Book Title: Samprat Sahchintan Part 14
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 159
________________ એ બૂરી આદત સમાજમાં ગણાય છે. ક્યારેક પોતાનું ડહાપણ બતાવવા માટે પણ માણસને વચ્ચે બોલવાનું મન થાય છે. પોતે બહુ ડાહ્યા છે, સમજદાર છે, જાણકા૨ છે એવા ભાવથી અભિમાનપૂર્વક વચન ઉચ્ચારાય છે. પરંતુ જીવન-વ્યવહારમાં, જેટલું જાણતા હોઈએ એટલું બધું જ બીજાને કહેવા યોગ્ય નથી હોતું. થેરગાથામાં કહ્યું છે : सव्वं सुणाति सोतेन सव्वं पस्सति चक्खुना । न च दिट्टं सुतं धीरो सव्वं उज्झितमरहति ॥ [માણસ કાનથી બધું સાંભળે છે, આંખથી બધું જુએ છે, પરંતુ જે કંઈ જોયું કે સાંભળ્યું હોય તે બધું બધાને કહેવા યોગ્ય છે એવું ધીર પુરુષને લાગતું નથી.] પોતાના વિચારો દ્વારા પોતાની પ્રતિક્રિયા તરત વ્યક્ત કર્યા પછી કેટલાક પસ્તાય છે. પોતાનાથી ઉતાવળ અને અધીરાઈ થઈ ગઈ છે, કાચું કપાઈ ગયું છે એમ પછી લાગે છે. પછી એનાં માઠાં પરિણામો ભોગવવાનો વખત પણ આવે છે. એટલે જ ‘ન બોલ્યામાં નવ ગુણ' જેવી કહેવત પ્રચલિત થઈ છે. વળી આપણે ત્યાં એક રૂઢ પ્રયોગ છે ઃ વગર બોલાવ્યે બોલે એ તણખલાની તોલે. જૂના વખતનો એક ટુચકો છે. એક રાજાના મંત્રીની ચારે પત્નીઓ બહુ રૂપાળી, પણ કોઈક કારણસર બોબડી થઈ ગઈ હતી. એટલે મંત્રી પત્નીઓને ક્યારેય રાજદરબારમાં લઈ જતો નહિ. આથી રાજાને જિજ્ઞાસા થતી. એક વખત રાજાએ મંત્રીને કહ્યું, ‘મારે એક દિવસ તમારે ઘરે જમવા આવવું છે.' મંત્રીથી ના પડાય એમ નહોતું. રાજા અને મંત્રી જમવા બેઠા. ૧૫૦ ] Jain Education International For Private & Personal Use Only સાંપ્રત સહચિંતન www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174