Book Title: Samprat Sahchintan Part 14
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 138
________________ પ્રતિબિંબિત થાય છે. માણસ ચાહે કે ન ચાહે, નાની નાની ઘટનાઓ પણ એના સ્વભાવની ચાડી ખાય છે. કોઈપણ મનુષ્યની લાક્ષણિકતાનો અભ્યાસ કરવા માટે એના સમગ્ર જીવનની તપાસ કરવાની જરૂર નથી. થોડીક કે એકાદ ઘટનાનું વિશ્લેષણ એના જીવનની પારાશીશીરૂપ બની શકે છે. પહેલાંના વખતમાં એક લોકોક્તિ પ્રચલિત હતી કે “લશ્કરના ભેદ પાયા, આગેસે ગદ્ધા આયા.' પ્રાચીન સમયમાં લશ્કરમાં હાથી, ઘોડા વગેરે રહેતાં અને માલવાહક પ્રાણી તરીકે ખચ્ચર, ગધેડાં વગેરે પણ રહેતાં. સૈન્ય આગેકૂચ કરતું હોય ત્યારે આગળ હાથી, ઘોડા વગેરે મહત્ત્વનાં પ્રાણી હોય. સૈનિકો પાસે કેટલા હાથી અને કેટલા ઘોડા છે એના પરથી સૈન્યની તાકાતનું માપ જણાતું. પરંતુ કોઈ સૈન્ય આગેકૂચ કરતું હોય અને મોખરે ગધેડાનું નેતૃત્વ હોય તો એ નમાલું સૈન્ય છે એમ તરત જણાઈ આવે. એવા લશ્કરને જીતવાનું અઘરું ન હોય. માટે જ કહેવત પડી કે “આગેસે ગદ્ધા આયા.” આમ, અનુમાનના પ્રકાર ઘણા છે. મતિજ્ઞાનનો આ વિષય છે. જેમ માણસના જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ વધારે તેમ એની અનુમાનશક્તિ વધારે. કેટલાક માણસોની અનુમાનશક્તિ આશ્ચર્યમુગ્ધ કરી દે એવી હોય છે. આવી અનુમાનશક્તિ અને વ્યવહારજગતમાં ઉપયોગી થવા ઉપરાંત અધ્યાત્મજગતમાં ઉપયોગી થાય તો જ તે સવિશેષ સાર્થક ગણાય. सित्येण दोणपागं, कविं च एक्काए गाहाए । [ ૧૨૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174