત્ર દોરીને તેને ઓળખતાં શિખવાડ્યું. પછી હાથીનું માત્ર મોટું અને દંતશૂળ દોરીએ તો પણ તે તરત કહી આપે કે એ હાથી છે. પશુપક્ષીની થોડીક લાક્ષણિક રેખા જોતાં જ તે તરત કહી શકતી. એ બતાવે છે કે નાના બાળકમાં પણ અનુમાનશક્તિ ખીલવા લાગે છે. ગાર્ગીએ ત્રણેક વર્ષની થઈ ત્યાં સુધી માત્ર ચિત્રમાં જ હાથી જોયો હતો. એને માટે એ જ સાચો હાથી હતો. એણે સાક્ષાત્ હાથી જોયો નહોતો. એક દિવસ રસ્તામાં હાથી આવેલો તે જોવા હું એને લઈ ગયો. હાથીને જોઈ તે અચંબો પામી. એણે પ્રશ્ન કર્યો, “દાદાજી, હાથી આવો પણ હોય ? હાથી ચાલે પણ ખરો ?' બેત્રણ વર્ષનું બાળક પહેલાં સાક્ષાત્ પશુપક્ષી જુએ અને પછી એનું ચિત્ર જુએ એ એક સ્થિતિ છે અને પહેલાં ચિત્ર જુએ અને પછી સાક્ષાત્ જુએ એ બીજી સ્થિતિ છે. બંનેમાં ફરક છે. બાળકની અનુમાનશક્તિ બંનેમાં કામ કરે છે. જૈન ધર્મમાં વિવિધ પ્રકારનાં જે પ્રમાણો બતાવ્યાં છે તેમાંનું એક તે અનુમાન પ્રમાણ છે. “જ્યાં ધુમાડો ત્યાં અગ્નિ” એ એનું પ્રસિદ્ધ ઉદાહરણ છે. “અનુમાન પ્રમાણ”ના પણ જુદા જુદા પ્રકારો બતાવવામાં આવ્યા છે. એમાંનો એક પ્રકાર તે શેષવતુ અનુમાન છે. શેષવત્ અનુમાનના વળી પાંચ પ્રકાર બતાવવામાં આવ્યા છે: (૧) કાર્યથી, (૨) કારણથી, (૩) ગુણથી, (૪) અવયવથી અને (૫) આશ્રયથી. કાર્ય જોઈને કારણનું અનુમાન થાય તે કાર્યલિંગજન્ય શેષવત્ અનુમાન કહેવાય છે. ઉ. ત. શંખનો ધ્વનિ સાંભળીને અનુમાન થાય ૧૨૬ ] સાંપ્રત સહચિંતન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174