Book Title: Samprat Sahchintan Part 14
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 139
________________ ૧ ૨. બાવનગજા મધ્યપ્રદેશમાં બડવાની શહેર પાસે આવેલા દિગંબર જૈન તીર્થ બાવનગજાની યાત્રા કરવાનો એક સરસ અવસર કેટલાક સમય પહેલાં અમને સાંપડ્યો હતો. આ તીર્થની અમારી આ પહેલીવારની જ યાત્રા હતી. અમે વડોદરા જિલ્લાના સંખેડા ગામ પાસે હાઈવે પર આવેલી મંગલભારતી' નામની સંસ્થામાં એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ત્યાંથી પછી બાવનગજા ગયા હતા. વડોદરાથી ઇંદોર-ખંડવા સુધીનો રસ્તો ડભોઈ, બોડેલી, છોટા ઉદેપુર થઈને અલિરાજપુર જાય છે. ગુજરાતની હદમાં રસ્તો સારો છે, પણ મધ્યપ્રદેશની સરહદ ઓળંગ્યા પછી ત્યાંનો રસ્તો ખરાબ, ખરબચડો છે. એટલે ત્યાં વાર વધારે લાગે એમ હતી. એટલે અમે એ પ્રમાણે સમયની ગણતરી પહેલેથી કરી જ લીધી હતી. મંગલભારતીથી બાવનગજા સુધીનું અંતર આશરે બસો કિલોમીટર જેટલું છે. મંગલભારતીથી નીકળીને અમે અલિરાજપુર પાસે લક્ષ્મણી તીર્થમાં દર્શન-ચૈત્યવંદન કરીને સાંજે સાડા સાત વાગે બડવાની પહોંચ્યા, ત્યારે અંધારું થઈ ગયું હતું. બાવનગજા બવાની શહેરથી આશરે આઠ કિલોમીટર દૂર છે, પરંતુ એટલો રસ્તો ડુંગરોમાંથી પસાર થાય છે. ચડઊતર રસ્તો છે એટલે સમય વધારે લાગે છે. રાત્રે આઠ વાગે અમે ૧૦ ]. - સાંપ્રત સહચિંતન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174