Book Title: Rohiney Ras
Author(s): Bhanuben Shah
Publisher: Jain Sahitya Prakashak Samiti

Previous | Next

Page 12
________________ મધ્યકાલીન રાસકૃતિનું સર્વાગી અધ્યયન નાનકડી બારી ઉઘાડીએ અને બહારની વિરાટ સૃષ્ટિનો હદયંગમ પરિચય થાય, એ. છે રીતે માત્ર એક રાસકૃતિના અભ્યાસ અને સંશોધન પરથી ડૉ. ભાનુબહેન શાહે મધ્યકાલીન શું સાહિત્ય અને જૈન પરંપરાનો સુદીર્ઘ અને વિસ્તૃત પરિચય આપ્યો છે. અંદાજે ૬૦ વર્ષના આયુષ્યમાં ચોત્રીસ વર્ષ સુધી આગવું સાહિત્ય સર્જન કરનાર શું ખંભાતના વિશા પોરવાળ જ્ઞાતિના જૈન કવિ ત્રષભદાસની આ કૃતિ ‘રોહિણેય રાસ'ને એમણે છે અનેક દષ્ટિએ મૂલવી છે. આમેચ કવિત્રષભદાસ આગવી પ્રતિભા ધરાવનાર સર્જક છે અને તેમની પરંપરામાં વહેતી અને ધર્મભાવનાની વિપુલવાણી ધરાવતી સર્જક-પ્રતિભાના પ્રવાહનો ડૉ. ભાનુબહેન શાહે વિસ્તૃત પરિચય આપ્યો છે. મધ્યકાલીન સાહિત્યના અભ્યાસી માટે સૌથી મોટી મુશ્કેલી મધ્યકાલીન સાહિત્યિક ૐ કૃતિના માપદંડોની છે. કયા માપદંડોથી એને મૂલવવી ? અર્વાચીન સમયના વિવેચનનાં સિદ્ધાંતો છે દ્વારા મધ્યકાલીન કૃતિને મૂલવવાના પ્રયાસો ઘણી વાર કૃતિ અને સર્જકને અન્યાયકર્તા બને છે. દુર્ભાગ્યે આપણી પાસે હજી આ પ્રકારના સાહિત્યને મૂલવવા માટેના માપદંડો નથી. જેમકે રાસ એ. છું પર્ફોર્મિંગ આર્ટ છે. તે ધાર્મિક જન સમૂહ સમક્ષ પ્રસ્તુત થયા હતા. તેની જુદી જુદી દેશી અને $ ઢાળોમાં પ્રસ્તુતિ જોઈને એના અનુભવને આલેખવો જોઈએ અને એમાં આલેખાયેલા શૃંગાર, વીર કે હું શાંત રસનો સંવેદનશીલ હદયને કેવો અનુભવ થાય છે અને તેને પ્રગટ કરવામાં સર્જક કેટલા. હું સફળ નીવડયા છે, તેની પણ ચર્ચા થવી જોઈએ. બીજી બાબત એ છે કે, આ કૃતિઓનું પરંપરા સાથે $ ગાઢ અનુસંધાન હોય છે અને તેથી તેનું નિરૂપણ પરંપરા પ્રમાણે થાય તે સ્વાભાવિક છે, પરંતુ એમાં છે પણ ક્યાંક સર્જકપ્રતિભા ઝળકી જતી હોય છે. આથી વિષયવસ્તુમાં કે અલંકાર આલેખનમાં કયા જે સ્થળે કવિએ મૌલિક પ્રતિભા દાખવી છે તે પણ જોવું જોઈએ. આ સાહિત્યનું એક દસ્તાવેજી મૂલ્ય પણ ૐ હોય છે અને એમાં ઈતિહાસ, રિવાજો અને જનજીવન નિરૂપાયા હોય છે, એ દષ્ટિએ પણ આની કૈ છણાવટથવી જોઈએ. પ્રસ્તુત ગ્રંથમાં સંશોધકને કવિ બહષભદાસના સ્વહસ્તે લખાયેલી પ્રત મળી તે એક છે મહત્ત્વની બાબત કહેવાય. કવિ ત્રઢષભદાસે રાસો, સ્તવન, સ્તુતિ, ગીતો, હરિયાળી વગેરેની િરચના કરી છે અને એ રીતે એમણે મહાવીર અને રોહિણેયની પ્રસિદ્ધ કથા પર રાસ રચના કરી છે. હું આમાં સંશોધકે એની ઐતિહાસિક વિગતો સુંદર રીતે ઉપસાવી આપી છે. વળી, મૂળ દોહો અને એના પર એમણે વિસ્તૃત વિવેચન કર્યું છે અને આ વિવેચનમાં જ્યાં જ્યાં જૈન પારિભાષિક શબ્દો કે હું જૈન કથાઓ આવી તેની વિગતે સમજણ તો આપી છે પરંતુ એથીય વિશેષ એમણે એને લગતા શું સંદર્ભો જેમકે કલિકાલસવર્ણ હેમચંદ્રાચાર્ય, ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ કે શ્રીમદ્રાજચંદ્રની ઝું # કૃતિઓમાંથી મળતાં સંદર્ભો પણ દર્શાવ્યા છે. આ કૃતિનો મુખ્ય ઉપદેશ એ છે કે, દશ્યરાજ લોહખૂરે પોતાના પુત્ર રોહિણેયને 90996969696969696969696969696969696969696969696969696969698 99999999999999@006969696969696969696969690ષ્ઠ છે. છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 386